Saturday, October 14, 2006

રણછોડ - બંસીધર પટેલ

રણછોડ - બંસીધર પટેલ

લીધી વસમી વિદાય વિભુએ, છોડ્યું વ્રજધામ;
ગોપીજન સહુ વિખૂટા પડીયા, પ્રભુ સિધાવ્યા દ્વારિકાધામ.

રાધિકાના કંઠ સૂકાયા, કાના ન કરો સજા મમ પ્રાણ;
નંદ-યશોદા બન્યા નિરાધાર, વૃંદાવન બન્યું સૂમસામ.

પરમેશ્વરની લીલા સઘળી, પામર શું જાણે મનુજાત;
પ્રભુતો પ્યારો ચર-અચરનો, નાના મોટાનું નથી એને કામ.

સુવર્ણનગરી દ્વારિકા એની પષ્ચિમે ધૂઘવે મહાસાગર;
દેહ પ્રભુનો દ્વારિકામહીં, પણ આતમ ગોપ-ગોવાળની સાથ.

ઓધ્ધવ પણ હાર્યા-થાક્યા વિનવીપ્રભુને, ના થયા ટસ કે મસ;
ખાન-પાન ભુલી સહુ જોતા, વિભુ વળશે પાછો વ્રજધામ.

વિભુ તારી છે લીલા ન્યારી, અસમજ શું સમજે સહેજે;
નતમસ્તકે વિનવું તમને, રાખવો નિજ હ્રદય અમ જનને.
----------------------------------------------------------
સમુદ્રમંથન થકી મળ્યું વિષ અમૃત ભેગું;
લડવા માંડ્યા દેવાસુર માંહોમાંહે પીધું ઝેર શંકરે બની નિલકંઠ;
એટલે જ સ્તો કહેવાયા મહાદેવ, દેવોનાદેવ બમબમ સદાશિવ.

1 comment:

વિવેક said...

સરસ ગીત... સુંદર વાત..