Monday, December 24, 2007

લાજો મનુષ્ય

લાજો મનુષ્ય - બંસીધર પટેલ Apr 02, 1994

કાળનું વહેણ પલટાઈ રહ્યું, કે વખના વાયરા વાઈ રહ્યા.
વળી રહ્યું છે મીંડું કે સંસ્કાર સઘળા ધીમેથી લોપાઈ રહ્યા.
દુર-દર્શન હોય કે રેડીયો, સીનેમા; અશ્લીલતા ખુલ્લી નાચી રહી.
કુમળા બાળ-માનસ મુરઝાઈ રહ્યા, વડીલોના વાંકે શોષાઈ રહ્યા.

ભણતર બન્યું છે બદતર કે દફતરનું વહન વધી રહ્યું.
ગણતર વીનાનું ચણતર, પાયો કાચોકચ પડી રહ્યો.
થાશે શું આ સૃષ્ટીનું, મન મારું વીહ્વળ થઈ રહ્યું.
ના સુણે કોઈ કોઈનું, પ્રેમ-સ્નેહ-સગાઈ ફેંકાઈ રહી.

નારીના દેહતણું થાય છે લીલામ ખુલ્લા બજારમાં.
નીચી મુંડીએ નીરખી રહ્યા સહુ બનીને ભીષ્મ પીતામહ.
ખેંચાય છે વસ્ત્ર સચ્ચાઈના, નથી પડી કોઈ કોઈની સ્વાર્થમાં.
ભ્રષ્ટાચાર પથરાઈ ગયો, આચાર-વીચાર ગયા મહાસાગરમાં.

વીશ્વની જનેતા નાખે નીઃસાસા, નથી કોઈ તારણહાર.
કુદકે ને ભુસકે વધતી વસતી, ભાર ભોમનો અતી મારણહાર.
ભણેલા-અભણ સહુ વરતી રહ્યા, ગળાકાપ હરીફાઈ થકી.
ના રહેશે કોઈ કોઈનું ભલા, પ્રલય પણ થરથર કંપી રહ્યો.

બનીને રાંક ઓ મનુના વંશજ, શાને હરખાઈ રહ્યો?
રાંડ્યા પછીનું ડહાપણ તારું, ના લાગશે લગીરે કામ અહી.
ચેતી જા ભલા, પામર, દુષ્ટ માનવી, શરમાઈ રહી તારી ભોમકા.
પ્રભુ પણ પછતાઈ રહ્યો તારા થકી, ઓ વાનરના વંશજ આદી.

ઉગે છે સુર્ય પુર્વમાં, લઈને નવી ક્ષીતીજ પ્રકાશની.
લઈને કંઈક શીખ, ઓ મુરખ મનવા, મુક તમા જગતની.
રાત્રી-દીન, સવાર-સાંજ બસ ધારણા એક ઈશ્વરની.
ઉગારજો આ મનખ જનાવરને, કરીને માફ સર્વે થાયે ભલો.

કાળ

કાળ - બંસીધર પટેલ Apr 02, 1994

કદીક વાગોળું હું મારા ભુતકાળને,
આંખો મીચાઈ જાય છે અતીતનાં ઉંડાણમાં.

નાંખીને દીર્ઘ નીઃસાસો નીશ્વાસનો,
મથી રહ્યો છું પ્રાસ લેવા જીંદગી તણો.

નીર્દોષ, નીષ્કપટ, નીર્વ્યાજ પ્રેમ શીશુ તણો,
વીસરાઈ ગયો, વહી ગયો વખતની થપાટમાં.

જીંદગીના ઝંઝાવાતમાં જુવાની ઝંખવાઈ ગઈ,
આધેડ વયનો વયસ્ક બની વયની થપાટ લાગી રહી.

શું શું સપનોનો સાંકળો તાણી રચી હતી જાળ,
પીંખાઈ ગયો માળો, પીંછાં બધાં તીતર-બીતર બની.

વીતેલો વસમો કાળ, હજી નથી કપાઈ રહ્યો,
ત્યાં તો સામે આવી ઉભું જરા-વ્યાધી તણું લંગર સહુ.

સંસારના વમળમાં વીંટળાઈ રહ્યો ખુબ,
શોધમાં સુખ-સગવડ તણી, ભટકી રહ્યો ભવસાગર મહીં.

અતીત સારો કે વર્તમાન, મન ચગડોળે ચઢ્યું,
ત્યાં આવ્યો વીચાર ભાવી-તણો, આપી અણસાર અતીતનો.

વીધીએ લખ્યું જેહ ના મીથ્યા થાયે કદી,
ચાલશે એમ જ ગાડી, મનમાં હું આ વીચારી રહ્યો.

સમત્વ

સમત્વ - ચીરાગ પટેલ Nov 16, 2007

ૐ સહનાવવતુ સહ નૌ ભુનક્તુ સહ વીર્યમ કરવાવહૈ |
તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ ॥
ૐ શાંતિ: શાંતિઃ શાંતિઃ

આ શ્વેતાશ્વતર ઉપનીષદના શાંતીપાઠથી કયો સનાતનધર્મી અજાણ હશે? સરળ અર્થ: હે ઇશ્વર અમારું સાથે રક્ષણ કરો (બે જણ માટે પ્રયોજાયું છે?), અમારું સાથે પાલન કરો, અમને સાથે હળીમળીને કામ કરવાની શક્તી આપો, અમારું શીક્ષણ અમને તેજસ્વી બનાવે, અમે એક્બીજાનો દ્વેષ ના કરીએ. અમને શાંતી પ્રાપ્ત થાઓ.

આ શ્લોકમાં જણાવેલ સમત્વ કેટલી મોટી વૈચારીક ક્રાંતીનું નીમીત્ત બની શક્યુ હોત! પરંતુ, આપણે આ મંત્ર ગોખીને પઢતા રહ્યાં, વર્ષો સુધી! આપણા રોજીંદા જીવનની ઘટમાળથી લઈને, નોકરી-ધંધો, સમાજ, રાજકારણ, રાષ્ટ્રીયતા વગેરેને સ્પર્શતા મુદ્દાઓનો કેટલો સરસ ઉકેલ આ શ્લોકમાં રહેલો છે. આવી સ્પર્શતી બાબતો પર તો એક મહા-નીબંધ લખી શકાય. કીંતુ, આજે વાત કરીશું 'સમત્વ'ની એક અલગ કોણેથી.

આપણે રોજ સવારે ઉઠીએ છીએ અને આજની તારીખમાં કરવાના કામોની યાદી બનાવીએ છીએ (ખરેખર?). આ તારીખ નક્કી કરવા માટે કેટલા બધાં પંચાંગ કે કેલેંડર છે! અને છતાં, આપણે ગ્રેગોરીયન કેલેંડર પર આજે સહમતી પર છીએ. સમય પાલનમાં આપણે 24કલાકની ઘડીયાળ અપનાવી લીધી છે. માપનની પધ્ધતી અને તોલમાપ માટે દુનીયામાં સહમતી છે (અમેરીકા કે ગણ્યાં ગાંઠ્યા દેશોને છોડીને). આપણે સીસ્ટમ ઈંટરનેશનલના ધારાધોરણ મુજબ મીટર, કીલોગ્રામ, સેકંડ, લીટર અપનાવી લીધા છે. દરેકે દરેક ક્ષેત્રમાં આજે દુનીયામાં સ્ટાન્ડર્ડ રખાતા થઈ ગયા છે, કે જેથી દુનીયાની મહત્તમ જનસંખ્યાને સુલભ ઉપલબ્ધી રહે. યુનીકોડ ફોંટ, 220 કે 110 વોલ્ટ, વીસીડી કે ડીવીડીની ફોર્મેટ, ઈલેક્ટ્રીક પ્લગનો આકાર, ટીવી પ્રસારણ માટેનો બેંડ, ટીવીસેટ, મોબાઈલ ફોનનો પ્રકાર, ફોન નમ્બર, પીન કોડ કે ઝીપ કોડ, વગેરે વગેરે વગેરે. યાદી કેટલી લાંબી થઈ શકે એનો અંદાજો પણ નથી. કલાપીની જેમ કહી શકાય? "જ્યાં જ્યાં નજર મારી ઠરે, યાદી ભરી ત્યાં આપની."

શું શાંતીપાઠનું ખરું પાલન થવું હવે જ શરું થયું છે? અને દુઃખની વાત એ છે કે, ભારત શાંતીપાઠ ગોખીને બેઠું રહ્યું અને પશ્ચીમે એનો ખરેખર અમલ કરી બતાવ્યો. આજની તારીખે પણ સ્ટાંડર્ડ નક્કી કરવામાં ભારત માત્ર અનુસરણ જ કરી રહ્યું છે. "દ્વેષ" તો ભારતના પ્રદેશો વચ્ચે કે એક જ પ્રદેશનાં લોકો વચ્ચેથી પણ દુર નથી થયો.

પ્રભુ, શાંતી, શાંતી, શાંતી (મારા મગજને ઠંડુ પાડ, પ્રભુ)!

માઈક્રો પ્રોસેસર

માઈક્રો પ્રોસેસર - ચીરાગ પટેલ Dec 24, 2007

માણસના શરીરમાં કેટલાં બધાં અવયવો છે! એમાંથી કેટલાંક દેખાય છે, જ્યારે કેટલાકનું કામ દેખાય છે. દરેક અવયવોને નીયંત્રીત કરતું અંગ છે - મગજ. જો મગજ બંધ તો બધું જ બંધ. દરેક જીવ કે યંત્રમાં કોઈ એક એવું અંગ હશે જ, કે જે સમગ્ર દેહ/યંત્રને સંચાલીત કરતું હશે. આ બ્લોગ (વીજાંશ) જે વીષયને સમજવા પ્રયત્ન કરે છે, તે કમ્પ્યુટર નામના યંત્રને આભારી છે. કમ્પ્યુટરને સંચાલીત/નીયંત્રીત કરતું અંગ છે - સેંટ્રલ પ્રોસેસીંગ યુનીટ (Central Processing Unit અથવા ટુંકમાં CPU). દરેક કમ્પ્યુટરમાં એક કે એકથી વધુ માઈક્રોપ્રેસેસર (Microprocessor) વડે સીપીયુ બને છે (આપણા મગજના જુદા જુદા ભાગ મળીને એક યુનીટ - મગજ બનાવે એ જ પ્રમાણે). માઈક્રોપ્રોસેસરમાં અસંખ્ય (કરોડોની સંખ્યામાં) સુક્ષ્મ ટ્રાંઝીસ્ટર(Transistor) હોય છે. મગજનાં જ્ઞાનતંતુઓની માફક જ આ બધાં ટ્રાંઝીસ્ટર ભેગાં મળીને કામ કરતાં હોય છે.

જેવી રીતે પ્રાણીની ઉત્ક્રાંતી થવાથી મગજનું કદ વધતું ગયું છે અને મગજની કામગીરી વધતી ચાલી છે, એવી જ રીતે માઈક્રોપ્રોસેસરની ક્ષમતામાં વધારો થતો જાય છે. Moore's Law (મુરનો નીયમ) પ્રમાણે દર 18 મહીને માઈક્રોપ્રોસેસરની ક્ષમતા બમણી થતી હોય છે. (એક ગુજરાતીને પોરસાવાનું આથી વધુ મોટું કારણ કયું હોય? જે રોકાણ 18 મહીને બમણું થતું હોય એમા કયો લાલો પાછો હટે?). પહેલવહેલા માઈક્રોપ્રોસેસરની જે ક્ષમતા હતી, એ કરતાં 1 કરોડગણી વધુ ક્ષમતા અને એના કરતાં 5મા ભાગનું કદ આજના પ્રોસેસરમાં છે! અને આ પ્રગતી માત્ર 25 વર્ષમાં જ થઈ છે (... ભારે ઝડપી ઉત્ક્રાંતી, ભારે કરી ... )!

આવા માઈક્રોપ્રોસેસરમાં ગાણીતીય અને તાર્કીક કામ કરવા માટે એ.એલ.યુ. (ALU or Airthmetic and Logic Unit) હોય છે. માહીતીનો સંગ્રહ કરવા મેમરી યુનીટ(MU or Memory Unit) હોય છે. કામકાજ કરવા હાથ-પગ જેવાં રજીસ્ટર (Registor) હોય છે. આ બધાં યુનીટ કેટલાં બીટની માહીતી એકસાથે આપ-લે કરે છે એના પરથી એમના નામ પડે છે. જેમ કે, 8-બીટ, 16-બીટ, 32-બીટ અને 64-બીટ મશીન. એટલે કે, માઈક્રોપ્રોસેસર એના એક કોળીયામાં આટલા બીટની ક્ષમતાનો માહીતીનો જથ્થો લઈ શકે છે (બસ, વધુમાં વધુ 64-બીટ? આપણે બંદા તો એક કોળીયામાં ચોખાનાં 150 દાણા ખાઈ શકીએ ;-) ). 8-બીટ એટલે 1 બાઈટ એવું યાદ છે ને?

પહેલ વહેલું માઈક્રોપ્રોસેસર ઈંટેલ (Intel) કમ્પનીએ 4004, ટેક્ષાસ ઈંસ્ટ્રુમેંટ્સ (Texas Instruments) TMS 1000, અને ગેરેટ એઆઈ રીસર્ચ (Garrett AiResearch) CADC બનાવ્યું હતું. આ ત્રણેય લગભગ સાથે-સાથે જ બઝારમાં મુકાયા હતાં. આ બધાં 1970ની આસપાસ 4-બીટના માઈક્રોપ્રોસેસર તરીકે આવ્યાં હતાં.

ડ્યુઅલ કોર પ્રોસેસર (Dual-core Processor) હવે વપરાશમાં આવતાં જાય છે. 64-બીટના પ્રોસેસરનું કદ એટલું જ રાખીને એમાં બે પ્રોસેસર ફીટ કરવાથી ડ્યુઅલ કોર પ્રોસેસર બને છે (આપણી એક ખોપરીની અંદર, ખોપરીનું કદ વધાર્યા વગર બે મગજ ફીટ કરી દઈએ, એવું)! એ જ પ્રમાણે હવે તો ક્વૅડ કોર (Quad-core) અને એઈટ કોર (Eight-core) પ્રોસેસર અમુક હાઈ-પ્રોસેસીંગ સીસ્ટમમાં વપરાય છે (એક જ ખોપરીમાં આઠ મગજ!!!).

આપણે બોલચાલની ભાષાને સાંકેતીક શબ્દોમાં ફેરવીએ તો અક્ષરોની સંખ્યા ઘટાડી શકીએ. ૐ કે સ્વસ્તીક આનું પ્રાચીન ઉદાહરણ છે. એ પ્રમાણે માઈક્રોપ્રોસેસરની માહીતીની આપ-લે કરવાની જે ભાષા છે, એના શબ્દો ઘટાડીને જે માઈક્રોપ્રોસેસર બને છે એમને રીસ્ક પ્રોસેસર (RISC or Reduced Instruction Set Computer) કહે છે. માઈક્રોપ્રોસેસરની ભાષાને એસેમ્બ્લી લેંગ્વેજ (Assembly Language) કહે છે. એમાં પણ પ્રગતી થઈને હવે 64-બીટ પ્રોસેસર મળે છે એને સીસ્ક (CISC or Complex Instruction Set Computer) કહેવાય છે. આમ, માઈક્રોપ્રોસેસરનું કદ, માહીતી આપ-લે ક્ષમતા, ભાષા દરેકમાં ધરખમ ફેરફાર આવતાં જ જાય છે. (આપણે આપણા વીચારોને ભાષાનાં વાઘાં પહેરાવ્યાં વગર જ્ઞાનતંતુઓની આપ-લેની વીજ-રાસાયણીક ભાષામાં વાત કરી શકીએ?)

માઈક્રોપ્રોસેસરને માઈક્રોકંટ્રોલર (Micro-controller), ડીજીટલ સીગ્નલ પ્રોસેસર (Digital Signal Processor or DSP), સીસ્ટમ ઓન ચીપ (SoC or System-on-Chip) વગેરે નામે પણ ઓળખવામાં આવે છે. ખાસ કામ માટે વપરાતાં માઈક્રોપ્રોસેસરને જે તે કામ મુજબનું નામ આપવામાં આવે છે. જેમ કે, ગ્રાફીક્સનું કામ કરતાં પ્રોસેસરને GPU or Graphics Processing Unit કહે છે.

જુદી-જુદી કમ્પનીના પ્રોસેસરની ડીઝાઈનમાં થોડાં પાયાનાં ફેરફાર હોય છે. ઈંટેલના પ્રોસેસર લીટલ એંડીયન(Little Endian) કહેવાય છે, જ્યારે પાવર પીસી (PowerPC) બીગ એંડીયન (Big Endian) કહેવાય છે. 32-બીટ પ્રોસેસર હોય અને લીટલ એંડીયન હોય તો બીટ 0નું સ્થાન જમણી બાજુ હોય અને બીટ 31 ડાબી બાજુ હોય, જ્યારે બીગ એંડીયનમાં બીટ 0નું સ્થાન ડાબી બાજુ અને બીટ 31નું સ્થાન જમણી બાજુ હોય (આપણે આપણું મોઢું અરીસામાં જોઈએ તો કેવું પ્રતીબીંબ કેવું પલટાયેલું લાગે છે, એવું જ).

કેટલાંક પ્રચલીત પ્રોસેસર બ્રાંડ: 65xx, ARM, RCA, DEC, Intel, MIPS, Motorola 6800, IBM POWER, OpenRISC, PA-RISC, SPARC, AMD, Xilinx વગેરે.

ઈતીશ્રી માઈક્રોપ્રોસેસર કથાયૈ નમઃ॥

Saturday, December 08, 2007

ધૈર્ય

ધૈર્ય - બંસીધર પટેલ Nov 16, 1994

ધૈર્ય ધરો ઓ મનવા,
કાળની થાપટ ખાઈને.

ઉડતાં પંખેરું નીલ ગગનમાં,
એ જ ધૈર્યનાં વીશ્વાસે.

તૃષા હોય બેહદ જીવન જળની,
ભમતું એ વીહગ સ્વબળે.

ઉતાર-ચઢાવ વાળો જીવન તણો એ રાહ,
વીશ્વાસ સ્વ તણો કરે પાર.

જીવનપુષ્પ

જીવનપુષ્પ - બંસીધર પટેલ Nov 16, 1994

ખીલેલું એ પુષ્પ ઉપવનની શી શોભા ન્યારી,
ભરીને અરમાનો તણા આભ, ઉમંગે કુદે બલીહારી.
વીવીધ રંગો, ભાત-જાત ઘણી, કરામત પ્રભુની પ્યારી;
તાજગીથી તરબોળ સ્મીત, કેટલી ઉર્મીઓ ઉછાળા મારતી.

ભલે હોય અલ્પાયુ, છતાં દેવશીરે પ્યારું;
કરમાય છતાં એ ના વીસરે સ્મીત અતી રુપાળું.
મર્યાદા જીવનતણી, રાખે એ સદાય તરવરતું;
આપે રુડી શીખ, ઉર્મીઓના ઉદધી પ્રસરાવતું.

સુવાસ તણો સહારો એ કદીય ના વીસરતું;
જડેલી જન્મ-જીવન-મૃત્યુ લગી, પરસ્પર સંવારતું.
છોને થાય નાશ જીવનનો, રહેતી સુવાસ નીખારતું;
બાળ સહજ એ હાસ્ય, સદાય ઉપવનને શોભાવતું.

વહેવાર

વહેવાર - બંસીધર પટેલ Nov 16, 1994
વહેવાર બન્યાં છે શુષ્ક,
દુકાળ પડ્યો છે કાળનો.

આથમે ઉગે નીત્ય સુરજ,
એ નીત્યક્રમ કદી ના ચુકતો.

મોંઘવારીનો ભોરીંગ ફુંફાડા મારતો,
સસ્તો બન્યો છે એક મનુષ્ય.

મારી-તારી ને કાપા-કાપી,
એક વહેવાર એ જ જગતનો.

નવલું પ્રભાતનું નજરાણું,
કે આથમતો એ ક્ષીતીજમાં.

રહે સદાયે અડગ નીજ પથમાં,
ના ચુકતો એ કદીયે વહેવાર.

કેવી ઘંટી

કેવી ઘંટી - બંસીધર પટેલ Nov 16, 1994

કહેવું શું આજની આ જંજાળને,
ભમે છે બનીને વાનરસેના.

ભણતર ગણતરનું નામો નથી નીશાન,
ટીવી, ટેપ વ્યસન તણાં અનીષ્ટ.

વહે છે ઉલટી ગંગા, લઈ ડુબાડશે સંસ્કૃતી,
વાંસ-વાંસળીની ઉક્તી કહે સહી.

દલીલબાજીની વીંઝી તલવાર કરે અપમાન,
વડીલ-ગુરુ-મા-બાપનું બેહદ.

પહેરવેશનું પણ નથી લગારે ભાન,
મુખતણું તેજ સહુ શુષ્ક ભાસે.

નરમાંથી બને નારી, સ્ત્રી પણ બને પુરુષ,
બહુરુપીના ખેલ બધાં ન્યારા.

વર્તુળની વ્યાખ્યા ઘણી પ્યારી દેતી શીખ,
જ્યાંથી કરેલ શરું ત્યાં જ પુનઃ પધારતાં.

સમયની સરગમ સાધે અકળ ભવીષ્યનું,
કરશે કોળીયો, લગીરે ના વાર ક્ષણની.

ચેતવું હોય તો ચેતજો, ઓ નર-નાર જગતનાં,
પીસે ઘંટીમાં બારીક, દેખે ખેલ સહુ ઉપરવાળો.

સમય સાથી

સમય સાથી - બંસીધર પટેલ

પળ, દીવસને રાત વહી, વરસોનાં વાયા વહાણાં;
બાળક, જુવાનને પ્રૌઢ મટી, વીતાવ્યાં વરસ અતીઘણાં.
દાઢી, મુછ ને માથે સફેદી, શ્વેત રંગ તે ધર્યો બહુધારી;
અંગ, બંગ સહુ બન્યાં છે વેરી, ઢીંચણમાં વા ગયો છે પ્રસરી;
કર્ણ, નયન, મુખ બન્યા અબુધ, દેતા હોંકારો બેવાર તડુકી.

છોને બન્યા વહુ, સુત સહુ વેરી, સાથ સમાગમ આતમનો;
ભણતર, ગણતર ના બન્યાં કોઈ પ્રેમી, મીલકત, માલ તમામનો.
હેલાં, હલેસાં, ખાતા, માતા છીએ કેદી, ધાન ગરજની આપ્તજનોની;
મેણાં, ટોણાં મળે મફતમાં, કાળને પાછો ઠેલી, મળે ના પ્રેમ સકળજનોના.

હાથવગાં છે સ્નેહી મારા, ટોપી, તીલક ને લાકડી;
સવાર પડે કે સાંજે મળતાં, સમદુઃખીયા સહુ લાડથી.
ચોતરો બન્યો છે આધાર અમારો, ચર્ચા, વાર્તા કરતાં સહુ વ્હાલથી;
શ્વાસ - પ્રશ્વાસ છે ભેરુ અમારા, પડી ના કોઈ પથવારની.

Sunday, December 02, 2007

અર્થવીસ્તાર: અવતારની લીલા સમાપ્તી

અર્થવીસ્તાર: અવતારની લીલા સમાપ્તી - ચીરાગ પટેલ Dec 02, 2007

મેં "અવતારની લીલા સમાપ્તી" પર જે કલ્પના લખી હતી, એનો અર્થવીસ્તાર નીચે રજુ કરી રહ્યો છું. દરેક પંક્તી મુળ લેખમાંથી લઈને નીચે એનો અર્થ સમજાવ્યો છે.
-------------------------------
ઘનઘોર વાદળો.
કાજળઘેરી રાત.
શ્યામ રંગે ઉંઘતુ આકાશ.

કલ્પનાની શરુઆત થાય છે શ્યામલ વાદળો આકાશમાં છવાય છે. કોઈ પણ સમયે મેઘીલ વાદળો એક પ્રકારનો રોમાંસ જન્માવતા હોય છે. એના લાગણી-પ્રવાહથી કોણ અછુતો રહી શકે? અને એવાં શ્યામલ મેઘભરી અમાસની રાત્રીએ પૃથ્વી પરથી આકાશ કેવું ભાસે? જાણે કે, આખું આકાશ શ્યામરંગી ધાબળો ઓઢીને ઉંઘી રહ્યું હોય! એવા સમયે, સીધ્ધ/સંત/અવતાર પુરુષ/સ્ત્રી પોતાનો ક્ષર-દેહ ત્યજીને અક્ષર-પડાવે ગંતવ્ય થાય છે.

શીતળતા બક્ષતો ચન્દ્રમા.
શરમના શેરડા પાડતો સુર્ય.
ટમટમતા તારલા.

થોડી ગતી બાદ, એ આત્મા આકાશને પાછળ છોડીને અવકાશમાં પ્રવેશ કરે છે. ત્યારે તેને શું દેખાય છે? ચન્દ્રનો શીતળ પ્રકાશ એક બાજુ રેલાઈ રહ્યો છે, અને સુર્યનો નારંગી/પીળો પ્રકાશ બીજી બાજુ રેલાઈ રહ્યો છે. સુર્ય જાણે શરમીંદગી અનુભવતો લાગે છે. અવકાશના અનંત વીસ્તૃત પટમાં નાના-નાના અસંખ્ય તારાઓ ટમટમે છે.

ઝબકીને ઝાકળવત જીવતી ઉલ્કાઓ.
અવકાશમાં આગળ ગતી કરતો એ આત્મા ક્ષણાર્ધમાં નાશ પામતી ઉલ્કાઓના સંસર્ગમાં આવે છે.

નવ ગ્રહોથી અનુપમ શોભતી માળા.
ધુમકેતુઓની ધુમ્રસેરોનો પડાવ.

પ્રવાસી આગળ અને આગળ વધતો સુર્યમાળાના છેલ્લા ગ્રહ 'પ્લુટો' કે 'યમ'ને વળોટી રહ્યો છે. એવે વખતે, તે નવ ગ્રહો જાણે કોઈ માળાનાં મણકાં હોય, એવું જોઈ રહ્યો છે. હજુ આગળ વધતાં, તેને 'ઉર્ટ'ના વાદળ તરીકે ઓળખાતા લાખો ધુમકેતુઓનાં સ્થાનનો ભેટો થાય છે. આ વાદળમાંથી કેટલાંય ધુમકેતુ સુર્ય તરફ આકર્ષાઈને લંબવર્તુળીય કક્ષામાં ભ્રમણ શરું કરતા હોય છે.

મનોહારીણી આકાશગંગાનો ઝગમગતો પટ.
અબજો ટન ઓહીયા કરતા કૃષ્ણ-વીવરો.
શક્તીનો મહાવીસ્ફોટ કરતા શ્વેત-વીવરો.

ઉર્ટના વાદળને પાર કરતાં જ, પ્રવાસી બાહ્યાવકાશમાં પ્રવેશે છે. વાહ, કેવો અદ્ભુત નઝારો! કેટકેટલી આકાશગંગાઓ તેને જોવા મળે છે. ક્યાંક-ક્યાંક આજુબાજુના પદાર્થો (સુર્ય જેવા તારાઓ)ને નીગળી જતાં કૃષ્ણ-વીવરો (બ્લેક હોલ) તે જુએ છે. ઘણી જગ્યે તો આ કૃષ્ણ-વીવર અને શ્વેત-વીવર (વ્હાઈટ હોલ) જોડાયેલાં બોગદા જેવા ભાસે છે. શ્વેત-વીવરો, કૃષ્ણ-વીવરોથી ઉલટું એટલે કે, નવાં-નવાં પદાર્થોને જન્મ આપવાનું કામ કરે છે. જાણે કે, પ્રચંડ ઉર્જાનાં સ્ફોટ થતાં હોય એવું જગત ભાસી રહ્યું છે.

ગુરુત્વાકર્ષણની ચાદરથી બન્ધાયેલુ વીશ્વ.
આખું બ્રહ્માંડ ગુરુત્વાકર્ષણની અનંત અંતર સુધી વીસ્તૃત એવી અદ્રશ્ય ચાદરથી ઝીલાયેલું હોય તેવું લાગે છે.

શુન્યમા અનુભવાતી સુક્ષ્મ ઉષ્ણતા.
આપણે સેલ્સીયસ કે ફેરનહાઈટમાં તાપમાન માપીએ છીએ. પરંતુ, વૈજ્ઞાનીકો કેલ્વીનમાં તાપમાન માપતા હોય છે. સેલ્સીયસ તાપમાનમાં 273 ઉમેરતાં કેલ્વીનમાં આંકડો મળે. જેમ કે, 0 સેલ્સીયસ (પાણીના બરફનું તાપમાન) એટલે 273 કેલ્વીન અને 100 સેલ્સીયસ (પાણીની વરાળ) એટલે 373 કેલ્વીન. 0 કેલ્વીન એટલે કે -273 સેલ્સીયસ તાપમાને પદાર્થમાં રહેલાં સબ-એટમીક પાર્ટીકલ (ઈલેક્ટ્રોન) ગતી કરતાં અટકી જાય છે (પદાર્થની આ અવસ્થાને 'બોઝ-આઈંસ્ટાઈન કંડેંસેટ' કહે છે). વૈજ્ઞાનીકોએ એવું સાબીત કર્યું છે કે, બ્રહ્માંડની પૃષ્ઠભુમી (બેકગ્રાઉંડ)નું તાપમાન 3 કેલ્વીન જેટલું હોય છે, અર્થાત એ ઓછામાં ઓછું આટલું ગરમ (?) હોય છે. આપણા પ્રવાસીને બ્રહ્માંડના શુન્યાવકાશમાં આ ગરમીનો એહસાસ થાય છે!

વણજોયેલુ અનુભવાતુ મહત-તત્વ.
બ્રહ્માંડનો મોટોભાગ મહત-તત્વમાંથી બનેલો છે. પરંતુ, એ તત્વ કોઈ પણ રીતે આપણે જોઈ કે અનુભવી શકતા નથી. આત્માને આ તત્વનો ભાસ થવા લાગે છે. સૃષ્ટીનું રહસ્ય જાણે તેની સમક્ષ પ્રગટ થવા મથી રહ્યું છે.

અફાટ અને વીરાન એકલતામા અસ્તીત્વનો આભાસ.
ક્યાંય પણ કોઈ પણ સાથી વગર, પ્રવાસી આત્મા ગંતવ્ય સ્થાન તરફ ધસમસી રહ્યો છે. તેને પોતે કોણ છે, એનો અનુભવ થવા લાગે છે. મુળ સ્વરુપ તેની આગળ પ્રગટ થવા જ આવી રહ્યું છે.

દુર-સુદુર સમ્ભળાતો ચીર-પરીચીત શાશ્વત શાંતીનો આંતર્નાદ.
હ્રદય વગર અનુભવાતુ આનન્દોર્મીઓનુ દોલન.

શાશ્વત શાંતીમાં પણ અનહદ આનંદ હોય છે. આ જ આનંદ એક પ્રકારના ભાવ જગતને આંદોલીત કરતો હોય છે. આંદોલન જે વમળો જન્માવે છે, એ એક પ્રકારના અવાજનાં કંપનો જેવાં કંપનો જ હોય છે. આ કંપનો હવે આત્મા સાંભળી શકે છે! કોઈ પણ બાહ્ય-ઈન્દ્રીયો વગર આ કંપનો અનુભવાય છે!

મન વગર દેખાતો અસ્તીત્વને ઝમકોરતો સર્વસ્વનો પ્રકાશ.
એક વીશાળ પરપોટા જેવુ દેખાતુ બ્રહ્માંડ.
એને ભેદીને એક સમુદ્રમા ઉઠતી અગનજ્વાળા.
એ અગ્નીશાખાનુ અધોગમન અને ઓમકારના ‘મ’ ધ્વનીનુ શમન.
એક સીધ્ધ, સંત કે અવતારનો ઉદ્ભવ અને ઉદ્દેશ્ય પુર્ણ થતા સ્વગ્રુહે આગમન.

પ્રવાસી હવે બ્રહ્માંડની પરીમીતી ઓળંગવાની તૈયારીમાં છે. તેને થોડે જ દુર સમગ્ર સ્થાનને ભરી દેતો અને સંચાલીત કરતો પ્રકાશ દેખાય છે. એ જ છે સર્વ-શક્તીમાન, પરમ-આત્મા, પ્રભુ, ઈશ્વર, કૃષ્ણ, જગદંબા? આવો આ પ્રકાશ એક વીશાળ સમુદ્ર જેવો ભાસે છે. આ સમુદ્રમાં બ્રહ્માંડ જાણે તરી રહ્યું હોય એમ લાગે છે. આ બ્રહ્માંડની સીમાને ભેદીને હવે પ્રવાસી આત્મા એક અગ્ની-શીખા સો લાગી રહ્યો છે. આ અગ્ની-શાખા પ્રકાશ-સમુદ્રમાં ભળી જાય છે. પ્રવાસનો અંત આવે છે. ઓમકારનાં 'મ'કારનું કંપન પુરું થાય છે. અહીં, એવી કલ્પના કરવામાં આવી છે કે, જ્યારે જ્યારે પ્રકાશ-સમુદ્રમાં 'અ'કારનાં કંપનો જન્મે છે, ત્યારે અનંત-પ્રકાશ-સમુદ્ર પૃથ્વી પર કોઈ સીધ્ધ/સંત/અવતારને જન્મ આપે છે. 'ઉ'કારન કંપનો રહે ત્યાં સુધી એનું જીવન રહે છે. અને 'મ'કારની શરુઆત થતાં જ તે દેહ છોડીને 'મ'કારનાં કંપનો પુરા થતાં જ પાછો અનંતમાં ભળી જાય છે.

Wednesday, November 28, 2007

ગીતા મારી માત

ગીતા મારી માત - બંસીધર પટેલ

સમય સારથી, દેહ રથ, મન અશ્વ, આતમ છે અર્જુન;
ના-મરદને પણ મરદ બનાવે, એ દીવ્ય ગીતાકેરું જ્ઞાન.

વીજ્ઞાન પણ અસમર્થ છે, ગીતાજ્ઞાન સનાતન સત્યદ્યોતક;
મીઠાની પુતળી નીસરી માપવા ગહેરાઈ સમંદરની, સમાણી સદેહે.

સોળે કળાએ સંપન્ન જ્ઞાન, જીવનકળાની ખરે જ પ્રયોગશાળા;
નથી ઉણપ કોઈ વીષયની, ઉભા કર્યા કંઈ પાર્થને ધનુષબાણ લઈ.

નથી સગા સાચા કોઈ, દુનીયા દોરંગી, કપટી સ્વાર્થનું ભાન કરાવી;
આપ્યો ઉપદેશ યોગેશ્વરે અતીગહન, પામવા મથતા ગુરુજન ઋષીઓ.

કર્મ, ધર્મ, જ્ઞાન તણો સંગમ અનેરો પાવન, મન મેલ ધોઈ દેનારો;
અભડાયેલા, અટવાયેલા, સંસારદાહથી દઝાયેલા બહુજન.

મળે છે શાતા, ચીર શાંતી વીપુલ, જ્ઞાનનો ભંડાર ધરખમ ખરો;
ભાંગ્યા જનોની ભેરુ સાચી, માત ગીતા દુઃખ વીદારનારી.

બનીને કર્મઠ યોધ્ધા, થાઓ ઉભા ઓ દુનીયાના પાર્થ સર્વે;
લડો સામી છાતીએ, કર્મ-જ્ઞાનરુપી ધનુષબાણના સથવારે.

સોડલા તાણીને ઉંઘ્યા ખુબ, ના જોયું કદી કલ્પવૃક્ષ ગીતા ભણી;
સંસ્કૃતીના આધારસ્થંભ ચાર, ગીતા, ગાય, ગંગા, ગાયત્રી.

મજબુત હોય જો ચારેય સ્થંભ, ઈમારત ટકે ચીરકાળ લગી;
ગીતા એવો આધારસ્થંભ, ના ખરે કાંકરી, અડીખમ ઉભી.

મલેચ્છોએ કર્યા વાર, ના થયો ઘા, એવી દીવ્યશક્તી;
ધર્મ, અર્થ, કામ અરુ મોક્ષ, ચતુર્વીધ ફળપ્રદાયીની.

માંગો જે બધું મળશે મહીં, ખોલી જુઓ ગીતામાતને;
ધરતી પરનું સાચું સ્વર્ગ, કલ્પવૃક્ષ જનની ગીતાભારતી.

Sunday, November 04, 2007

યુનીકોડ ફોંટ

યુનીકોડ ફોંટ - ચીરાગ પટેલ Nov 04, 2006

આપણે જોઈ ગયા, કે દરેક કેરેક્ટરને એક ચોક્કસ બાઈટ સંખ્યા વડે દર્શાવાય છે. એક બાઈટ, એટલે 8 બીટ અથવા 2 નીબલ, વડે 0થી લઈને 255 સુધીની જ સંખ્યા સમાવી શકાય. એટલે પ્રચલીત ભાષાઓમાં લખાણ માટે જે તે ફોંટ બનાવનારે આ મર્યાદામાં રહીને જ અક્ષરો દર્શાવવાના થયાં. અને એમાં પણ ભારે ઉથલ-પાથલ મચી ગઈ. એક જણે ગુજરાતીના 'ક' માટે 78નો અંક રાખ્યો અને બીજાએ 98નો અંક રાખ્યો. આમ, એક ફોંટમાં લખેલી ફાઈલને ખોલવા માટે બીજો ફોંટ લગભગ નકામો! અને વીચારો કે ગુજરાતીમાં લખેલી ફાઈલને ઈંગ્લીશ કે અરેબીકમાં ખોલીએ તો...

આ બધી અંધાધુંધી જો કે ઈંગ્લીશ સીવાયની લીપી માટે રહી. ઈંગ્લીશમાં તો જુદાં જુદાં ફોંટ વાપરવા છતાં અક્ષરો દર્શાવવાની સંખ્યા તો ચોક્કસ જ રહી. એટલે, ટાઈમ્સમાં લખેલી ફાઈલ એરીયલ ફોંટ વડે ખુલે તો ખરી જ. માત્ર, જે તે અક્ષરના વળાંકો અલગ રીતે જોવા મળે. આવું કાંઈક બીજી બધી લીપી માટે વીચારી શકાય?

આ જ પ્રશ્નમાંથી યુનીકોડને નીયમબધ્ધ કરવાની શરતો નક્કી થઈ. યુનીકોડમાં UTF-7, UTF-8, UTF-16 વગેરે અલગ-અલગ નીયમો પ્રચલીત થયા. અને યુનીકોડમાં ફોંટ બનાવવા માટે બે બાઈટનો ઉપયોગ કરવાનું વીચારાયું. આમ, બે બાઈટ વડે 0થી લઈને 65535 સુધીની સંખ્યા લખી શકાય, એટલે દુનીયાની દરેક પ્રચલીત લીપી માટે ચોક્કસ સંખ્યા-ગાળો નક્કી કરવામાં આવ્યો. હવે તો, 4 બાઈટના યુનીકોડ વીશે પણ વીચારણા ચાલી રહી છે! એટલે 0થી લઈને 65535 * 65535 સુધીની સંખ્યા દર્શાવી શકાય!

UTF-8 એ આસ્કી કેરેક્ટર સાથે સારી રીતે સુસંગત થાય છે, એટલે વધુ પ્રચલીત છે. આપણે, લીપી પ્રમાણે થોડી સંખ્યાઓ જોઈએ.

દેવનાગરી - 0x0900 - 0x097f
ગુજરાતી - 0x0a80 - 0x0aff

વધુ માહીતી માટે જુઓ: http://en.wikipedia.org/wiki/Basic_Multilingual_Plane#Basic_Multilingual_Plane

હવે, ગુજરાતીના દરેક અક્ષર માટે ઉપર દર્શાવેલા અંતરાલમાંથી એક ચોક્કસ સંખ્યા નક્કી થઈ છે. જેમ કે, 'ક' માટે 0x0a95, 'ૐ' માટે 0x0ad0, વગેરે. વધુ માહીતી માટે જુઓ: http://en.wikipedia.org/wiki/Gujarati_script

વીંડોઝ એક્ષ.પી. સાથે શ્રુતી ફોંટ આવે છે જે યુનીકોડ છે. એ ફોંટમાં લખેલી ફાઈલને બીજા કોઈ યુનીકોડ ફોંટ વડે ખોલીએ તો આપણને 'ક' જ્યાં હોય ત્યાં જ દેખાશે, પરંતુ એ જુદા ફોંટ વડે મરોડમાં થોડો ફેર હોઈ શકે. આમ, યુનીકોડ વડે દરેક અક્ષરનું ચોક્કસ સંખ્યા-સ્થાન નક્કી થઈ ગયું છે, જેણે ઈંટરનેટના વપરાશમાં ક્રાંતી લાવી દીધી. પહેલાં તો જે તે વેબ-સાઈટ પોતાના ફોંટ બનાવે જે ડાઉનલોડ કરવા પડે, અને તો જ જે તે સાઈટ દેખાય. જ્યારે હવે તો, યુનીકોડમાં બનેલી સાઈટ જોવા એવું કરવાની જરુર નથી પડતી (જો કે, અમુક અપવાદ હોઈ શકે છે).

www.bhashaindia.com પરથી આસ્કી <-> યુનીકોડ બન્ને રીતે ફાઈલને પરીવર્તીત કરવાને યુટીલીટી ડાઉનલોડ કરી શકાય છે (TBILconverter). વિશાલે પણ www.gurjardesh.com પર ઓનલાઈન યુટીલીટી મુકી છે.

Friday, November 02, 2007

અવતારની લીલા સમાપ્તી

અવતારની લીલા સમાપ્તી - ચીરાગ પટેલ

ઘનઘોર વાદળો.
કાજળઘેરી રાત.
શ્યામ રંગે ઉંઘતુ આકાશ.
શીતળતા બક્ષતો ચન્દ્રમા.
શરમના શેરડા પાડતો સુર્ય.
ટમટમતા તારલા.
ઝબકીને ઝાકળવત જીવતી ઉલ્કાઓ.
નવ ગ્રહોથી અનુપમ શોભતી માળા.
ધુમકેતુઓની ધુમ્રસેરોનો પડાવ.
મનોહારીણી આકાશગંગાનો ઝગમગતો પટ.
અબજો ટન ઓહીયા કરતા કૃષ્ણ-વીવરો.
શક્તીનો મહાવીસ્ફોટ કરતા શ્વેત-વીવરો.
ગુરુત્વાકર્ષણની ચાદરથી બન્ધાયેલુ વીશ્વ.
શુન્યમા અનુભવાતી સુક્ષ્મ ઉષ્ણતા.
વણજોયેલુ અનુભવાતુ મહત-તત્વ.
અફાટ અને વીરાન એકલતામા અસ્તીત્વનો આભાસ.
દુર-સુદુર સમ્ભળાતો ચીર-પરીચીત શાશ્વત શાંતીનો આંતર્નાદ.
હ્રદય વગર અનુભવાતુ આનન્દોર્મીઓનુ દોલન.
મન વગર દેખાતો અસ્તીત્વને ઝમકોરતો સર્વસ્વનો પ્રકાશ.
એક વીશાળ પરપોટા જેવુ દેખાતુ બ્રહ્માંડ.
એને ભેદીને એક સમુદ્રમા ઉઠતી અગનજ્વાળા.
એ અગ્નીશાખાનુ અધોગમન અને ઓમકારના ‘મ’ ધ્વનીનુ શમન.
એક સીધ્ધ, સંત કે અવતારનો ઉદ્ભવ અને ઉદ્દેશ્ય પુર્ણ થતા સ્વગ્રુહે આગમન.

Tuesday, October 30, 2007

બ્રહ્માંડનાં કેટલાં પરીમાણ?

બ્રહ્માંડનાં કેટલાં પરીમાણ? - ચીરાગ પટેલ Oct 30, 2007

આપણે કેટલાં પરીમાણો અનુભવી શકીએ છીએ? ત્રણ, ચાર? હા, આપણે ઈંદ્રીયો દ્વારા લંબાઈ, પહોળાઈ, ઉંચાઈ અને સમયને અનુભવી શકીએ છીએ. અને આપણે આ ચાર પરીમાણમાં વીચારી કે કામ કરી શકીએ છીએ. આપણને આ બાબતે ગણીત ખુબ જ મદદરુપ થાય છે. ઘણાં મીત્રો સારણી કે મેટ્રીક્સ(Matrix) ભણ્યાં હશે. ઘણાં મીત્રોએ ટેંસર એનેલીસીસ પણ કર્યું હશે. આ બધી ગાણીતીક સહાય-સામગ્રી આપણને 1થી શરુ કરીને તમે વીચારી શકો એટલાં પરીમાણ (Dimension) માટે ગણતરી કરતાં અને માહીતીનું પૃથક્કરણ કરતાં મદદરુપ થાય છે.

ઘણાં બધાં ભૌતીકવીજ્ઞાનીઓ માને છે કે આપણું બ્રહ્માંડ 10 પરીમાણનું બનેલું હોવું જોઈએ. જેમ-જેમ આપણે ઉત્ક્રાંતી કરતાં જઈશું, તેમ-તેમ નવા-નવા પરીમાણો આપણી અનુભુતીમાં ખુલતાં જશે. અને આપણો બ્રહ્માંડને જોવાનો નજરીયો પણ બદલાતો જશે!

એક ઉદાહરણ લઈએ. કોઈ માત્ર દ્વીપરીમાણને અનુભવતો જીવ પૃથ્વીની સપાટી પર 10kmની ત્રણ સરખી બાજુઓ વાળો ત્રીકોણ દોરે તો એ ત્રીકોણ આપણને કેવો દેખાય? માત્ર બે પરીમાણમાં દોરાતાં ત્રીકોણનાં ત્રણે ખુણાઓનો સરવાળો 180 અંશ થાય છે. એટલે પેલા જીવને તો તેનો ત્રીકોણ એકદમ સચોટ લાગશે. જ્યારે આપણને? આપણાં માટે એ ત્રીકોણનાં ખુણાઓનો સરવાળો 180 અંશ કરતાં વધી જશે!!! પેલા જીવને પૃથ્વીની ગોળાઈ અનુભવાતી નથી, જ્યારે આપણે એ અનુભવી શકીએ છીએ. હવે આ જ તર્ક પર આગળ વધતાં જઈએ અને વીચારીએ, કે જો આપણી અનુભુતીમાં માત્ર એક પરીમાણ નવું ઉમેરાય તો દુનીયા કેવી થઈ જાય? અને ઘણાં વૈજ્ઞાનીકો તો બ્રહ્માંડને 10 પરીમાણ હોવાની વાત કરે છે. આવું વીશ્વ કેવું હશે?

ઘણાં મીત્રો જાણતાં હશે, કે બ્રહ્માંડનો 97% ભાગ અદ્રશ્ય પદાર્થનો બનેલો છે! જે દ્રશ્ય જગત છે (તારા, નીહારીકા, આકાશગંગા, બ્લેકહૉલ(કૃષ્ણ વીવર) વગેરે) એ તો માત્ર એક નાનો-શો અંશ છે. આ ખોવાયેલા જગત વીશે કલ્પના કરાય છે, કે તે ડાર્ક-મેટર કે ન્યુટ્રીનો નામનાં કણનું બનેલું છે; જે આપણા આજનાં સાધનો વડે જાણી શકાતું નથી. હવે, જો કે ન્યુટ્રીનો પકડાયાં છે. પણ એમાં નવો ફણગો ફુટ્યો છે, કે ન્યુટ્રીનો માત્ર 16% દ્રવ્ય છે. હજી, 81%નો પત્તો મેળવવો બાકી રહ્યો છે.

તાજેતરમાં આ વીશે એક નવી થીયરી ઉભી થઈ છે. આપણાં જેવાં અનેક બ્રહ્માંડ હોવાનું હવે વૈજ્ઞાનીકો સ્વીકારે છે. (આપણાં શસ્ત્રોની 14 બ્રહ્માંડવાળી વાત સાચી?) હવે બે બ્રહ્માંડ આપણાં અનુભવનાં બહારનાં પરીમાણમાંના કોઈ પરીમાણમાં એક-બીજા સાથે અથડાય તો શું થાય? એ જ કે, આપણાં 81% દ્રવ્યનો જથ્થો બીજા બ્રહ્માંડનો હોય અને આપણે એ અનુભવી શકતાં ના હોઈએ!

આગળ ફરી ક્યારેક આ બાબતે ચર્ચા...

Saturday, October 27, 2007

અનંતની સફરે

અનંતની સફરે - બંસીધર પટેલ

પાંખો નથી તો શું થયું, મન કેરી પાંખે હું ઉડું ગગન વીહારે;
દુર-સુદુર અવકાશે ઘુમતો, ભાસે અનંત બ્રહ્માંડ ખુબ પાસે.
શાંત, અતી શાંત, શુન્યને પણ ભેદતો, નીજની ખોજમાં અતીદુર;
ઉડું હજી ઉડું આભથી પણ ઉંચે ઘણે, અથાગ, વીહરતો સુદુર.
નથી સાથી મમ સંગાથે કોઈ, છતાં લાગે ના લગીરે ડર.

જુઓ ભલે તમે આસમાની રંગ, મારી આંખે જોવો અદભુત રંગ;
ચુંદરડી ઓઢેલી નવોઢાની જેમ, આસમાની ચુંદડી સોહાય નવરંગ.
નીરાકારમાં આકાર ભાસે, નીતાંતમાં અંત, અંધકારમાં ઉજાસ ઘણો;
નક્ષત્ર, અરુ તારલાઓના સંગે, સુરાવલી મનભાવન સુણાય જાણે.
મોતીઓના આભલે મઢેલું અવકાશ, શી સુંદરતા મનમોહક.

નથી વીસામાનું નામ-નીશાન, બસ ઉડતો જાઉં મન અશ્વારુઢ;
કેમે કરીને ના ફરું હું પાછો, લાલચ રોકી ના રોકાય ભલી.
ભલે હું નાચું મન-તોખારના સંગે, લગામ ઢીલી ખેંચી કોણે?
આવ્યો હું ભાનમાં, છતાં અભાનમાં, હોંશકોંશ ઉડી ગયા, બની આભો;
સ્થુળતામાં ના આવું કદી, પણ કરું શું લાચાર બની નીરખી રહ્યો.

આ એ જ ધરણી, એ જ સૃષ્ટી, એ જ સંસાર, સરગમ બધી;
નથી ગમતું સહેજે અહીં, ભુલી ભુલાય ના એ દીવ્યસૃષ્ટી.
બની રહ્યું એ સંભારણું, સાચવી રાખું હું પ્રેમ પટારે;
વીસર્યું ના વીસરાયે કદી, દીવ્ય અનંત, રાહના સથવારે.

પર્યાવરણની પાંખે

પર્યાવરણની પાંખે - બંસીધર પટેલ

પુષ્પમાં સૌરભ નથી, જીવનમાં મહેંક નથી;
થયો છે શુષ્ક સંસાર, સૃષ્ટીમાં બહેક વધી.
વીલાઈ ગઈ અમી બધી, બાષ્પ થઈ સહજ ગઈ;
કલરવ મીઠો વીહગ તણો, ઉડી ગયો અવકાશ ભણી.


ઋતુઓએ બદલી કરવટ, દીશાઓમાં સમાઈ ગઈ;
અમૃત દેતી વસુંધરા, વીષ સર્પ બની ફેલાઈ ગઈ.
રવી પણ તપી રહ્યો, વરસાવી અગનજ્વાળા અતી;
ગ્રહ નક્ષત્ર તારકવૃંદ, બદલશે પથ ખબર નથી.


ઝાડ પાન વનસ્પતી ઘટી, વેરાન ઉજ્જડ થયાં વનો;
જળ સમીર માટી મહીં, સમાણું વીષ ઓ અંધજનો!
સૃષ્ટી સંસાર બન્યો પ્રદુષીત, ઈશ્વર પણ ક્યાં બાકી રહ્યો;
ભરમ ભાંગ્યો ધરમ કરમનો, ભેળસેળનો દૈત્ય દોડી રહ્યો.


મુક્યા નેવે સર્વ નીયમ કુદરત તણાં, હેવાન બન્યાં નર-નાર;
પશુ પક્ષી પણ બાકી નથી, થોભી ઘડીક કરે વીચાર ઘડનાર.
અટકશે ક્યાં જઈને સઘળું, વીનાશની ઘડી ગણાતી;
નથી સર્યો સમય હજી, ચેતે જો નર સ્વને ભણાવી.


કૃત્રીમતાએ હદ કરી, નથી કુદરતી રહી કોઈ ચીજ;
તન મન ધન કૃત્રીમ બન્યા, દેવો કોને દોષ ફરીયાદી નીજ.
સંસ્કૃતીમાં ભાસતી વીકૃતી, અવની ભાસે નીરાધારી;
ભાવી પેઢી ના કરશે માફ, પુનઃ આવશે શું ગીરીધારી?


કકળતા હૈયે કરે સહુ વીનતી, કરો બંધ તાંડવ વીનાશનું;
નહીંતર પછી યાદ છે ને, સો સાસુના તો એક દી' વહુવારુનો.

Saturday, October 20, 2007

નયનની પલકોમાંથી - બંસીધર પટેલ

નયનની પલકોમાંથી - બંસીધર પટેલ

દ્રષ્ટીહીન સમાજને જોઉં છું જ્યારે,
યાદ તમ તણી આવી જાય છે.

ભંવરો ઉંચી નીચી થાય છે જ્યારે,
અણસાર તમારો આવી જાય છે.

સૌંદર્યથી ઉભરાતી મારકણી આંખો જોઉં છું જ્યારે,
હ્રદયકમળ અતી પુલકીત થઈ જાય છે.

અંધારાં ઉલેચીને મેળવેલી દ્રષ્ટીથી નયનો ભીંજાય છે જ્યારે,
મન શોકમાં વ્યગ્ર બની આંસું ખુબ પ્રસારે છે.

સુર્ય ચંદ્ર સમા નયન આભલાને નીરખવા જાય છે જ્યારે,
સૃષ્ટીના સૌંદર્યને પામવાની દ્રષ્ટી શુન્ય બની જાય છે.

અહોભાગ્ય અમારા કે બંધ પલકોમાં મુર્તી દેખાય છે જ્યારે,
બસ કરો હવે નથી ખોલવા નયન બીડાઈ જાય છે.

સાચી શ્રધ્ધા - બંસીધર પટેલ

સાચી શ્રધ્ધા - બંસીધર પટેલ

હરીને ભજવા કરતાં મળે જો હરીનો લાલ, તો લેજે ખબર એની પ્રથમ;
કરેલું દાન સાચા હ્રદયનું કોઈને, નથી જતું એળે કદી, એ વાત વીસરીશ નહી.

નમન છે સાચું ઈશ્વરનું, ગમે છે એને પણ પ્યારું ઘણું એ વાત સમજી લેજે;
વીનય એ ભક્તી ખરી, વીવેક એ યોગ ઉત્તમ, કર્તવ્ય એ નવધા ભક્તી.

માળા ફેરવી કેટલાય માનવે, છતાં નથી મળ્યા ઈશ્વર એ વાત ભુલીશ નહી;
મન હોય તો જવાય માળવે, તાળવે હોય પ્રીતી ખરી એક ધ્યાનથી.

કહ્યું છે ઘણું અનુભવી રાહબરોએ, સાંભળી બન્યા હશે કર્ણ નીષ્ક્રીય;
બસ થયું હવે ઘણું, ના ભરમાઈશ, ના દોરવાઈશ અન્યથી કદી.

અવાજ ઓળખ આતમ તણો, એ જ ખરો ભગવાન બીરાજેલો મહીં;
ઓળખી એને ચાલીશ સદા, તો પામીશ અમુલખ પદારથ ખુબ જ.

બાંધીને ભાથું શ્રધ્ધા તણું, બની અર્જુન થાજે ઉભો ખરી હામથી;
કરી લે મન સાબુત ભલેરું, ગાંડીવની પણછ ખેંચી તૈયાર બની.

ઘુમાવીશ ના કાળ અધીક, થાશે ના થયો કોઈનો સગો કામ કદી;
બનીને ભડવીર ભુલોકનો, કાળમુખા કાળનો કરી જા કોળીયો.

અલપ ઝલપ મુકી માયા તણી, બની જા નીર્લેપ, નીષ્કામ, નીડર તું;
કર્યે જા કર્મ સોંપેલું ઈશ્વરનું નીર્માણ માની, કરીશ ના ઉચ્ચાટ કશો.
ભાંગશે ભ્રમ ભુતકાળનો, સુધારી વર્તમાન, ઉજ્જ્વળ ભાવી થાશે.

----------------------------------------------

ગમે છે સૃષ્ટી સીતારાની, આભલે ચીતરેલા ચમકતા તારલાની;
કેવો છે ઈજનેર એનો, મન મારું અહોભાવયુક્ત બને.

Saturday, October 13, 2007

સમયના સથવારે - બંસીધર પટેલ

સમયના સથવારે - બંસીધર પટેલ

સમયના સથવારે, લોહીયાળ મચ્યું છે યુધ્ધ ટોળાશાહીનું;
સફેદ ઝભ્ભામાં સજ્જ બની, ઉભેલાં ચાડીયા એ નેતા બધાં.

ઉપરની સફેદીમાં, હ્રદય કાળું ડીબાંગ છે, હાથીદાંતનો ઘાટ બધો;
જનતા બીચારી શું કરે? અહીંતો વીણવા ઘઉં કંકરમાંથી હવે.

સાચો કોણ? ખોટો કોણ? પારખવાની ભ્રમીત થઈ છે મતી;
પક્ષાપક્ષીનો ગજગ્રાહ મચ્યો ત્યાં, નીષ્પક્ષતાનું નીશાન નથી.

દુધ પાઈને ઉછેર્યાં ભુજંગ, ઓકશે વખ એ વાત નીર્વીવાદ છે;
કરતા આજે પ્રણામ તમોને, પાંચ વરસ સુધી કરજો તમે પ્રણામ.

નથી દેખાવાના ફરી આ, શયતાનોના સોદાગર, જનતાને;
છેતરી, છાવરી ભોળી જનતાને, ચુસી ચુસી ખતમ કરવાના જ.

ભગવાન પણ બચાવે આવા માટીપગા, હરામી નેતાઓથી;
જાગશે જનતા હીરાપારખુ બની, ભાગી જશે ભુગર્ભમાં નેતા બધાં;
ઉગશે સોનાવર્ણો સુરજ અહીં, લીલાલહેર અને અમન તણો.

------------------------------------------

અજવાળી આઠમની રાતે, ગયા અમે નીરખવા નવલાં નોરતાં;
દેખી ગોરી ઘુમતી ગરબે, સજી સોળે શણગાર ભાવનીર્ઝરથી.
ઉમટ્યું માનવ મહેરામણ બેસુમાર, નથી પગ મુકવાની ભોંય કશી;
જામી છે રમઝટ ગરબાની વીશાળ ગગનમંડપમાં.

ઉત્સવ - બંસીધર પટેલ

ઉત્સવ - બંસીધર પટેલ

અસ્તીત્વનો ઉત્સવ ઉજવો શું, લજ્જા નથી આવતી;
માનવ રહ્યો છે શું માનવ કે આટલું ગર્વ એ લઈ શકે?

આપ્યું હતું નીર્મળ જીવન પ્રભુએ, ઘણાં પ્યાર અને આશીષથી;
વેડફી દીધું સર્વસ્વ, કામ, ક્રોધ, મદ, મોહ, લોભના સમાગમથી.

પારેવાની જેમ ફફડી રહ્યો આત્મા, ચેન-શાંતીનું નામ નથી;
ઉચાટનાં અફાટ સમંદરમાં, અશાંત બની વીચરતો તું.

નથી રાખી કશી કમી, કરવા ન કરવાનું કર્યું જ બધું;
સાત જનમનાં પસ્તાવાથી પણ નથી ઉધ્ધાર થવાનો કદી.

હજી પણ નથી ગયો વીતી કાળ, નથી પડ્યો માંડો માનવ;
સુધરી જા નહીંતર પડશે કોરડા, વીંઝાશે ઉપરવાળાતણાં.

ઓઢી લે પ્રેમની કંથા, ભુલી ભેદભરમ વેરઝેરનાં;
થશે માફ પાપ કર્યા જાણ-અજાણથી, આ પુરા જીવન મહીં.

ઉઠી'તી આંધી એક સમીરની, થાશે શાંત ઈશના આશીષથી;
ભાંડું મારો માનવ બધો, ચાહતની ચરમસીમા થકી.

મળશે શાશ્વત સુખ જ એમાં, થાશે ઉજવળ જીવન તારું;
તે દી' પાછો આવજે, ઉજવવા ઉત્સવ અસ્તીત્વનો;
ઉજવીશું રંગેચંગે ભેગાં મળી, ગર્વ લેવાની વાતો ઘણી.

બાઈટોપીડીયા - ચીરાગ પટેલ

બાઈટોપીડીયા - ચીરાગ પટેલ Oct 13, 2007

આપણે ઘણીવાર એવું સાંભળ્યું હશે, કે મારી હાર્ડ ડ્રાઈવ (hard disc drive) 80GBની છે. તો આ 80જીબી વળી શી બલા છે? અહીં જી.બી. એટલે ગીગા બાઈટ (Giga Byte)નું મીતાક્ષરી સ્વરુપ. આમ, 80જીબી હાર્ડ ડ્રાઈવમાં 80ગીગા બાઈટ જેટલી માહીતીનો સંગ્રહ થઈ શકે. પ્રચલીત પધ્ધતી પ્રમાણે, 1KB એટલે 1 કીલો બાઈટમાં કુલ 1024 બાઈટ હોય! (1કીલો મીટરમાં 1000 મીટર હોય! આ વળી કેમનું થયું?) આમ થવાનું કારણ એ કે બાયનરી પધ્ધતીમાં 2ના ગુણાંકમાં ગણતરી થતી હોય છે. 2 * 2 * 2 * 2 * 2 * 2 * 2 * 2 * 2 * 2 = 1024 થાય! પ્રમાણમાપની આંતરરાષ્ટ્રીય સંસ્થા Systems International (SI)એ નક્કી કરેલાં ધારાધોરણ મુજબ 1KB એટલે 1000બાઈટ જ ગણવા અને પ્રચલીત 1KBને 1KiB (kibibyte) કહેવું એવું ઠરાવવામાં આવ્યું છે. પ્રચલીત ગણતરી મુજબ જોઈએ તો:

1KB = 1કીલો બાઈટ = 1024 બાઈટ = 2 exp 10 (2ની 10મી ઘાત, અર્થાત 2 * 2 * 2... એમ 10 વખત)
1MB = 1મેગા બાઈટ = 1024 * 1024 બાઈટ = 1048576 બાઈટ = 2 exp 20
1GB = 1 ગીગા બાઈટ = 1024 * 1024 * 1024 બાઈટ = 2 exp 30
1TB = 1 ટેરા બાઈટ = 1024 * 1024 * 1024 * 1024 બાઈટ = 2 exp 40
1PB = 1 પીટા બાઈટ = 1 ટેરા બાઈટ * 1024 બાઈટ = 2 exp 50
1EB = 1 એક્ઝા બાઈટ = 1 પીટા બાઈટ * 1024 બાઈટ = 2 exp 60
1ZB = 1 ઝેટ્ટા બાઈટ = 1 એક્ઝા બાઈટ * 1024 બાઈટ = 2 exp 70
1YB = 1 યોટ્ટા બાઈટ = 1 ઝેટ્ટા બાઈટ * 1024 બાઈટ = 2 exp 80

8 બીટનો 1 બાઈટ બને છે. હવે, 4 બીટના સમુહને 1 નીબલ (nibble) કહે છે. એક બાઈટની સંખ્યા લખવામાં સરળતા રહે એ માટે બે નીબલના ગ્રુપમાં તે સંખ્યા લખવામાં આવે છે. જેમ કે, 1011 1011b, 0011 1100b, વગેરે. સંખ્યાને લખવાની પ્રચલીત રીત છે તેને બાયનરીને બદલે હેક્ઝાડેસીમલમાં લખવી. હેક્ઝાડેસીમલમાં 0,1,2,3,4,5,6,7,8,9 સુધીનાં અંકો અને ત્યાર બાદ 10ને બદલે A(a), 11ને બદલે B(b), 12ને બદલે C(c), 13ને બદલે D(d), 14ને બદલે E(e), અને 15ને બદલે F(f) લખવામાં આવે છે. અને સંખ્યાને 0x(Zero-x)થી પ્રીફીક્સ કે h વડે પોસ્ટ્ફીક્સ કરવામાં આવે છે. ચાલો ત્યારે, થોડાં ઉદાહરણો કરીશું?

1011 1100b માં 1011b = 11(8+2+1) છે અને 1100b = 12(8+4) છે. હવે 11 એટલે B અને 12 એટલે C. આમ, 1011 1100b = 0xBC અથવા 0xbc અથવા bch. એને ડેસીમલમાં ફેરવીએ તો? એક નીબલમાં 0થી 15 સુધીની સંખ્યા દર્શાવી શકાય, એટલે કે કુલ 16 સંખ્યાઓ દર્શાવી શકાય છે.બાઈટમાંના ડાબી બાજુથી પહેલાં નીબલને 16 વડે ગુણો અને બીજા નીબલને તેમાં ઉમેરો, તો હેક્ઝાડેસીમલ સંખ્યા ડેસીમલ બની જશે! આપણાં ઉદાહરણમાં, 0xbc = 11 * 16 + 12 = 176 + 12 = 188. હેક્ઝાડેસીમલમાં એક બાઈટમાં દર્શાવાતી સહુથી નાની સંખ્યા = 0x00 = 0, અને સહુથી મોટી સંખ્યા = 0xFF = 255. કમ્પ્યુટરમાં કેલ્ક્યુલેટરની એપ્લીકેશનમાં તમે એનાં "View" મેન્યુમાંથી "Scientific" સીલેક્ટ કરો. તમે ડાબી બાજુ ઉપર તરફ રેડીયો બટન જોશો, જેમાં Hex - Dec - Oct - Bin છે. ડીફૉલ્ટ સીલેક્શન ડેસીમલ હોય છે. કોઈ પણ 0થી255 વચ્ચેની સંખ્યા લખીને હેક્ઝ કે બીન સીલેક્ટ કરી જુઓ. ગમ્યું? (હવે ખ્યાલ આવ્યો કે શા માટે એક બાઈટને 4બીટ એટલે કે એક નીબલના જોડકામાં લખવામાં આવે છે? અને એમાં પણ હેક્ઝાડેસીમલ કેમ સરળ પડે છે એ પણ ખ્યાલ આવ્યો?) ફરી ઉપરનું ઉદાહરણ લખીએ તો,

188 = 1011 1100b = 0xBC
0 = 0000 0000b = 0x00
255 = 1111 1111b = 0xFF

તમે કીબોર્ડ(keyboard)ને ધ્યાનથી જોયું હશે તો એમાં 0,1,2,...,9 અને A,B,...,Z તથા !,@,...,+ વગેરે જેવાં ચીહ્નો ધરાવતી કી હશે. શીફ્ટ કી, પેઈજ અપ, પેઈજ ડાઉન, વગેરે જેવી કી હશે. આ દરેક કીને એક ચોક્કસ બાઈટ સંખ્યા આપવામાં આવેલી છે. દા.ત.,
'0' = 0x30 = 48
'A' = 0x41 = 65
'a' = 0x61 = 97

આવા બાઈટકોડને આસ્કી(ASCII) કેરેક્ટર કહે છે. વધુ માહીતી માટે જુઓ: http://en.wikipedia.org/wiki/ASCII
જ્યારે જ્યારે કમ્પ્યુટરમાં કોઈ પણ માહીતીની આપ-લે થાય છે ત્યારે એ બાઈટ રુપે જ થાય છે; જેમ કે, કીબોર્ડથી સીપીયુ, સીપીયુથી મોનીટર, સીપીયુથી હાર્ડ ડીસ્ક ડ્રાઈવ, સીપીયુથી ઈંટરનેટ, વગેરે. તમે અત્યારે જે વાંચી રહ્યાં છો એ પણ બાઈટની જ આપ-લે છે.

આપણાં જે પ્રચલીત લખવાના ફૉંટ છે તે બધાં આસ્કી ફોંટ છે. એટલે કે, 0-255ની સંખ્યાને સાંકળે તેવાં ચોક્કસ કેરેક્ટર લખવામાં આવે છે. જે તે ફોંટ ઇંસ્ટોલ કરીએ એટલે વર્ડ જેવી એપ્લીકેશન એ ફોંટ પ્રમાણે સ્ક્રીન પર કેરેક્ટર દર્શાવે છે. આ બાબત સમજવા એક પ્રયોગ કરી જુઓ. વર્ડ ખોલીને અત્યારે જે ફોંટ હોય તે રાખીને એક વાક્ય લખો. પછી જુદાં-જુદાં ફોંટ સીલેક્ટ કરતાં જાઓ અને જુઓ કે એ પ્રમાણે સ્ક્રીન પર જે કેરેક્ટર દેખાય છે તેમાં કેવા ફેરફાર થાય છે? ( Control key દાબી રાખીને A દબાવો એટલે જે લખ્યું છે એ બધું સીલેક્ટ થશે અને પછી Format મેન્યુમાંથી Font સીલેક્ટ કરી, જે ડાયલોગ બૉક્ષ આવે તેમાં જુદાં-જુદાં ફોંટ સીલેક્ટ કરતાં જાઓ).

Saturday, October 06, 2007

પ્લાઝ્મા

પ્લાઝ્મા - ચીરાગ પટેલ Oct 06, 2007

આપણે પદાર્થની ત્રણ અવસ્થાઓ જાણીએ છીએ: ઘન, પ્રવાહી, અને વાયુ. આ ઉપરાંતની પદાર્થની કોઈ બીજી સ્થીતી તમારી જાણમાં છે? તમે દીવો પ્રગટાવો ત્યારે દીવાની જે જ્યોત છે તે શું છે? શું એ દીવેટ કે ઘી કે હવા છે? હકીકતમાં જ્યોત એ જ હવાની પ્લાઝ્મા (plasma) અવસ્થા છે! (ટેકનીકલી એ આંશીક પ્લાઝ્મા છે.) પ્લાઝ્માનું બીજું કોઈ ધગધગતું ઉદાહરણ કલ્પી શકો છો? સુરજદાદા! સુર્ય એટલે કે તારો જ્યારે જીવતો (?) હોય, ત્યારે તેમાં સતત હાઈડ્રોજનમાંથી હીલીયમમાં રુપાંતરણની પ્રક્રીયા ચાલતી જ હોય છે. અને એ હીલીયમ પ્લાઝ્મા સ્વરુપે રહે છે. આકાશે ઝબુકતી વીજળી પણ પ્લાઝ્મા અવસ્થા છે. ધ્રુવજ્યોતી કે અરોરા (aurora) એ પણ પ્લાઝ્મા છે. કૃત્રીમ પ્લાઝ્મા આજકાલ મળતાં પ્લાઝ્મા ટીવી, નીયોન લાઈટ, રોકેટના એક્ઝોસ્ટ વગેરેમાં જોવા મળે છે.

દરેક અણુનું મોડેલ લગભગ આપણી સુર્યમાળા જેવું દેખાય. સુર્યની ફરતે નવ ગ્રહો ફરે છે (પ્લુટોનું સ્થાન જો કે હવે ડામાડોળ છે!). જો એકાદ ગ્રહ એની કક્ષામાંથી છટકી જાય તો? બાહ્યાવકાશમાં ગમે ત્યાં ગોફણની પેઠે અથડાયા કરે! પ્લાઝ્મા અવસ્થા એટલે આવી રીતે છટકી ગયેલા ઈલેક્ટ્રોન (આવા પરમાણુઓને ચાર્જ્ડ પાર્ટીકલ્સ (charged particles) પણ કહી શકાય). જો કે પદાર્થ પ્લાઝ્મા અવસ્થામાં છે એવું છાતી ઠોકીને કહી શકાય એ માટે નીચેની શરતોનું પાલન થવું જોઈએ:

1. દરેક પરમાણુનાં ઈલેક્ટ્રોન, માત્ર સહુથી નજીકનાં પરમાણુ સાથે પ્રક્રીયા કરવાને બદલે આજુબાજુના બધાં ચાર્જ્ડ પાર્ટીકલ્સ સાથે અસર જન્માવે; અને બધાં ભેગાં મળીને સંયુક્ત સમુહ રુપે પોતાની વર્તણુંક દર્શાવે. આ માટે ડેબ્યે સ્ફીઅર (Debye sphere) શબ્દ પ્રયોજાય છે. આ ગોળામાં રહેલાં ચાર્જ્ડ પાર્ટીકલ્સ પ્લાઝ્મા સ્થીતી જન્માવે છે.
2. પ્લાઝ્મા આવૃત્તી (ઈલેક્ટ્રોનની પ્લાઝ્મા આવૃતી) સમાન્ય પરમાણુમાં ઈલેક્ટ્રોનની બીજા પરમાણુઓ સાથેની અસરોની આવૃત્તી કરતાં ઘણી વધારે હોવી જોઈએ.
3. સપાટી પરનાં ચાર્જ્ડ પાર્ટીકલ્સ કરતાં તેમની સમુહ વર્તણુંક વધારે અગત્યની છે.

પ્લાઝ્મા અવસ્થા જન્માવતાં પરીબળોમાં ઉંચું તાપમાન (નીચા તાપમાને પણ પ્લાઝ્મા શક્ય છે), ઉચું વીજદબાણ, ઉંચું ચુંબકીયબળ જવાબદાર છે.

પદાર્થની બીજી પણ નવી અવસ્થાઓ છે: બોઝ-આઈંસ્ટાઈન કંડેંસેટ (Bose-Einstein Condensate), ફર્મીઓનીક કંડેંસેટ (Fermionic condensate), ક્વોંટમ સ્પીન હૉલ (Quantum spin Hall), ડીજનરેટ મૅટર (degenerate matter), સ્ટ્રેઈંજ મૅટર (Strange matter), સુપરફ્લુઈડ્સ (Superfluids), સુપરસૉલીડ્સ (Supersolids), સ્ટ્રીંગ-નેટ લીક્વીડ (String-net liquid). આ બધી આવસ્થાઓ પર ક્યારેક ચર્ચા કરીશું.

પ્લાઝ્મા સ્થીતીમાં વૈજ્ઞાનીકોને એટલો બધો રસ પડ્યો છે કે વીજ્ઞાનની આખી નવી શાખા પ્લાઝ્મા ફીઝીક્સ (Plasma Physics) વીકસી છે.

જ્યારે કોઈ પદાર્થ પ્લાઝ્મા સ્થીતી ધારણ કરે ત્યારે તે જાણે જૈવીક પદાર્થ હોય એવી રીતે વર્તે છે. આખો પદાર્થ જાણે જીવંત બની જાય છે, અને પોતાની અશુધ્ધીઓને જાણે વાઈરસનું ઈંફેક્શન દુર કરવાનું હોય એમ પ્રતીક્રીયા જન્માવે છે. પોતાની આસપાસનાં વાતાવરણને વૈચારીક પ્રક્રીયાથી (?) અસર કરવાની શરુઆત કરે છે!

વૈદિક માનવ ધર્મ - બંસીધર પટેલ

વૈદિક માનવ ધર્મ - બંસીધર પટેલ

આધુનિક વિશ્વમાં દિનપ્રતિદિન અભૂતપૂર્વ ઘટનાઓ ઘટતી રહે છે. દેશ-દેશ વચ્ચે, ધર્મ-ધર્મ વચ્ચે વૈમનસ્યની ખાઈ વધુને વધુ વિસ્તરતી જાય છે. મનુષ્ય મનુષ્યના રક્તનો પ્યાસો બની હિંસાચાર આચરી રહ્યો છે. કોઈ કોઈનું સાંભળતું નથી. સ્વતંત્રતાએ સ્વચ્છંદતાનું નગ્નસ્વરૂપ લઈ માનવીને સ્વૈરવિહારી બનાવી દીધો છે. ભૌતિક સમૃધ્ધિમાં આળોટતા દેશોને માનસિક શાંતિ મળતી નથી. ગરીબ બિચારા દેશો સમૃધ્ધિની શોધમાં ધનવાન દેશોની આણ નીચે દબાતા જાય છે. આખરે આ બધું ક્યાં જઈ રહ્યું છે? એમાં ભારત જેવા ગરીબ વિકાસશીલ દેશનું ભવિષ્ય શું? આ બધા જ પ્રશ્નોના ઉત્તર સમસ્યાઓના ઢગલાની નીચે દબાઈ ગયા છે. સમસ્યાઓ ગુણોત્તર સંખ્યામાં વધતી ચાલી છે. આમ બધી સમસ્યાઓ વચ્ચે ઘેરાયેલો મનુષ્ય વધારે વધારે નિમ્નસ્તરનું કુસંસ્કારી વર્તન કરતો જાય છે. દિશાશૂન્ય જીવન અને ભૌતિક સુખોએ માનવના મગજને વિકૃત બનાવી અધ:પતનના આંગણામાં લાવી મુક્યો છે.

ધર્મ એ એક એવી પ્રકૃતિજન્ય પ્રક્રિયા છે કે જેમાં માનવી જેટલો ગહન અભ્યાસી બને તેટલો વધારે ઉજ્જવળ જીવન જીવી, સમાજ અને રાષ્ટ્રને સહાયભૂત બની શકે છે. તમામ ધર્મોની વચ્ચે ભારતિય આર્યસંસ્કૃતિ તથા વૈદિક ધર્મ, કે જે માનવના વર્તમાન જીવન ઉપરાંત ભવિષ્યના જન્મોને પણ આવરી લે છે, તેની પાસે મનુષ્ય કલ્પવૃક્ષની જેમ હરકોઈ કામનાનું સમાધાન મેળવી શકે છે.

આમ તો વૈદિક આર્યધર્મ એટલે માનવતાથી ભરપુર સમાજના નિર્માણ માટેનો ઉદ્યોતક છે. સમસ્યાઓના અગનથી દઝાતો મનુષ્ય પ્રેમજળથી શીતળતા પ્રાપ્ત કરવા સમર્થ બને છે. સનાતન આર્યધર્મના આધારસ્તંભ સમા ચાર વેદ અને ઉપનિષદ મનુષ્ય જીવનના હરેક પાસાને દ્રષ્ટાંતો, દાખલાઓ, વાર્તાઓ સહિત આવરી લે છે. જેમાં મનુષ્ય જીવનના જન્મથી મૃત્યુ પર્યંતના વિવિધ તબક્કાઓને સોળ ભાગમાં વહેંચી, અલગ-અલગ સોળ સંસ્કાર દ્વારા દિવ્યજીવન પ્રતિ પ્રયાણ કરાવે છે. વેદોમાં જે મંડળો છે, તેના દ્રષ્ટા ઋષિમુનિઓ છે. તેમણે જે સત્ય દર્શન કર્યું, તેને જગત સમક્ષ મુકી, આચાર-વિચાર-જ્ઞાન-કર્મ તથા ભક્તિ કરવાની સલાહ આપી, વિશ્વમાં સર્વશ્રેષ્ઠ માનવજીવનની મર્યાદાઓ તથા કુદરતી તત્વો સાથે તાલમેલ જાળવવા અદ્યતન જ્ઞાન ભર્યું પડ્યું છે. વેદો એક એવું વિજ્ઞાન છે કે જે હજારો વર્ષ પહેલાં સત્ય હતું, વર્તમાન સમયમાં પણ સત્ય છે અને હજારો વર્ષ સુધી સત્ય જ રહેશે, કેવળ સત્ય.

વૈદિક ધર્મ કોઈ અમુક વર્ગના મનુષ્યને અનુલક્ષીને રચાયેલું મર્યાદિત સાહિત્ય નથી. બલ્કે વિશ્વના હરેક મનુષ્યને સામાન્ય કક્ષાએથી ઉઠાવી દિવ્યતાના સાગરમાં નખશીખ સ્નાન કરાવતા દુર્લભ ગ્રંથો છે.

એવું કહેવામાં અતિશયોક્તી નથી કે દુનિયા જ્યારે કોઈપણ જાતના પૂર્વગ્રહ આડે લાવ્યા સિવાય વેદોને એકી અવાજે સ્વિકારી ગ્રહણ કરશે ત્યારે દુનિયાનો નકશો પલટાઈ જશે.

વૈદિક ધર્મ - વેદ - ઉપનિષદ અમર રહો.

Sunday, September 30, 2007

કમ્પ્યુટરની અંકપધ્ધતી

કમ્પ્યુટરની અંકપધ્ધતી - ચીરાગ પટેલ Sep 30, 2007

આદરણીય જુગલકાકાએ મને કમ્પ્યુટર ક્ષેત્રે કાંઈક લખવા માટે પ્રેરકબળ પુરું પાડ્યું. એવું કાંઈક કે જે પાયાની માહીતી આપીને સામાન્ય વાચકને કમ્પ્યુટરનો ઉપયોગ કરવા માટે મજબુર કરી દે. આમ તો ઘણા સમયથી મારે C++ ભાષા (પ્રોગ્રામીંગની ભાષા) વીશે ગુજરાતીમાં લખવું શરું કરવું હતું, પરંતુ જુગલકાકાની વાતે મને એક નવી જ દીશા સુઝાડી! અને આ બ્લોગ તમારી સમક્ષ હાજર છે! તો હવે પડદો ઉંચકાય છે...

સૌપ્રથમ કમ્પ્યુટરનો અર્થ છે તે સમજીએ. કમ્પ્યુટરનો સરળ અર્થ છે: ગણતરી કરતું યંત્ર! પરંતું, કમ્પ્યુટર માત્ર ગણતરી કરીને અટકી જવાને બદલે આપણી સમક્ષ એક અવનવી દુનીયા ખડી કરી દે છે (મેટ્રીક્સ મુવીમાં દર્શાવ્યા મુજબ જ સ્તો!). માત્ર ગણતરી જ કરવી હતી તો 'કેલ્ક્યુલેટર' છે જ ને. જો કે, કમ્પ્યુટર જે પણ કામ કરતું હોય, અંતે તો કરે છે ગણતરી જ (નામ પ્રમાણે કામ તો કરવું જ પડે ભાઈ). તો ચાલો, કમ્પ્યુટર એવું તો શું અને વળી કેવી રીતે ગણે છે તેની સમજુતી જોઈએ.

આપણે ગુજરાતીઓ ગણતરીમાં પાકાં કહેવાઈએ છીએ (કઈ, એ તો સહુ સમજીએ જ છીએ!). તો મને કહો, દશઅંકી (decimel) પધ્ધતી એટલે શું? (સુરેશદાદા વઢશે: લ્યા છોકરા, મશ્કરી કરે છે?) દશઅંકી પધ્ધતી ભારતે દુનીયાને આપેલી મહાનતમ ભેટ છે. કોઈ પણ સંખ્યાને 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 એમ કુલ દશ અંકો વડે દર્શાવવી એટલે દશઅંકી પધ્ધતી વાપરી એમ કહેવાય! (ભાઈ, દશઅંકી પધ્ધતી અને 10 જ ગાયબ થઈ ગયો? ના, 10 એટલે 0 અને 1 વડે બનતી સંખ્યા. એમ કાંઇ અમે કોઈને ખોટું લાગવા દઈએ?)

આ જ રીતે, કમ્પ્યુટર પોતાની ભાષામાં દ્વીઅંકી (binary) પધ્ધતીનો ઉપયોગ કરે છે. (બોલો ચતુરસુજાણો, દ્વીઅંકી પધ્ધતી એટલે શું?) (હવે ટપારવાનો વારો જુ.કાકાનો: ચીરાગ તમે અમને રસક્ષતી કરવાને બદલે, ભાષાને વહેવા દો અને અમને આકંઠ પાન કરવા દો.) એટલે કમ્પ્યુટર પોતાને માટે 0 અને 1 નો ઉપયોગ કરીને દરેક સંખ્યા બનાવે છે! (માથું ખંજવાળવું પડશે એવું લાગે છે? માફ કરજો. કમ્પ્યુટરનો 0 અને 1 માટેનો પ્રેમ આપણને કેવા નાચ નચાવે છે, નહીં?)

દરેક દશઅંકી સંખ્યાને દ્વીઅંકીમાં રુપાંતરીત કરવા તમને એક સાદો નીયમ જણાવું. 8-4-2-1 નો નીયમ. 0થી 15 સુધીની કોઈ પણ એક સંખ્યા ધારો. દા.ત., 12. હવે 8-4-2-1 નો ઉપયોગ કરીને 12 કેવી રીતે બને? 8+4 = 12. ઠીક? હવે, આપણે 12 બનાવવા માટે 8-4-2-1માંથી જે સ્થાન વાપર્યા હોય તેને બદલે 1 મુકો અને જે ના વાપર્યા હોય તેને સ્થાને 0 મુકો. શું બન્યું? 1-1-0-0 (8-4-2-1 નો ક્રમ જાળવવો અગત્યનો છે.). એટલે 12 (જે દશઅંકી છે)ને દ્વીઅંકીમાં 1100 કહેવાય. 1100ની સાથે 'b'નું છોગું લગાવી દો એટલે કોઈ ગુંચવાડો ઉભો ના થાય. (નહીંતર, ગુજરાતીઓ ગભરાઈ જશે કે, માળું મેં 12રુપીયા આપ્યા હોય તેના 1100 થઈ ગયા?) આમ, 12 = 1100b. ચાલો જોઉં, હવે થોડી પ્રેક્ટીસ કરો. 0થી 15 સુધીની બધી દશઅંકી સંખ્યાને દ્વીઅંકીમાં ફેરવો. (સુ.દાદા: ઠીક ભાઈ, હવે 15થી મોટી સંખ્યાને દ્વીઅંકીમાં કેવી રીતે ફેરવું?) 8ના બમણા કરીએ તો શું મળે? શાબાશ, 16. તો હવે, 0થી 31 સુધીની દશઅંકી સંખ્યાને દ્વીઅંકીમાં ફેરવવા 16-8-4-2-1નો નીયમ લગાવો. 16-8-4-2-1 વડે દર્શાવાતી મોટામાં મોટી સંખ્યા જાણવી હોય તો કરો સરવાળો: 16+8+4+2+1=31!

દ્વીઅંકી સંખ્યાને દશઅંકીમાં ફેરવવા માટે પણ આ જ નીયમનો ઉપયોગ કરો. દા.ત., 10110b = 16+4+2 = 22. આમ, કોઈ પણ મોટી સંખ્યાને આપણે દ્વીઅંકીમાં ફેરવી નાંખીએ. અથવા દ્વીઅંકી સંખ્યાને દશઅંકી સંખ્યામાં. હવે કમ્પ્યુટરની ભાષામાં દરેક અંકને બીટ (bit) કહે છે. અને 8 બીટને 1 બાઈટ (byte) કહે છે. થોડી વાર માથું ખંજવાળી નાંખો અને મને એ કહો કે 1 બાઈટવડે લખાતી મોટામાં મોટી સંખ્યા કઈ? ધત્ત, 1111 1111b! (પ્રશ્નમાં એવું થોડું કહ્યું કે દશઅંકી સંખ્યા કહો?) નોંધ્યું? 4 બીટનાં ગ્રુપ બનાવીને સંખ્યા લખવામાં આવે છે કે જેથી કોઈ લોસ્મોચો ના થાય!. એમ ત્યારે, બોલો જોઉં, 1 બાઈટ વડે લખાતી મોટામાં મોટી દશઅંકી સંખ્યા કઈ? હમમમ... 128-64-32-16 8-4-2-1 નો નીયમ લાગુ પડ્યો! કેલ્ક્યુલેટર લેવું પડશે? (હા, જો અમેરીકામાં સ્કુલ કરી હોત તો. પણ, આપણે તો રહ્યાં દેશી!) 128+64+32+16+8+4+2+1 = 255! આમ, એક બાઈટ વડે 0થી લઈને 255 સુધીની કોઈ પણ દશઅંકી સંખ્યા લખી શકાય.

આ જ નીયમને વીસ્તારતા જઈએ તો જણાશે કે, 2 બાઈટ વડે 256 * 256 = 65536 (ઓછા 1) થાય, એટલે 0થી 65535 સુધીની સંખ્યા દર્શાવી શકાય. 4 બાઈટ વડે? રહેવા દો હવે...

કમ્પ્યુટર પોતાના કોઈ પણ કામકાજ માટે આ બાઈટરુપી કક્કાનો ઉપયોગ કરે છે. પછી એ દ્રશ્ય હોય કે લખાણ, મેમરીનો સંગ્રહ કરવાનો હોય કે પ્રીંટર પણ લખાણ છાપવાનું હોય! અને ઈંટરનેટ પર આટલો બધો માહીતીનો ધોધ વહે છે તે પણ 0 અને 1નો જ ઉપયોગ કરીને. કઈ રીતે? શું આજે જ બધું ભણી લેવું છે? આવતા અઠવાડીયાની રાહ જુઓને?

(સુરેશદાદા, જુગલકાકા; કાંઈ પણ અવીનય કર્યો હોય તે બદલ ક્ષમા)

મારી મસ્તી - બંસીધર પટેલ

મારી મસ્તી - બંસીધર પટેલ

પાગલ ગણે છો મુજને, હું મસ્ત બનીને ઘૂમી રહ્યો;
આકાશ, પાતાળ કે અવની, છે મારો મુકામ જાણી રહ્યો.
ઉતારીને અભિમાનના વાઘા, નિર્મળ, નિતાંત બની રહ્યો;
અંધકાર ભેદીને અજ્ઞાનનો, ઉજાસ સર્વત્ર નિરખી રહ્યો.

મસ્ત, વ્યસ્ત અને ત્રસ્ત, જીવન વ્યતીત કરી રહ્યો;
પ્રજ્ઞાના પ્રકાશને સથવારે, કાળ કઠણ કાઢી રહ્યો.
બીજને સિંચીને જ્ઞાનના, વટવૃક્ષ હું બનાવી રહ્યો;
તોડીને બંધન માયાના, નિર્લેપ બની હું ભમી રહ્યો.

કરી છે ભુલો હું ગણી રહ્યો, ભૂતકાળ બનીને ભૂત ભમી રહ્યો;
નજર ના લાગે કોઈની, હું સર્વથી ઘણો જ છુપાઈ રહ્યો.
નથી કલાકાર છતાં, કલાનો દેખાવ, ડોળ કરી રહ્યો;
નાયક નથી, નાયીકા નથી, છતાં નાટક લાંબું હું ભજવી રહ્યો.

વિફરેલી વાઘણ સમો, રઘવાયો હું ભટકી રહ્યો;
લલનાના વિખરાયેલા કેશ જેવું, જીવનમંથન કરી રહ્યો.
નથી છાશ, દહીં કે માખણ, ઘીની મજા હું માણી રહ્યો;
ઉરમાં નથી કોઈ આશ, હું પાગલ બનીને ઘૂમી રહ્યો.

જે નથી તે દેખાવાનો, નકામો ડોળ હું કરી રહ્યો.

મહિમા તારો - બંસીધર પટેલ

મહિમા તારો - બંસીધર પટેલ

દળે છે ખૂબ ઝીણું વ્હાલા, તારી ઘંટીનાં કરૂં શું વખાણ?
નથી લગારે અવાજ તારી લાકડીનો, છતાં મારે ધાર્યું નિશાન.
પંખીડાને શીખવ્યું ઉડતાં, બે પંખ પસારી દૂર ગગનમાં;
માણસને શીખવી સભ્યતા, સંસ્કાર તણા સિંચન થકી.

નદી, પર્વત, સાગર, સર્વ કાંઈ તારો મહિમા જ છે;
ઘેઘૂર વડલાં, ખૂબ લચેલી લતાઓ, તારા જ સંતાન છે.
ગગનમાં ઉગતા તારલાં, ચંદ્ર કે સૂરજ, તારાં મર્મસ્થાન છે;
પાતાળમાં ભરેલું મીઠું જળ, તારા સ્નેહનું કારણ છે.

સકળ જીવ સૃષ્ટિ, એ તારું સર્જન નિઃશંક છે;
નથી અર્થ વગરનું લગારે, સર્વ કાંઈ તારી માયા છે.
પ્રભુતા વિસ્તરેલી સર્વત્ર, નજરો મારી ઢળી પડે છે;
શું કરું હું તારા વખાણ, આ જીહ્વા પણ તારી દેન છે.

નથી સમય કોઈને, છતાં તું ના રિસાયો કદી;
આભાર-ધુત્કાર સર્વ કાંઈ, સહવાની તારી ટેવ છે.
શિક્ષા દેતો તે પણ કેવી, પંપાળી, મીઠાશનો રસ છે;
માવતર કમાવતર ના થાય કદી, એ કહેવત તને ખૂબ યાદ છે.

ભીંજાયેલા રૂદિયે કરૂં હું વિનતી તુજને ભોળિયા;
ભુલો પડ કદીક આ ભોમમાં, તારા નામની ખૂબ રટ છે.
જોતો ખરો તારી રચનાને, તું ખુશ છે કે નાખુશ ભલા;
આવશે હાસ્ય તુજને, તારી સૃષ્ટિના શું બેહાલ છે!

Friday, September 21, 2007

ત્રીમુર્તી

ત્રીમુર્તી - ચીરાગ પટેલ Sep 21, 2007

આપણાં શાસ્ત્રોમાં અને પુરાણોમાં ત્રીમુર્તી કેન્દ્રસ્થાને રહી છે. ત્રીમુર્તી એટલે બ્રહ્મા, વીષ્ણુ અને મહેશ (શંકર). જ્યારે આ બ્રહ્માંડની ઉત્પતી થઈ ત્યારે તેનાં વીવીધ સંચાલન માટે ત્રીમુર્તીનો પણ ઉદ્ભવ થયો હતો. બ્રહ્માંડ અને ત્રીમુર્તીની ઉત્પત્તી કેવી રીતે અને ક્યારે થઈ હતી એની ચર્ચા ફરી ક્યારેક કરીશું. આજે તો માત્ર ત્રીમુર્તીનું મારી દ્રષ્ટીએ પૃથક્કરણ કરીએ!

જગતનાં દરેક જડ-ચેતન પદાર્થોનો ઉદભવ બ્રહ્મામાંથી થયેલો માનવામાં આવે છે. બ્રહ્મા એટલે જગતપીતા! દરેક જ્ઞાનનાં આદી સ્વરુપ વેદોની ઉત્પત્તી પણ બ્રહ્મામાંથી થઈ છે. પુરાણોમાં દર્શાવેલાં કોઈ પણ રાજવંશનાં મુળમાં જગતપીતા બ્રહ્મા રહેલાં છે. આવી આદરણીય વીભુતી હોવા છતાં તેમનું મંદીર રાજસ્થાનનાં પુષ્કરક્ષેત્ર સીવાય હોવાનું જાણમાં નથી. તેનાં કારણરુપ ઘણી ઘણી વાર્તાઓ આપણાં પુરાણોમાં જાણવાં મળે છે. આવાં બ્રહ્માજીનું પ્રાગટ્ય વીષ્ણુનાં નાભીકમળમાંથી થયું હતું.

બ્રહ્મા પણ જેમાંથી પ્રગટ્યા એવા જગતના પાલન-લાલન કરનારાં વીષ્ણુ શેષશૈયા પર સુતાં-સુતાં બ્રહ્માંડની દરેક પ્રવૃત્તી પર ચાંપતી નજર રાખી રહ્યાં છે. વીષ્ણુને પરમાત્માનાં અંશરુપ અને સીધાં પ્રતીનીધી માનવામાં આવે છે. તેમણે જગતને ચલાવવા માટે કંઈ કેટલાંય પ્રશ્નોનું યુક્તીપુર્વક સમાધાન કર્યું છે.

શંકર, આદીદેવ, મહાદેવ, સાક્ષાત શીવ, આશુતોષ, ભોળા શંભુને બ્રહ્માંડનો વીનાશકર્તા માનવામાં આવે છે. તેમનું તાંડવનૃત્ય મોટાં ગ્રહોથી લઈને સુક્ષ્મ પરમાણુઓ સુધી બધાંનો વીનાશ કરી નાંખે છે. તેમનાં ડમરુંમાંથી શીવસુત્રજાળ સ્વરુપે આપણી ભાષા (સંસ્કૃત)નું બીજ નીકળ્યું હતું.

આપણે દરેક જુદાં જુદાં પ્રકારનાં પ્રાકૃતીક બળોને જાણીએ છીએ, જેમ કે, ગુરુત્વાકર્ષણબળ, ચુંબકીયબળ, વીદ્યુતબળ વગેરે. (વીજ્ઞાને જે બળનાં નામ નથી આપ્યાં એવાં પણ ઘણાં બળોનો આપણને અનુભવ છે!) ભૌતીકવીજ્ઞાને આ બધાં બળોમાંથી મુખ્ય ચાર બળોને અલગ તારવ્યાં છે. બાકીનાં બધાં જ આ ચાર પાયાનાં બળોનું જ સ્વરુપ છે. આવા પાયાનાં બળો છે: ગુરુત્વાકર્ષણબળ, વીદ્યુતચુંબકીયબળ, વીકફોર્સ, સ્ટ્રોંગફોર્સ.

વીશ્વનો દરેક પદાર્થ ઉર્જામાં રુપાંતરીત થઈ શકે છે. વીશ્વનું એ જ મુળભુત સ્વરુપ છે - ઉર્જા. જે પદાર્થ દેખાય છે એ બધાં અસ્થાયી સ્વરુપ છે. હવે, દરેક પદાર્થ ગુરુત્વાકર્ષણ ધરાવવાનો મુળભુત સ્વભાવ ધરાવે છે, જ્યારે ઉર્જા પોતે હંમેશાં વીદ્યુતચુંબકીય બળ સ્વરુપે પોતાનાં ચમકારાં બતાવતી રહે છે. જ્યારે ઉર્જામાંથી બ્રહ્માંડ બન્યું ત્યારે જ તેમાંથી ગુરુત્વાકર્ષણબળનો પણ સાથે જન્મ થયો. આ બળ સમયને પણ લાંધીને અનંત અંતરસુધી વીસ્તરેલું હોય છે. આમ, વીશ્વનો દરેક પદાર્થનું ગુરુત્વાકર્ષણબળ, બ્રહ્માંડની સીમા (જો હોય તો) હોય ત્યાં સુધી વીસ્તરેલું આપણે માની શકીએ! અને આમ દરેક પદાર્થનાં આવાં બળની ત્રીપરીમાણીય (કે વધારે પરીમાણધારી, કારણકે ગુરુત્વાકર્ષણબળ સમયને પણ પાર કરીને વીસ્તરેલું હોય છે) ચાદરમાં જ દરેક પદાર્થ અવલંબે છે, ટકી રહે છે. શું આ બળ જ વીષ્ણુ છે?

જ્યારે ગુરુત્વાકર્ષણથી ઘનીભુત થયેલું ઉર્જાનું વાદળ વલોવાય છે, હચમચે છે ત્યારે પ્રોટોન-ન્યુટ્રોન વચ્ચે સંઘભાવના જન્મે છે અને તેમનાં મુળભુત અપાકર્ષણને બદલે સ્ટ્રોંગફોર્સરુપી ભાઈચારો વ્યાપક બને છે, અને નાભીકમળમાંથી પ્રગટે છે પરમાણુ. આ સ્ટ્રોંગફોર્સને લીધે જ પરમાણુઓનું અસ્તીત્વ ટકી રહે છે અને આખું વીશ્વ આકાર લે છે. શું આ બળ એ જ બ્રહ્મા?

અમુક પદાર્થ, તેનાં પરમાણુઓમાં વીઘટીત થયેલો હોય ત્યારે (બાહ્યબળની ગેરહાજરીમાં પણ) તેનાં કેન્દ્રમાં રહેલાં પ્રોટોન-ન્યુટ્રોન ભારત-પાકીસ્તાનનું રુપ ધારણ કરે છે. તેમની ઉર્જાનું વીકીરણરુપી કારગીલ યુધ્ધ જામે છે, અને મુળભુત બંધારણ બદલાઈ જાય છે. પરમાણુમાંથી વીકીરણોનો ધોધ જન્માવતાં આ બળને વીકફોર્સ કહે છે. આખું બ્રહ્માંડ અમુક સમય પછી ધીરી-ધીરે પોતાનું ખોળીયું વીકફોર્સની અસરતળે સંકોરી લેશે. શું આ વીકફોર્સ એ જ શંકર મહાદેવ?

ૐ તત સત ૐ

Sunday, September 16, 2007

સરદારના પ્રેરક પ્રસંગો 3

સરદારના પ્રેરક પ્રસંગો 3
('સરદાર' મુવીમાંથી લીધેલ અંશો)

======== * 1 * ========
ભારતનાં ભાગલા વીશે કારોબારીમાં ચર્ચા ચાલી રહી છે. મહંમદઅલી ઝીણા સુચવે છે કે, ભાગલા પછી દેશનાં નામ હીંદુસ્તાન - પાકીસ્તાન રાખવાં જોઈએ. સરદાર સાફ ના પાડતા કહે છે કે, એક દેશનો નાનો ટુકડો અલગ થઈ રહ્યો છે. મુસ્લીમ લીગ પોતાના ટુકડાનું જે નામ રાખવા ચાહે તે રાખી શકે છે. આ દેશનું નામ ઈંડીયા છે અને ઈંડીયા જ રહેશે. (જે લોકો ભારતને હીંદુસ્તાન તરીકે ઓળખાવે છે તે લોકો ઝીણાની વીચારસરણીને અનુસરી રહ્યાં છે?)

======== * 2 * ========
ભાગલા બાબતે ચર્ચા આગળ ચાલે છે. ઝીણા દરેક પ્રયોગશાળા, સરકારી સંસ્થાઓનાં બે ભાગ કરવા માંગે છે. સરદાર કહે છે, કોઈ સંસ્થાના બે ભાગ કરીએ તો એ ચાલી કેમ શકે? મહંમદઅલી ચૌધરી (જે મુસ્લીમ લીગ તરફથી ICS અફસર તરીકે બધી સરકારી બાબતોનાં સલાહકાર હતાં) કહે છે કે, એક નવો દેશ આ બધું ધરાવ્યાં વગર પ્રગતી કેમ કરી શકે? સરદાર કહે છે કે, ઠીક છે, જ્યાં સુધી તમે આ બધી સુવીધા ઉભી ના કરી શકો ત્યાં સુધી ભારત તમારી જરુરીયાતો પુરી પાડશે.

ત્યારબાદ, ઝીણા 200કરોડ રુપીયાનાં બે ભાગ કરવાનું સુચવે છે. સરદાર કહે છે, નાણાંનાં ભાગલા બન્ને દેશના ક્ષેત્રફળ અને વસ્તી મુજબ કરવામાં આવશે. તે મુજબ, ભારત તમને અત્યારે 20કરોડ અને સ્વતંત્રતા બાદ 55કરોડ આપશે. હવે, ભારત સરકારનું જે દેવું છે તેનાં ભાગ કરીએ. ઝીણા દેવું લેવાનો ઇનકાર કરી દે છે. સરદાર કહે છે કે, કદી ગોટલી વગરની કેરી મળી શકે ખરી? દેવામાં પણ તમારે તમારો હીસ્સો તો લેવો જ પડશે.

એ સાંજે, સરદારના ઘરે એચ.એમ. પટેલ (જે કોંગ્રેસ તરફથી સરકારી બાબતોનાં સલાહકાર હતાં) એવું જણાવે છે કે, સરદાર, ભારત સરકારનાં જે લેણદારો છે એમાંનાં મોટાભાગનાં ભારતની સરહદમાં વસે છો. હવે જો પાકીસ્તાનના ભાગનું દેવું ચુકતે કરવું હોય તો અગવડ તો આપણાં દેશનાં લોકોને જ પડશે ને? આખું વીશ્વ અત્યારે ભારતનાં ભગલાંની દરેક કાર્યવાહી પર નજર રાખી રહ્યું છે. શું આપણે થોડી ઉદારતા ના દાખવી શકીએ? સરદાર તોડ કાઢે છે કે, તો એવું કરીએ કે બધું દેવું ભારત સરકારને માથે રહેશે, અને જે પાકીસ્તાનનો હીસ્સો છે તે પાકીસ્તાને ભારત સરકારને પુરો કરી આપવાનો. પછી, સરદાર એકાએક વીચારે ચઢી જાય છે અને એચ.એમ.ને કહે છે, હીમ્મતભાઈ, હું જ્યારે જ્યારે વીચારું છું કે ભાવી પેઢી આપણાં વીશે શું કહેશે ત્યારે મારી ઉંઘ ઉડી જાય છે. ભવીષ્યનાં લોકોને ક્યાંથી ખબર પડશે કે આ સ્થીતીમાં આ જ યોગ્ય હતું અને આપણે અણીશુધ્ધ પ્રામાણીક્તાથી જ કાર્ય કર્યું છે. એ લોકો તો એમ જ કહેવાના કે તમારી પરીસ્થીતી અને પ્રામાણીક્તા પર કેરોસીન છાંટો. તમે અમને શું આપ્યું?

======== * 3 * ========
15ઓગસ્ટ પછી 565 રાજ્યો આઝાદ થઈ જવાનાં હતાં. એટલે, સરદાર મુખ્ય મુખ્ય રાજાઓની એક બેઠક યોજે છે. સરદાર એમને જણાવે છે કે, અમારી જવાબદારી માત્ર 15 ઓગસ્ટ સુધીની જ છે. (વચગાળાની સરકારની) એટલે એક મહારાજા સરદારને પુછે છે કે, શું તમે અમને ધમકી આપી રહ્યાં છો? સરદારનો જવાબ, હું ધમકી નથી આપી રહ્યો. તમને માત્ર જણાવી રહ્યો છું. પછી અમારો દોષ ના કાઢતાં.

======== * 4 * ========
નેહરુ ભાગલા વીશે પુરેપુરા સંમત નથી હોતાં. તેઓ પણ ગાંધીજીની 'પુર્ણ સ્વરાજ્ય'ની માંગ વીશે જ વીચારે છે. સરદાર નેહરુને સમજાવે છે કે, આખા દેશને ખતરામાં નાંખવા કરતાં, ભલે એક નાનો ટુકડો અલગ થતો. આપણે આપણાં દેશનાં બાકીના ભાગને તો આપણી રીતે સજાવી શકીશું, બનાવી શકીશું. નેહરુ પોતાની ચીંતા જણાવે છે કે, બાપુ શું કહેશે? સરદાર કહે છે, બાપુ તો ના જ પાડશે. જવાહર, દીલ ખાટું ના કરીશ. અમુક નીર્ણયો બાબતે ભવીષ્ય જ નક્કી કરશે કે તે સાચાં હતાં કે ખોટાં.

======== * 5 * ========
કોંગ્રેસની કારોબારીમાં ગાંધીજી મૌલાના આઝાદને કહે છે કે, તમે કોંગ્રેસ પ્રમુખની જવાબદારી 7 વર્ષથી બહુ સરસ રીતે જાળવી છે. પરંતું, હું ઈચ્છું છું કે હવે કોઈ બીજો પ્રમુખ બને. અને એ પ્રમુખ સ્વતંત્ર ભારતનો પ્રથમ વડાપ્રધાન બનશે. બધી જ પ્રદેશ કોંગ્રેસ સમીતીઓએ સરદારનું નામ સુચવ્યું છે. કૃપલાણીએ પોતાનું નામ જવાહરની તરફેણમાં પાછું ખેંચી લીધું છે. હું ઈચ્છું છું કે નીર્ણય એકમતે થાય. જવાહર, હું તમને પુછું છું. કોઈ પણ સમીતીએ તમારું નામ નથી સુચવ્યું. જવાબમાં જવાહર મૌન જાળવે છે. એટલે ગાંધીબાપુ કાગળમાં કાંઈક લખીને સરદારને આપે છે. સરદાર એ વાંચીને ખીસ્સામાં મુકી દે છે, અને જાહેર કરે છે કે, હું મારું નામ પાછું લઉં છું. જવાહરનાં ચહેરા પર સુચક સ્મીત ફરી વળે છે.

======== * 6 * ========
ભગલાની બધી બાબતો ચર્ચાઈ રહી છે. સરદાર એકાએક કહે છે કે, આમને આમ તો 15 ઓગસ્ટ આવશે તો પણ કામ પુરું નહીં થાય. મને ભાઈ મહંમદઅલી ચૌધરી અને એચ.એમ.પટેલ પર પુરેપુરો ભરોસો છે. બન્ને ઘણાં કાબેલ અફસરો છે. બધં આ વાત સ્વીકારી લે છે. એટલે સરદાર એચ.એમ. અને ચૌધરીને એક બંધ ઓરડામાં બેસીને બધાં કામનો નીકાલ પરસ્પર સહમતીથી લાવવાં કહે છે. આમ, ભાગલાંનું 50%થી વધુ કામ આ બે અફસરોએ પુરું કર્યું હતું.

Saturday, September 15, 2007

gopal - Bansidhar Patel

ગોપાલ - બંસીધર પટેલ

વૈષ્ણવને મન સાચું સોનું, ગિરધર ગોપાલ શ્રીનાથજીબાવા.
બાળ ગિરધર ન આપે કાંઈ, માંગે તે સાચો સમર્પણ ભાવ.
રાજભોગ, છપ્પનભોગ ધરાવ્યા સહું, ભાવના ભૂખ્યા બાંકેલાલ.
સાચો મારગ અનાસક્તનો, ગીતા ઉપદેશનો અર્થ એ સાચો.
ગુરુ શિષ્યની પરંપરા પણ, શીખવે અર્પણ મનના ભાવ.
રાધા સંગ નટવર સોહાય, પ્રેમયુગ્મ સાચા હ્રદયના પાસ.
ના માગે કાંઇ પ્રભુ ભક્તની પાસ, માગે તમારા મનનો ઉજાસ.
ઝુઝવા રૂપ અવતારનાં, ધરે ધનુષબાણ કે ઓષ્ઠ મુરલી.
એક ભાસે અનંતમાં, વિભુની વિભુતિઓ વ્યાપેલી સર્વત્ર.
ઈશ તત્વ એ પરમાત્મનું, વિવિધતામાં એકનો દેતું સંદેશ.
ભારતનો ઉધ્ધારક સાચો, ઈષ્ટ પ્રભુ, ગોવર્ધનધારી.

muralidhar - Bansidhar Patel

મુરલીધર - બંસીધર પટેલ

કાળા નટખટ કૃષ્ણ કન્હૈયા, રાધાના પ્યારા મુરલી બજૈયા.
ગિરધર, નટવર, નાચ નચૈયા, ગોપીસંગ તુમ રાસ રચૈયા.
પનઘટ, હરધર, ધૂમ મચૈયા, મખ્ખન, મલાઈ, દૂધ ખેવૈયા.
ગોપાલ, લાલા, હર મનમેં રમૈયા, વ્રજકી રજકો પાવન કરૈયા.
ભક્તનકે તુમ દુઃખ હરૈયા, પાંચાલી કે ચિર પુરૈયા.
રાધા કે સંગ રાસ ખેલૈયા, ગોપીયો કે સંગ ખૂબ નચૈયા.
યશોદાકે લાલા, નંદ કિશોરા, યમુના કે તુમ ઘાટ ગજૈયા.
મહાભારત કે તુમ યુધ્ધ ખેલૈયા, દિવ્યશક્તિ સે જગકો હિલૈયા.
સુવર્ણપુરી કે રાય રમૈયા, ડંકપુર કે તુમ સંગ સેવૈયા.
વિષ્ણુ કે તુમ પૂરણ અવતારા, રામચંદ્રકે રૂપમે ભમૈયા.
કરૂં હું અરજ પ્રિય કન્હૈયા, જલ્દી કરો ઓ નટખટ દૈયા.

રામની વંશાવળી

બ્રહ્મા
|
મરીચી (10 પ્રજાપતી) અને કલા
|
કશ્યપ અને અદીતી, કશ્યપ મનુષ્યજાતીના પીતા
|
વીવસ્વાન (સુર્ય)
|
મનુ (વૈવશ્વત મનુ), ઈક્ષ્વાકુ વંશની શરુઆત
|
ઈક્ષ્વાકુ
|
કુક્ષી
|
વીકુક્ષી
|
બાણ
|
અનારણ્ય
|
પૃથુ
|
ત્રીશંકુ
|
ધુંધુમાર
|
યુવાનશ્વ
|
માંધાતા
|
સુસંધી
|
પ્રસેનજીત + દૈવસંધી
|
ભરત
|
અસીત
|
સગર
|
અસમંજ
|
અંશુમાન
|
દીલીપ
|
ભગીરથ
|
કાકુસ્થ
|
રઘુ (રઘુવંશના સ્થાપક)
|
પ્રવર્ધ
|
શંખણ
|
સુદર્શન
|
અગ્નીવર્ણ
|
શ્રીઘ્રગ
|
મારુ
|
પ્રસુશ્રુક
|
અંબરીષ
|
નહુષ
|
યયાતી
|
નભગ
|
અજ
|
દશરથ
|
રામ + લક્ષ્મણ + ભરત + શત્રુઘ્ન
|
લવ + કુશ

Thursday, September 13, 2007

વૈજ્ઞાનીક ધર્મ - ચીરાગ પટેલ

વૈજ્ઞાનીક ધર્મ - ચીરાગ પટેલ Jul 1992

હાલ વીશ્વમાં જે ઘટનાઓ ઘટી રહી છે, તે જોતાં આપણને એવું લાગે છે કે આજનો માનવસમાજ છીન્ન ભીન્ન થઈ રહ્યો છે. માનવ સંસ્કૃતીમા સ્પષ્ટ બે ભાગ થઈ ગયા છે: પાશ્ચાત્ય સંસ્કૃતી અને પુર્વીય સંસ્કૃતી.

પાશ્ચાત્ય સંસ્કૃતીમાં વીજ્ઞાનને મહત્ત્વ અપાયું છે, ત્યારે પૌર્વાત્ય સંસ્કૃતીમાં આધ્યાત્મીક્તાને. પરંતુ આપણે જોઈ શકીએ છીએ કે માત્ર વીજ્ઞાનથી જ કે માત્ર ધર્મથી કોઈ પણ સંસ્કૃતીને લાભ થયો નથી કે તેનો વીકાસ થયો નથી. આથી આપણે એક નવી વીચારસરણી વીકસાવવી જોઈએ કે જેમાં વીજ્ઞાન અને ધર્મનો સમંવય થતો હોય.

આવી વીચારસરણી વીકસાવવી કેવી રીતે? તે માટે કેટલાક ઉદાહરણો જોઈએ.

1) સાબીત થયું છે કે આપણી આકાશગંગાનો આકાર ઉપરથી જોતાં સર્પનાં મસ્તક જેવો દેખાય છે. હવે આ બાબતને આપણે એક પ્રાચીન માન્યતા સાથે સાંકળી શકીએ.

"આપણી પૃથ્વી શેષનાગના માથા પર છે, જેને લીધે તે અવકાશમાં ટકી રહી છે."

આપણે જોઈ શકીએ છીએ કે આ માન્યતા ખરેખર સાચી છે, પરંતુ તેને સમજવાની આપણી દ્રષ્ટીના અભાવને કારણે વાહીયાત લાગે છે.

2) બીજી એક પ્રાચીન માન્યતા પ્રમાણે, બ્રહ્માના દીવસમાં સૃષ્ટીનો ઉદ્ભવ થાય છે અને બ્રહ્માની રાત્રીમાં સૃષ્ટીનો વીનાશ થાય છે.

આપણા બ્રહ્માંડના બ્લેક હોલમાં પદાર્થનો નાશ થાય છે, તથા વ્હાઈટ હોલમાં પદાર્થ બને છે. તેથી આપણે કલ્પી શકીએ કે આવા હોલ એ જ બ્રહ્મા!

3) આપણા શાસ્ત્રોમાં વીષ્ણુના દશાવતારોનું વર્ણન જોવા મળે છે. આપણે વીષ્ણુના દરેક અવતારોને નીચે મુજબ સાંકળી શકીએ.

મત્સ્યાવતાર - જળચર સૃષ્ટીનો ઉદભવ
કુર્માવતાર - પેટે સરકીને ચાલતાં પ્રાણીઓનો ઉદભવ
વરાહાવતાર - પૃષ્ઠવંશી પ્રાણીઓનો ઉદભવ
નૃસીંહાવતાર - ચોપગાં પ્રાણીઓનો ઉદભવ
વામનાવતાર - પ્રોઝીમીઅન પ્રાણીઓનો ઉદભવ (વાંદરાં કુળનાં પુર્વજ)
પરશુરામાવતાર - ઓસ્ટ્રેલોપીથેક્સ કપીઓનો ઉદભવ
રામાવતાર - હોમો ઈરેક્ટસ માનવોનો ઉદભવ
કૃષ્ણાવતાર - હોમો સેપીયંસ (આધુનીક માનવો) નો ઉદભવ
બુધ્ધાવતાર - માનવોનો વીકાસ
કલ્કી અવતાર - સુપર મનુષ્યોનો ઉદભવ

આમ, વીષ્ણુના અવતારો એ કોઈ વ્યક્તીરુપ નથી, પરંતુ વીકાસક્રમની અમુક ચોક્કસ અવસ્થાઓ છે.

આપણે ધર્મને માત્ર અંધશ્રધ્ધાના વીષયરુપે નહીં, પરંતુ તેની માન્યતાઓને વૈજ્ઞાનીક રીતે મુલવવી જોઈએ.

આ પ્રકારની નવી વીચારસરણી જ માણસને કંઈક નવી દ્રષ્ટી આપી શકશે.
-------------------------------------------------------------
નોંધ: આજે (2007 - 09 - 13) હું આ દરેક વીચારો સાથે સંમત નથી (દશાવતારો વીશે), પરંતુ આ જ પ્રકારની વીચારસરણી નીત્ય કર્મોમાં અપનાવી અમલમાં મુકુ છું.
આ લેખ જુલાઈ, 1992 માં લોક વીજ્ઞાન કેન્દ્ર, વડોદરનાં ત્રીમાસીક 'વિજ્ઞાનવાણી' સામયીકનાં પ્રથમા અંકમાં પ્રકાશીત થયો હતો. હું એ વખતે એલેમ્બીક વીદ્યાલયનાં 11માં ધોરણમાં હતો.

Sunday, September 09, 2007

સરળ રાજયોગ 2

સરળ રાજયોગ 2 Sep 09, 2007

આજે હું મારા અનુભવોની વાત કરીશ. આ અનુભવો જે મારા રાજયોગની સાધનાનું પરીણામ છે. અને તેની સચ્ચાઈની ખાતરી હું કરાવી શકું તેમ નથી, પરંતુ આપને જાતે જ પ્રયોગો કરીને અનુભવ મેળવવા કહી શકું. આપની સાધના અને વ્યક્તીત્વ મુજબ અનુભવોમાં થોડાં ફેરફાર હોઈ શકે છે.

સૌ પ્રથમ હું જે રોજ કરું છું તે જણાવું. મેં ઘણીબધી વાર વાંચ્યું છે કે, આધ્યાત્મીક અનુભવો પોતાના પુરતા સીમીત રાખવાં. પરંતુ, હું માનું છું કે કોઈ તે સ્વીકારે કે ના સ્વીકારે, તેને જાહેર કરવાં જ જોઈએ, તેમાં ગોપનીયતા જેવું કાંઇ છે જ નહીં. શું આપણે વૈજ્ઞાનીક પ્રયોગોનાં તારણો છુપાવીને રાખીએ છીએ? આ જ વાતનું સમર્થન સ્વામી વીવેકાનંદને વાંચતાં થયું, એટલે એ વીચારોને પુષ્ટી મળી, અને હવે તમારી સમક્ષ સઘળું ઠાલવી રહ્યો છું. મને તમારી ટીકાઓ અને ટીપ્પણીઓની આવશ્યક્તા રહેશે. મારી સાધના મારી પોતાની છે, તમે એમાં તમને યોગ્ય લાગે તે ફેરફાર કરીને પાલન કરી શકો છો, પરંતુ તમારા અંતરાત્માને પુછેને!

સતત 'ૐ તત સત ૐ' નો માનસીક જાપ હું કરતો જ રહું છું. ઉઠતાં-બેસતાં, ખાતાં-પીતાં, અહર્નીશ; જ્યારે પણ મન નવરું પડે કે 'ૐ તત સત ૐ'. કોઈ પણ ક્રીયા કરું, ગમે તેટલી સારી-નરસી, એ સર્વે 'મા'ને અર્પણ કરીને જ કરું છું. અને સાથે 'ૐ તત સત ૐ' તો ખરું જ. કોઈ પણ પરીસ્થીતીને સ્વીકારીને ચાલવાં પ્રયત્ન કરું છું. 'મા' પ્રત્યે સંપુર્ણ સમર્પણ કરવાનો પ્રયત્ન કરું છું. પ્રાર્થના, ભજન, આરતી વગેરેનો આનંદ માણું છું.

દરેક યમો અને નીયમોનું પાલન કરવાં નીષ્ઠાપુર્વક પ્રયત્ન કરું છું.

દરરોજ સવારે સુર્યનમસ્કારનાં 5 ચક્રો કરું છું. આંખની કસરત નીયમીત કરું છું (જે મારા વ્યવસાય માટે ખુબ જ ઉપયોગી છે). ચહેરો હલાવ્યાં વગર આંખોને 5-5 વાર ડાબે-જમણે, ઉપર-નીચે, ડાબી બાજુથી ત્રાંસમાં ઉપર-નીચે, જમણી બાજુથી ત્રાંસમાં ઉપર-નીચે, ઘડીયાળના કાંટાની દીશામાં ચક્રાકારે, ઘડીયાળના કાંટાની વીરુધ્ધ દીશામાં ચક્રાકારે ફેરવવી. 5 વખત જોરથી ઉઘાડ-બંધ કરવી. 5 વખત ખુબ જ નજીકની વસ્તુને 5 સેકંડ માટે જોઈને તરત જ 20 ફુટ દુરની વસ્તુને 5 સેકંડ સુધી જોવી.

ન્હાતી વખતે એવી ભાવના કરું કે પાણી મારી અશુધ્ધીઓને દુર કરીને મને પવીત્ર કરી રહ્યું છે. એ પાણીમાં ગંગા/યમુના/સરસ્વતી/સીંધુ/નર્મદા/ગોદાવરીનો સંગમ થયો છે; એવી ભાવના કરું.

ન્હાયા બાદ, ઘરનાં મંદીર સમક્ષ પદ્માસનમાં બેસું. સૌપ્રથમ નાડી શુધ્ધી કરું. 'ૐ તત સત ૐ' જપતાં ખુબ જ ઉંડો શ્વાસ લઉં અને પછી ધીરે-ધીરે છોડું. એક શ્વાસોચ્છવાસમાં લગભગ 15 સેકંડ થાય એટલો સમય રાખું. આવાં 4 ઉંડાં શ્વાસ લઉં. ત્યારબાદ, પુરેપુરો શ્વાસ બહાર કાઢી, જમણા હાથના અંગુઠાથી જમણું નસકોરું બંધ કરી ઉંડો શ્વાસ ભરી લઉં, અને તરત જ અનામીકા અને તર્જની આંગળીઓ વડે ડાબું નસકોરું બંધ કરી પુરેપુરો શ્વાસ જમણાં નસકોરાં વડે કાઢી નાંખું. તરત જ જમણાં નસકોરા વડે ઉંડો શ્વાસ લઈ, અંગુઠા વડે જમણું નસકોરું બંધ કરીને, ડાબા નસકોરાં વડે બહાર કાઢું. આ પ્રક્રીયા ચાર વખત કરું.

નાડીશુધ્ધી બાદ, આંતરીક કુંભક કરું. જમણું નસકોરું બંધ કરી ડાબાં નસકોરાં વડે ચાર વખત ૐ જપતાં ઉંડો શ્વાસ ભરાય તેવું કરું. પછી સોળ સેકંડ સુધી ૐ જપતાં શ્વાસને રોકી રાખું અને એવો ભાવ કરું કે મગજમાંથી શક્તી કરોડરજ્જુનાં મુળમાં આઘાત કરી રહી છે. ત્યાર બાદ આઠ વખત ૐ જપતાં પુરેપુરો શ્વાસ જમણાં નસકોરાં વતી નીકળી જાય તેવું કરું. ફરી 4-16-4 નું ચક્ર જમણેથી પુરક, આંતરીક કુંભક, ડાબેથી રેચક કરું. આ આખું ચક્ર 4 વખત કરું.

બાદમાં બાહ્ય કુંભક કરું. 4 ૐ માં ડાબા નસકોરાં વતી પુરક, 8 ૐમાં જમણાં નસકોરેથી રેચક અને 16 ૐમાં બાહ્ય કુંભક. આ જ પ્રક્રીયા હવે જમણેથી પુરક, ડાબેથી રેચક અને બાહ્ય કુંભક. આ આખું ચક્ર 4 વખત કરું.

ત્યારબાદ 'મા'ની પ્રાર્થના કરું અને તેની પાસેથી 'શાશ્વત પ્રેમ, હંમેશનું તેનું સાન્નીધ્ય અને તેની અનન્ય ભક્તી' માંગું. ગુરુજનોને વંદન કરું અને તેમની પાસેથી 'મા'ની અનન્ય ભક્તે, અહર્નીશ સાન્નીધ્ય અને અનંત પ્રેમ માંગું.

ગાયત્રી મંત્ર 'ૐ ભુર્ભુવઃ સ્વઃ ૐ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત ૐ' નો સસ્વર જાપ કરું. સાતેય ચક્રોમાં ૐનો માનસીક જાપ કરતો ફરી વળું. મુળાધાર (કરોડનો છેડો), સ્વાધીશ્ઠાન (પ્રજનન અવયવનો છેડો), મણીપુર (નાભી), અનાહત (મધ્ય હ્રદયે), વીશુધ્ધ (કંઠ મધ્યે), આજ્ઞા (બે ભ્રુકુટી વચ્ચે), સહસ્ત્રાર (મસ્તકની ટોચે, શીખામુળે) ૐનો આઘાત કરું.

મને પોતાને બ્રહ્માંડનું કેંદ્ર ધારી, 'ૐ તત સત ૐ' જપતાં મારી આગળની દીશાથી જમણી બાજુની દીશામાં (90 અંશ) ફરતાં ગોળાની કલ્પના કરી પ્રાર્થના કરું "સર્વેનું કલ્યાણ થાઓ, સર્વેને સુખની પ્રાપ્તી થાઓ, સર્વેને શાંતી પ્રાપ્ત થાઓ, સર્વે નીરોગી રહો, સર્વેને માની ભક્તી પ્રાપ્ત થાઓ'. વળી 90 અંશ, મારી જમણી દીશામાંથી ફરતાં પાછળની દીશામાં ફરતાં 'ૐ તત સત ૐ' જપતાં ગોળાની કલ્પના કરી એ જ પ્રાર્થના કરું. આમ જ, પાછળની દીશામાંથી ડાબી બાજુની દીશામાં અને ડાબી બાજુની દીશામાંથી આગળની દીશામાં આવું અને બ્રહ્માંડને પુર્ણ કરું.

ત્યારબાદ, હ્રદયાકાશમાં રહેલ આત્મજ્યોતીની કલ્પના કરું અને તેની પણ મધ્યે રહેલાં પરમ જ્યોતી રુપ 'મા'ની કલ્પના કરી પ્રાર્થના કરું કે, 'મને તારું શાશ્વત સાન્નીધ્ય, અનંત પ્રેમ અને અનન્ય ભક્તી આપ'.

પછી, ધીરે-ધીરે ભ્રુકુટી મધ્યે (આજ્ઞાચક્રમાં) એકાગ્રતા મેળવી, કોઈ જ જાપ વગર અવલોકન કરું. મનમાં ઉઠતાં તરંગોને નીહાળવાં પ્રયત્ન કરું અને એમાં જોડાવાથી દુર રહું. જેટલો સમય રહી શકાય તેટલો રહું. બાદમાં આંખો ખોલીને નીચેના મંત્રોનું ઉચ્ચારણ કરું.

ૐ ઐં હ્રીં ક્લીં ચામુંડાયૈ વીચ્ચે ૐ ॥
ૐ ઐં હ્રીં ક્લીં સૌં શ્રીં ૐ ॥
ૐ હ્રીં બલે મહાદેવી હ્રીં મહાબલે, ક્લીં ચતુર્વિધપુરુષાર્થ સિધ્ધિપ્રદે, તત સવિતુર્વરદાત્મિકે હ્રીં વરેણ્યં ભર્ગો દેવસ્ય વરદાત્મિકે, અતિબલે સર્વદયામૂર્તે બલે સર્વ ક્ષુદભ્રમોપનાશિનિ ધીમહિ, ધિયો યો નો જાતે પ્રચુર્યઃ યા પ્રચોદયાદાત્મિકે, પ્રણવશિરસ્કાત્મિકે હું ફટ સ્વાહા ૐ ॥ (બલાતિબલા મહામંત્ર) (આ મંત્રની ક્યારેક ચર્ચા કરીશું.)

પછી, કોઈ પણ ધાર્મીક પુસ્તકનાં ચાર પાનાંનું વાંચન કરું.

સાંજે કામેથી આવ્યાં બાદ પણ, નાડીશુધ્ધી, બાહ્ય કુંભક, આંતરીક કુંભક, પ્રાર્થના અને ધ્યાન કરું.

વર્ષ દરમ્યાન ક્યારેક માત્ર લીંબું નીચોવેલાં પાણી પર જ આખો દીવસ રહી ઉપવાસ કરું. એક સંપુર્ણ દીવસનાં મૌનવ્રતનું પાલન કરવું પણ હવે શરું કર્યું છે.

આ સાધનાથી મને થયેલો અનુભવો હવે જણાવું છું. ક્યાંય કશી પણ અતીશયોક્તી નથી કે મને મહત્વ આપવાની કોશીશ નથી કરી રહ્યો. પરંતુ જે થયું માત્ર અને માત્ર તેને જણાવવાના હેતુસર આ એક સન્નીષ્ઠ પ્રયાસ છે.

મને નાનપણથી વર્ષમાં 4-5 વાર શરદી, તાવ વગેરે આવતાં હતાં. હવે શરદી તો સંપુર્ણ ગાયબ થઈ ગઈ છે (અમેરીકા આવ્યાં પછી પણ મને 3 વર્ષ આ તકલીફ રહી છે, પરંતુ ઉપર જણાવેલ પધ્ધતીનું ચુસ્ત પાલન કરવાથી આ ફેરફાર થયો છે.). તાવ પણ ક્યારેક નામનો અને એ પણ વર્ષે એક વાર દેખા દે છે. શરીરમાં ઘણી ઘણી સ્ફુર્તી અનુભવું છું. શારીરીક રીતે વધારે ચપળ અને સુસજ્જ રહું છું. શરીરનું બંધારણ લગભગ જળવાઈ રહ્યું છે, ચરબી નામ પુરતી જ રહી છે. શરીર સુડોળ રહ્યું છે, અને માનસીક શાંતીનો સતત અનુભવ રહે છે.

ઊંઘ ખુબ જ ગાઢ થઈ ગઈ છે. સ્વપ્નો ક્યારેક જ આવે છે, અને એ પણ એવાં આવે છે કે જેમાં હું અજબ-અજબનાં સંસ્કૃત શ્લોકો બોલતો હોઉં છું. આ બધાં શ્લોકો જાગ્યાં પછી યાદ નથી રહેતાં. અને મેં ક્યારેય વાંચ્યાં હોય એવું પણ મારી જાણમાં નથી. ક્યાંક સાંભળ્યાં હોય તેવો પણ સંભવ નથી. મને સંસ્કૃત શબ્દોનો અર્થ લગભગ ખ્યાલમાં આવી જતો હોય છે, પરંતુ આ બધાં શ્લોકોમાંથી સમખાવાં પુરતું પણ મને કશું ખબર નથી પડતું.

જ્યારે જ્યારે મનમાં ઘણાં વીચારોનો ઉદ્ભવ થાય તે જ ઘટના થોડા દીવસ પછી ઘટી હોવાનો અનુભવ તો અનેકગણી વાર થયો છે (છતાં આ બાબતને હું ચર્ચાસ્પદ માનું છું.).

ધ્યાન વખતે મને શરુઆતમાં આજ્ઞાચક્રમાં જુદાં જુદાં રંગનાં વમળો દેખાતાં હતાં. પરંતું થોડાં અભ્યાસ પછી, હવે તો માત્ર નાનું શું ઘેરાં ભુરાં રંગનું વર્તુળ જ દેખાય છે, અને દરેક વીચારો તે વર્તુળમાં સમાઈ જતાં દેખાય છે. આ વર્તુળ મને ખુબ ખુબ ખુબ શાંતી અને આનંદનો અનુભવ કરાવે છે.

બે વખત મને શરીર અને મન અલગ અલગ હોવાનું અને મન કેવી રીતે શરીરનું સંચાલન કરે છે તેવો અનુભવ થયો છે. એક વાર, મને મૃત્યુ પછી આત્મા આ જગતને કેવું દેખે છે તેવો અનુભવ પણ થયો છે.

શરુઆતનાં અભ્યાસ પછી, ધ્યાનમાં બેસું ત્યારે નાનો સરખો પણ અવાજ મારાં મન પર ઘણ પડતો હોય અને મને હલબલાવી દે તેવો લાગતો. હવે, કોઈ પણ અવાજ અસર નથી કરી શકતો.

હવે, આગળ ઉપર શું થાય છે જોઈએ. પણ, મને મારું ધ્યેય તો લાધી જ ગયું છે: 'મા'નો અનન્ય પ્રેમ, શાશ્વત સાન્નીધ્ય અને તેની ભક્તી! એ સીવાયનું બધું જ માત્ર અને માત્ર ધેય સુધી પહોંચવાનું સાધન છે.

Saturday, September 08, 2007

સરળ રાજયોગ 1

સરળ રાજયોગ 1 - ચીરાગ પટેલ Sep 08, 2007

ઘણાં વખતથી મારે રાજયોગ વીશે લખવું હતું, પરંતુ યોગ્ય સમયની રાહ જોતો હતો. અને ગઈકાલે જ સુરેશદાદાની એ વીશેની પૃચ્છાએ આ લેખ લખવા મને ઇંધણ પુરું પાડ્યું.

ઋષી પતંજલીએ આજથી લગભગ 2500 વર્ષ પહેલાં 'યોગસુત્ર' લખ્યાં છે, જેમાં રાજયોગનાં સીધ્ધાંતો પ્રતીપાદીત કરવામાં આવ્યાં છે. શ્વેતાશ્વતર ઉપનીષદમાં પણ સમાધી, કૈવલ્યપદ વગેરેની સુક્ષ્મ સમજુતી આપવામાં આવી છે. સ્વામી વીવેકાનંદે એમનાં 'રાજયોગ' પુસ્તકમાં દરેક સીધ્ધાંતોની વીસ્તૃત ચર્ચા કરી છે. અહીં હું એમના પુસ્તકનો આધાર લઈને સરળ રાજયોગની પધ્ધતી જણાવું છું. સાથે, મારા પોતાના અનુભવો પણ વર્ણવીશ.

રાજયોગ દ્વૈત અથવા અદ્વૈત બન્નેનાં અંતીમ ધ્યેયને પ્રાપ્ત કરવાનાં ઘણાં સાધનોમાંનો એક છે. ભક્તી, સંન્યાસ, કર્મ વગેરે અનેક જુદાં જુદાં રસ્તાઓ અંતે તો એક જ બની જાય છે. શરુઆતમાં દરેક રસ્તા અલગ અલગ જણાય છે, પરંતુ એકનું ચુસ્ત પાલન આપોઆપ અંતે તો એક જ સામાન્ય માર્ગે દોરી જાય છે.

રાજયોગનાં આઠ પગથીયાં:

1. યમ:
જેમાં સત્ય - હકીકત જેવી છે તેવી જણાવવી, અહીંસા - કોઇ પણ પદાર્થ/જીવને હાની ના પહોંચાડવી, અસ્તેય - કોઇની વસ્તુ પડાવી ના લેવી, અપરીગ્રહ - ગમે તે સંજોગોમાં કોઇની પાસેથી દાન ના લેવું, બ્રહ્મચર્ય - ઇંદ્રીયોનો સંયમ (દમન નહીં) જેવાં પાંચ કર્મ આધારીત પદ છે. દરેક પદ વીશે ઘણું લખી શકાય તેમ છે, પરંતું અંતે તો એ જે તે પાલનકર્તાની વીવેકબુધ્ધી અને સામાજીક નીયમો પર આધારીત છે. અહીંસામાં દ્રઢ થવાથી વૈરભાવ નીકળી જાય છે. સત્યમાં પ્રતીષ્ઠીત થવાથી કર્મો કર્યા વીના કર્મોનું ફળ પ્રાપ્ત થાય છે. અસ્તેયમાં દ્રઢ થવાથી સર્વ રત્નો પ્રાપ્ત થાય છે. બ્રહ્મચર્યમાં સ્થીર થવાથી શક્તી મળે છે. અપરીગ્રહમાં દ્રઢ થવાથી પાછલા જન્મોની સ્મૃતી થાય છે.

2. નીયમ:
જેમાં તપ - શારીરીક કષ્ટ સહન કરવાં, સ્વાધ્યાય - સતત શાબ્દીક/અર્ધશાબ્દીક/માનસીક જપ, શૌચ - બાહ્ય (શારીરીક) અને આંતરીક (માનસીક) શુધ્ધી, સંતોષ - હકીકત જેવી છે તેવી સ્વીકારવી, ઇશ્વર પ્રણીધાન - ભજન, કીર્તન, પ્રાર્થના, પુજા, અર્ચના; એમ પાંચ પદ છે. ફરીથી, આ દરેક પાલનકર્તાની વીવેકબુધ્ધી, સામાજીક નીયમો અને દેશ-કાળ પર આધાર રાખે છે. તપ વડે શરીર અને ઈંદ્રીયોની સીધ્ધીઓ આવે છે. શૌચથી ચીત્તની શુધ્ધી, પ્રસન્નતા, એકાગ્રતા, ઈન્દ્રીયજય અને આત્મદર્શનની યોગ્યતા આવે છે. સંતોષથી સર્વોત્તમ સુખ પ્રાપ્ત થાય છે. સ્વાધ્યાય વડે ઈષ્ટદેવનો સાક્ષાત્કાર થાય છે. ઈશ્વર પ્રણીધાનથી સમાધી પ્રાપ્ત થાય છે.

3. આસન:
ગરદન, માથું, કરોડ ટટ્ટાર રાખીને એક સ્થીતીમાં લાંબા સમય સુધી બેસવું. દરેકને પોતાની પ્રકૃતી પ્રમાણે પદ્માસન, સુખાસન, સીધ્ધાસન, મુળબંધનાસન, વજ્રાસન વગેરે આસનોમાંથી એક અનુકુળ આવી શકે છે. આસનથી દ્વંદ્વોની અસર નાબુદ થાય છે.

4. પ્રાણાયામ:
આપણે ત્રણ નાડીઓ દ્વારા શ્વાસ લઇએ છીએ: ઇડા (સુર્ય, ડાબી), પીંગળા (ચંદ્ર, જમણી), સુશુમ્ણા (મધ્ય). વારાફરતી દરેક નાડી દ્વારા શ્વાસોચ્છવાસની પ્રક્રીયા ચાલતી રહે છે. શ્વાસ અંદર લેવાની પ્રક્રીયાને પુરક કહે છે. શ્વાસ શરીરની બહાર કાઢવાની પ્રક્રીયાને રેચક કહે છે. શ્વાસને શરીરની અંદર રોકવાની પ્રક્રીયાને આંતરીક કુંભક કહે છે, અને શ્વાસને શરીરની બહાર રોકવાની પ્રક્રીયાને બાહ્ય કુંભક કહે છે. પ્રાણાયામ જો માનસીક મંત્રજાપ સાથે કરવામાં આવે તો તેને 'સગર્ભ' પ્રાણાયામ કહે છે, મંત્રજાપ વગરનાં પ્રાણાયામને 'અગર્ભ' પ્રાણાયામ કહે છે. પ્રાણાયામ કરતાં પહેલાં નાડીશુધ્ધી કરવી જરુરી છે. અને 'સગર્ભ' પ્રાણાયામ કફ વગેરે દુર કરવામાં સહાયભુત થાય છે. પ્રાણાયામથી મન ધારણા માટે યોગ્ય બને છે.

5. પ્રત્યાહાર:
ઇંદ્રીયોનો પોતાના વીષયોનો ત્યાગ અને તેમને મનની અંદર વાળવાની ક્રીયા. ધ્યાનની સાધનામાં પ્રથમ પગથીયું છે. તેનાથી ઈન્દ્રીયો પર કાબુ આવે છે.

6. ધારણા:
12 સેકંડ સુધી કોઇ એક લક્ષ્ય પર મન એકાગ્ર થાય તો તેને ધારણા કહે છે.

7. ધ્યાન:
3 મીનીટ સુધીની મનની એકાગ્રતા એટલે ધ્યાન.

8. સમાધી:
30 મીનીટ સુધીની મનની એકાગ્રતા સમાધી છે. સમાધીના ઘણાં બધાં પ્રકાર છે.

ચુંટેલા વાક્યો: ---------------------------------------

- ધર્મ પ્રાચીન કાળના અનુભવો પર રચાયેલો છે એટલું જ નહીં, પણ જ્યાં સુધી એ અનુભવોને પોતે પ્રાપ્ત કરે નહીં ત્યાં સુધી કોઈ પણ માણસ ધાર્મીક થઈ શકે નહીં.

- યોગ્ય પૃથક્કરણ વીના કોઈ પણ વીજ્ઞાન નકામું નીવડવાનું - એ માત્ર સીધ્ધાંતનીરુપણ જ રહેવાનું.

- સઘળાં દુ:ખનું મુળ છે ભય, અતૃપ્ત વાસના.

- રાજયોગના સઘળા ઉપદેશોનું ધ્યેય એ છે કે મનને કેવી રીતે એકાગ્ર કરવું, ત્યાર પછી આપણા પોતાના મનનાં ઊંડામાં ઊંડા રહસ્યોને કેવી રીતે શોધી કાઢવાં, ત્યાર પછી તે બધા વીષયો પરથી સામાન્ય નીયમો કેવી રીતે તારવવા; અને તેમના પરથી આપણા પોતાના નીર્ણયો કેવી રીતે બાંધવા.

ધર્મના ક્ષેત્રમાં પણ જે કંઈ તમને નબળા બનાવે તે બધાનો ત્યાગ કરો, તેની સાથે કશો સંબંધ ન રાખો. રહસ્યમયતાનો શોખ મનુષ્યના મગજને નબળું બનાવે છે. યોગવીદ્યા કે જે એક ભવ્ય વીજ્ઞાન છે, તેનો રહસ્યમયતાએ લગભગ નાશ કરી નાંખ્યો છે.

- બધી સાધનાઓનો હેતુ, અંતીમ ધ્યેય તો આત્માની મુક્તી છે. પ્રકૃતી પર સંપુર્ણ કાબુ, અને એથી ઓછું જરાય નહીં, એ ધ્યેય હોવું જોઈએ.

- મધ્યમ વર્ગના મનુષ્યોમાંથી જ દુનીયાના મહાન પુરુષો આવે છે.

- જ્યારે યોગી પુર્ણ બને છે ત્યારે કુદરતમાં એવું કંઈ જ નથી રહેતું કે જે તેના કાબુ નીચે ન આવે.

- પ્રાણાયામ એટલે શ્વાસ લેવાની ક્રીયા નહીં, પણ ફેફસાંને ચલાવનારી માંસપેશીની શક્તી પર કાબુ મેળવવો.

- કુદરતને પોતાને પ્રચંડ પ્રવાહોને મોકલવા કોઈ તારની જરુર નથી પડતી. તાર વીના ચલાવી શકવાની આપણી અશક્તી જ તાર વાપરવાની આપણને ફરજ પાડે છે.

- અજ્ઞાન અને સંપુર્ણ જ્ઞાન બન્નેમાં જ્ઞાતાની સ્થીતી સરખી જ હોય છે, પરંતુ એ બન્ને અવસ્થામાં ઘણો ઘણો ફેર છે.

- ઈશ્વર ગુરુઓનો પણ ગુરુ છે અને ૐ તેનો બોધક શબ્દ છે.

- નવા વીચારો અને નવી ઘટના મગજમાં નવા ચીલા પાડે છે, તેને ખળભળાવી મુકે છે; અને મન એને સ્વીકારવાની ના પાડે છે.

- યોગની સચ્ચાઈ વીશે શંકાશીલ હોય તે થોડા અભ્યાસ પછી અનુભવે તેની શંકાઓ મટી જશે.

- તપ, સ્વાધ્યાય અને ઈશ્વર પ્રણીધાનને 'ક્રીયાયોગ' કહે છે.

- ધારણા, ધ્યાન અને સમાધી એક જ વસ્તુ પર કરવામાં આવે, ત્યારે તેને 'સંયમ' કહે છે.

ધ્યાનના પ્રકારો: -------------------------------------

- ભ્રુકુટી મધ્યે આજ્ઞાચક્રમાં

- હ્રદયની કમળરુપે કલ્પના કરો અને ધ્યાન કરો

- મનને હજાર પાંખડીનું કમળ ધારી એનું ધ્યાન

- હ્રદયમાં જ્યોતીરુપે આત્મા અને તેની મધ્યે પરમ જ્યોતી ધારીને ધ્યાન કરો

- કોઈ પણ પરમાણુથી માંડી પરમ મહત સુધી મનગમતી અને પવીત્ર વસ્તુ પ્રત્યે ધ્યાન કરો

જાપ અને પ્રાણાયામમાં સહાયભુત મંત્રો: ----------------------------

1. ૐ

2. સોડ્મ

3. ૐ તત સત ૐ

4. ૐ ઐં હ્રીં ક્લીં સૌં શ્રીં ૐ

Sunday, September 02, 2007

સમાધિનું ગીત - સ્વામી વિવેકાનંદ

સમાધિનું ગીત - સ્વામી વિવેકાનંદ

નહીં સૂર્ય, નહીં જ્યોતિ,
નહિ શશાંક સુંદર;
ભાસે વ્યોમે છાયા સમ,
છબી વિશ્વ ચરાચર ....... નહિ સૂર્ય

અસ્ફુટ મન - આકાશે
જગત - સંસાર ભાસે,
ઊઠે, ભાસે, ડૂબે પુનઃ
'અહં' સ્ત્રોતે નિરંતર ........ નહિ સૂર્ય

ધીરે ધીરે છાયા દળ
મહાલયે પ્રવેશિયું;
વહે માત્ર 'અહં' 'અહં'
એ જ ધારા ક્ષણે ક્ષણ ........ નહિ સૂર્ય

એ ધારાયે બંધ થઇ,
શૂન્યે શૂન્યે મળી ગઇ;
અવાડ્મનસોગોચરમ
થાય પ્રાણ માંહે જાણ ........ નહિ સૂર્ય

Saturday, September 01, 2007

સચ્ચા આશીક - બંસીધર પટેલ

સચ્ચા આશીક - બંસીધર પટેલ

મેરે પ્યારકો ન સમજો ઇતના કમજોર,
મેં તુમ્હારા સચ્ચા આશીક હું.

દીલ, દૌલત ઔર દુનીયા બડી નટખટ,
મેં લાચાર હોકર દેખ રહા હું.

તુમ્હારે પ્યાર કા આશરા બદલે ના કરવટ,
મેં હરદમ સોચતા રેહતા હું.

દે દી કંઇ ઇંસાનોને જાન પ્યારમેં ઝટપટ,
મેં તુમ્હેં ન ખોના ચાહતા હું.

સંવર જાયે મેરા જીવન બેહદ,
અગર પ્યાર મીલે મુઝે દેખતા હું.

ઇન હરી ભરી વાદીયાં, મેં લગતા અનજાન,
અગન બુઝાદો પ્યારસે પુકારતા હું.

પ્યારકા નશા છા ગયા બેહદ,
ન દુનીયાકી પડી મનમેં સોચતા હું.

સપનેમેં, દીનકે ઉજાલેમેં છાયી હો ઐસે,
સાંસોંસે લીપટી હુઈ તન્હાઇ હો જૈસે.

ન તડપાઓ, મરહુમ ન હો જાઉં કહીં,
બદલતે આઇને તસવીર બનકે તેરે દીલમેં રહું.

ટીકા - બંસીધર પટેલ

ટીકા - બંસીધર પટેલ

કડવો ઘુંટ ટીકાઓનો પીને મસ્ત ફરું હું;
નથી પડી મને કોઇની, છોને ધમપછાડા કરે સહુ.
ચાલ્યે જતા ગજરાજની વાંહે ભસે જ્યમ શ્વાન;
કર્ણની આરપાર સરતી વાતો, નથી ઉરમાં ભળતું જ્ઞાન.

ઘરનું ઘસીને ગોપીચંદન, વાતોનાં વડાં કરનારાં;
વાતોનું વતેસર અરુ ગામ આખાની ફીકર કરનારાં.
'સ્વ'નું હોય ના કોઇ ઠેકાણું, પારકી ભાંજગડ પ્રથમ કરનારા;
સમયનું કાઢીને કાસળ, નારદતણો પાઠ ભજવનારા.

ભલે હોય સજ્જન કે દુર્જન, એક અસ્ત્રે મુંડન કરનારા;
ડાબલીઓ ભરીને છીંકણીની, ડોશીઓની જેમ વાર્તા કરનારા.
ખરા-ખોટાનો મર્મા જાણ્યાં વીના, બકબક સદા કરનારા;
અંજલી આપું શું એવાઓને, ટીકાનું ટોનીક સદા પીનારા.

જાણું હું ભેંસ આગળ ભાગવત વ્યર્થ છે ભણવાનું;
જીવ મારો એવો કે કંઇક કહેવા કડવું સત્ય તલસી રહ્યો.
ટીકા એ જીવનની શાળા ભલી, શીખવાનું ઘણું સારું મળે;
વરસતી ઝડીઓ ટીકાઓની, ઝીલવા સમર્થ હું સદા ખડો.

સરદાર પટેલ પ્રેરક પ્રસંગો 2

સરદાર પટેલના પ્રેરક પ્રસંગો 2
('સરદાર' મુવીમાંથી લીધેલ અંશો)

======== * 1 * ========

અંગ્રેજો ભારતને જુન 1948 સુધી આઝાદી આપવાનું આયોજન કરે છે. એ માટે લોર્ડ માઉંટબેટનની નીયુક્તી કરવામાં આવે છે. લોર્ડ દરેક મુખ્ય નેતાઓને અંગત રીતે મળવા માંગે છે. લોર્ડ પોતાની પત્ની (લેડી એડવીના)ને કહે છે, "આ દરેક નેતાઓમાં 5 બાબતો સામાન્ય છે: બધાં વૃધ્ધ છે, બધાં વકીલ છે, કોઇને એડમીનીસ્ટ્રશનનો અનુભવ નથી, બધાં ડુબી રહ્યાં છે, બધાંને સ્વરાજય જોઇએ છે. હવે, તું જો હું કેવું રાજકારણ ખેલું છું."

લોર્ડ નેહરુ, લીયાકતઅલી, ગાંધીજી, સરદાર અને ઝીણાને મળે છે. નેહરુ, લીયાકતાલી અને ઝીણા સાથે તેમને અંગત અને સાંપ્રત ચર્ચા થાય છે. ગાંધીજી લોર્ડને સાફ શબ્દોમાં સુણાવે છે કે અત્યાર સુધીના લોર્ડ જે વાવી ગયા છે (ડીવાઇડ અને રુલ) તે તમારે અને અમારે ભોગવવું તો પડશે જ. હાલના સંજોગોમાં શ્રેષ્ઠ ઉપાય એ છે કે મુસ્લીમ લીગ સત્તા સંભાળી લે, તો જ આપણે ભાગલામાંથી બચી શકીશું. મને સંપુર્ણ સ્વરાજ્ય સીવાય ઓછું કશું નથી ખપતું.

જ્યારે સરદાર મળવા આવે છે ત્યારે લોર્ડ પુછે છે, "સરદાર, તમે રાજકારણમાં કેવી રીતે આવ્યા?" સરદાર કહે છે, "અહીં હું મારા વીશે વાત કરવા નથી આવ્યો. હું અહીં એ જણાવવા આવ્યો છું કે અમે અમારા નવા વાઇસરોય પાસે શું અપેક્ષા રાખીએ છીએ." લોર્ડ કહે છે, "માફ કરજો, પરંતુ પહેલાં હું આપને જાણવા માંગું છું." સરદાર કહે છે, "તો હું રજા લઇશ."

======== * 2 * ========

ગાંધીજીએ લોર્ડને જે જણાવ્યું એ કોંગ્રસની કારોબારીમાં પણ જણાવ્યું, કે પોતાને ભાગલા માન્ય નથી, અને એટલે જ લીગને સત્તા સોંપી દઇએ. સરદારનો જવાબ, "બાપુ, તમે મહાત્મા છો. તમે જ આવું વીચારી શકો. અમે રહ્યાં સામાન્ય માણસો. અમે આવું ના કરી શકીએ."

Friday, August 31, 2007

સરદાર પટેલના પ્રેરક પ્રસંગો 1 - ચીરાગ પટેલ

સરદાર પટેલના પ્રેરક પ્રસંગો 1 - ચીરાગ પટેલ

======== * 1 * ========

જવાહરલાલ નેહરુ સરદાર વલ્લભભાઇ પટેલના ઘરે આવે છે. મણીબેન (સરદારના દીકરી) બે પ્યાલામાં ચા લાવે છે. સરદાર અને નેહરુ કોઈ ચર્ચામાં મગ્ન છે. નેહરુ ચાનો પ્યાલો લઈને વાતો કરતાં કરતાં ચાનો પ્યાલો પાછો મુકીને રજા લે છે, "સરદાર, હવે હું રજા લઉં. વીદેશી પત્રકારો સાથે મારે ફોટોસેશન છે." નેહરુ રજા લે છે. સરદાર અને મણીબેન એમને વળાવે છે.

નેહરુને વળાવ્યાં પછી, મણીબેન સરદારને કહે છે, "એમણે ચા પણ ના પીધી. બાપુ, તમે આવુ કરો?" સરદાર ઉવાચ, "અરે, મારે માટે વીદેશી પત્રકારો ક્યાં આવે છે?"


======== * 2 * ========

સરદાર પર ગૃહમંત્રાલયના કોઇ અફસરનો ફોન આવે છે, "સરદાર, મુંબઇમાં પરીસ્થીતી ખુબ જ વણસી રહી છે. પોલીસવડા ગોળીબારી કરવાનુ કહે છે જેથી લોકોનાં ટોળા પર કાબુ મેળવી શકાય." સરદાર કહે છે, "જે કરવું પડે એ કરો." અફસર પુછે છે, "પણ સરદાર, અહીંસાનું શું થશે?" સરદાર કોઇ જ જવાબ આપ્યા વગર ફોન મુકી દે છે.

======== * 3 * ========

મે 16 અને જુન 16 ના બે પ્રસ્તાવો લોર્ડ ક્રીસ્પ રજુ કરે છે અને કોંગ્રેસ, મુસ્લીમ લીગ વગેરે કયો પ્રસ્તાવ માન્ય રાખવો એનો નીર્ણય કરવાના હોય છે. સરદાર રાજપથ પરથી ગાડીમાં પસાર થતાં હોય છે, ત્યારે સામેની બાજુની ગાડીમાંથી એક વ્યક્તી (સુધીર ઘોષ) એમને થોભવા કહે છે. સરદાર એમની ગાડી રોકાવે છે. મણીબેન પુછે છે, "આ કોણ છે?" સરદાર કહે છે, "બાપુનો દુત અને વાઇસરોયનો મીત્ર, સુધીર ઘોષ." સુધીર ઘોષ નજીક આવી સરદારને કહે છે, "મારી ગાડીમાં લોર્ડ બેઠાં છે. ઝીણા મે 16 અને જુન 16 બન્નેનાં પ્રસ્તાવોને માન્યતા આપી ચુક્યાં છે. જો કોંગ્રેસ હવે કોઇ પણ પ્રસ્તાવ નહીં સ્વીકારે તો અંગ્રેજો લીગને સતા સોંપી ચાલ્યા જશે." સરદાર પુછે છે, "શું ખરેખર આવું થઇ શકે છે?" સુધીર ઘોષ હકાર ભણે છે. સરદાર પોતાની ગાડીમાંથી ઉતરી લોર્ડની ગાડી પાસે જાય છે. લોર્ડનું અભીવાદન કરે છે. લોર્ડ ચર્ચા કરવાની શરુ કરે છે. સરદાર એમને અટકાવીને કહે છે, "શું આપણે આમ રસ્તા વચ્ચે ભારતનું ભાવી નક્કી કરીશું?"

Thursday, August 30, 2007

સંન્યાસીનું ગીત - સ્વામી વિવેકાનંદ

સંન્યાસીનું ગીત - સ્વામી વિવેકાનંદ
(ન્યૂયોર્ક, થાઉઝંડ આયલેંડ પાર્કમાં જુલાઈ 1895માં રચેલું) (ગુજરાતી ભાવાનુવાદ)

જગાવો એ મંત્ર! પ્રકટિત થયો જે સ્વયમ,
યુગો પહેલાં ગાઢાં વનમહીં, ગિરિગહ્વર વિષે;
શકે ના જ્યાં પહોંચી જરી મલિનતા આ ધરતીની;
જહીં વ્હેતો જ્ઞાનપ્રવાહ; સત, આનંદ ભરતી;
અહો તું સંન્યાસી અભય, બસ એ ઉચ્ચરી રહે;
"ૐ તત સત ૐ" - 1

વછોડી દે બેડી સજડ જકડી જે રહી તને,
ભલે સોનાની, કે કથીર થકી એ નિર્મિત બની;
ઘડી રાગ-દ્વેષો, ભલું-બૂરું, બધાં દ્વંદ્વ થકી એ;
ગુલામી તો રહેતી અફર જ ગુલામી સહુ વિધે.
સોનાની બેડીનું શિથિલ જરી ના બંધન થતું.
તજી દે તો દ્વંદ્વો સહુય; બનીને મુક્ત રટજે;
"ૐ તત સત ૐ" - 2

તજી દે અંધારું સઘન અતિ અજ્ઞાનતણું જે,
તજી દે ખદ્યોતી ઝળક તિમિરો ઘટ્ટ કરતી.
તજી દે તૃષ્ણા જીવનતણી મહા ઘૂમવત જે
તને મૃત્યુને જીવનની ઘટમાળે નિરવધિ.
જગત જિતે છે તે, નિજ ઉપર જે જીત લભતા.
લહી આ, માથે ઉન્નત વિચર સંન્યાસી! ગજવી:
"ૐ તત સત ૐ" - 3

"લણે તે જે વાવે, અફર," જન કહે: "કારણ સદા
ફળે કાર્યે; ઊગે અશુભ અશુભે; ને, શુભ શુભે.
બધાં બંધાયાં આ સજડ નિયમે; બેડી જકડી
રહી, સૌને, જેણે જનમ જ ગ્રહ્યો નામ-રૂપમાં."
ખરું એ સૌ; કિંતુ સહુથી પર આત્મા વિલસતો,
વિમુક્તાત્મા નિત્યે રૂપ વગરનો, નામવિણ જે;
અને સંન્યાસી, તે તું જ પરમ, રહે ઘોષ ગજવી;
"ૐ તત સત ૐ" - 4

પિતા, માતા, પત્ની, સુહ્યદ, શિશુ, - એવાં સ્વપનમાં
ડૂબ્યાં જે, ના તેઓ કદીય પણ રે, સત્ય પરખે.
અલિંગી આત્મા તે, જનક કયમ? કોનો શિશુ વળી?
સખા-શત્રુ કોનો, જગ મહીં જહીં એ જ વિલસે?
અને તે તું પોતે વિભુસ્વરૂપ, હે ઉચ્ચરી રહે:
"ૐ તત સત ૐ" - 5

વિમુક્તાત્મા, જ્ઞાતા, અરૂપ બસ એ એક જગમાં,
અનામી જે, ને જે નિરમલ વિશુધ્દ્વ સ્વરૂપ જે;
વસે તેમાં માયા - જગત સહુ જેનું સ્વપન છે.
બને છે એ આત્મા પ્રકૃતિમય, સાક્ષીસ્વરૂપ જે:
તું જાણી લે તે છે તુજ સ્વરૂપ. સંન્યાસી વદ હે!
"ૐ તત સત ૐ" - 6

કહીં શોધે મુક્તિ, સુહ્યદ દઇ એ કોઇ ન શકે;
નકામું ઢૂંઢે મંદિર મહીં અને પોથી મહીંથી
તને ખૂંચે જે બંધન, સજડ એ તેં જ ગ્રહ્યું છે;
નકામાં છોડી દે વિલપન, તજંતાં જ કરથી
છુટી જાશે એ બંધન સજડ; રહે નાદ ગજવી:
"ૐ તત સત ૐ" - 7

કહે શાંતિ સૌને: અભય મુજથી હો સકલને:
વસે જે શૃંગોયે પર, જન તળેટી મહીં વળી,
વસે છે એ સૌની મહીં નહિ બીજો કોઇ, બસ હું!
તજું છું સૌ લોકો, તજું પૃથિવી ને સ્વર્ગ, નરકો,
નિરાશા ને આશા ઉભય તજું હું, દ્વંદ્વ સઘળાં.
બધાં કાપીને બંધન સુદ્દઢ સંન્યાસી, વદ હે!
"ૐ તત સત ૐ" - 8

ન હો પરવા કાંઇ પછી મરણ કે જીવનતણી.
કરી લીધું દેહે સકલ નિજ કર્તવ્ય જ પૂરું,-
ભલે સંસારાબ્ધિ જલ મહીં યથાકર્મ વહતો;
ધરાવે કો એને કુસુમ, અથવા તાડન કરે,
સમત્વે રહેલું તો, કશું સ્તવન, નિન્દા વળી કશી,
સ્તુતિ, સ્તોતા ને જ્યાં સ્તુતજન બધું એક જ તહીં,
જુદા નિન્દાખોરો નહિ લગીર જ્યાં નિન્દિત થકી!
પ્રશાંતાત્મા થા તું પરમ: રટ ખુલ્લા સ્વર થકી
"ૐ તત સત ૐ" - 9

વસે કામ-ક્રોધો જહીં, જહીં વસે લોભ જ વળી,
પ્રવેશે ત્યાં કો દિ, નહિ સત. વધુ ભાવથી જુએ,
સ્ત્રીને, પૂર્ણત્વે તે નહિ જ કદીયે પહોંચી શકતા.
ભરાતો ક્રોધે જે, લગીર પણ જેને પરિગ્રહ,
વળોટે માયાના નહિ જ દરવાજા કદીય તે:
તજી દે તેથી આ બસ બધુંય: રહે વીર! રટતો:
"ૐ તત સત ૐ" - 10

ન હો તારે કોઇ ઘર, ઘર સમાવી નવ શકે
તને; તારે ઊંચી નભ-છત, પથારી તૃણ તણી;
અને ભિક્ષામાં જે મળી જ ગયું તે ભોજન ભલું,
નહિ શુધ્દ્વાત્માને કલુષિત કદી તે કરી શકે.
વળી જા તું વ્હેતી સરિત સમ નિર્બંધ જગમાં;
અને સંન્યાસી! નિર્ભય, બસ રહે મંત્ર ગજવી:
"ૐ તત સત ૐ" - 11

ઘણાં થોડા કેરી ગતિ પરમ એ સત્યની મહીં.
બીજાના ધિક્કારો, ઉપહસનને ના ગણીશ તું.
વિમુક્તાત્મા, ઘૂમી સ્થળ સ્થળ મહીં રહે તું સઘળે.
છૂટી જાવા માયાપિંજરથી બધાંને મદદ દે.
સુખેચ્છાને ત્યાગી, ભય દુઃખતણો દૂર કરીને
બની જા બંનેથી પર તું: વદ ઉચ્ચ સ્વર થકી:
"ૐ તત સત ૐ" - 12

અને એવી રીતે દિન પછી દિન કર્મ ખૂટતાં
જશે છૂટી આત્મા, પુનરપિ નહિ જન્મ ધરશે.
નહિ હું-તું ભાવો પછીથી ટકતા, લીન બનતાં
બધામાં 'હું', 'હું' માં જગત સહુ: આનન્દઘનતા:
તું છે તત જાણી લે પરથી પર: પોકાર કર તું:
"ૐ તત સત ૐ" - 13

Saturday, August 18, 2007

Fasting in Hinduism

http://www.helium.com/tm/535826/hindus-divided-different-sects

Hindus are divided into many different sects. Some sects which are based on "Vaishnava Smpradaya", asks the followers to do fasting once every month. The Hindu calendar follows lunar phase. So, every month the 11th day of full moon phase, is considered the auspicious day to observe fasting.
The basics of Hinduism are found in great texts written around 6000 years ago. Bhagavad Gita is one of them which forms very integral terms of Hinduism. This text clearly states characteristics of being a Yogi, to lead spiritual path, and be enlightened. Gita is very much specific about choosing food and eating habits. According to this great book, offering any substance in pure form to God is the best food. It also cites some substances as Basil leaves, flowers, fruits, and water which are pure and to be offered to God. It states that a true Yogi does not eat more, and also he does not eat less.
Later part of development in vedic texts which were written 3000 years ago, from them, Patanjali who established a system of "RajaYoga", declared 8 steps to become a "RajaYogi". Second step in this system is "Niyama". This step includes a sub-system called "Tapa". "Tapa" means habituate mind and body to suffer hardship. According to this system, "Tapa" purifies mind and body and makes one ready for advancement in spiritual path.
We can identify two different systems suggested for us to follow - one which favors suffering habit, the other denies it.
Now, let us add a different perspective to this topic. Physiologically, our body requires energy to digest food we take in. So, if we can fast for half day or full day, that energy can be utilized for other purposes. People in old time chose some period of time especially during monsoon which lasts for almost 4 months in India, to do fasting. During this period of year, people feel loss of appetite, and water and/or food contamination. So, doing frequent fasting allows one to tackle these issues.
In modern era fasting, people use food cooked with rock salt on the day of fasting. But, this is not a correct way. The whole purpose of fasting is not realized in this case. The best way to fast is to use water only during the day. Some people even prefer not to take water. They do "Nirjala" (literally meaning without water and any food) fasting.
Fasting is considered allowing one to divert attention from food to soul. That allows one to seek path to the truth.

vepaari - Bansidhar Patel

વેપારી - બંસીધર પટેલ

બન્યો છે વેપારી માનવી, તોલે હરેક વસ્તુને બાટથી;
મોલ કરતાં શીખી ગયો, ભલા બુરાનો ભેદ પણ ભુલ્યો.
તોલ્યાં એણે મા-બાપને, ભાઈ-ભાંડું અને સગાંઓને;
પત્ની અને બાળકોની તો વીશાત શી, ગણતરીમાં કાચો નથી.

આંક્યું મુલ્ય જીવન તણું, સમય પારખતાં શીખી ગયો;
મંદીર, મસ્જીદમાં તોલ્યા એણે, ઈશ્વરને પણ પ્યારથી.
ખોલી ધરમશાળા, સેવાશ્રમો, ભભકો ઘણો બેહદ;
પુજારીને પણ ખરીદ્યાં એણે, ઘરેણાંની તો વાત જ શી.

હજી બાકી હતું કે વળી, લીધો ભેખ સેવકનો;
લુંટી ભોળી જનતાને, સફેદ લીબાશમાં સજ્જ બની.
રાજકારણ પણ એવું ખેલ્યો, પાકો વાણીયો બની બેઠો;
પરદેશમાં પણ તોલ્યો દેશને, નથી લાજ કશી સંસ્કારની.

હદ તો તેણે ભારે વટાવી, વેચ્યાં ઈશ્વરને વજનકાંટેથી;
લડાવ્યાં કંઈ લાડ પ્રભુને, સજાવ્યાં શણગાર ભભકાથી.
પ્રભુને ખબર હોત જો આવી, ના રહેત મંદીર ગુરુદ્વારામાં;
હવે બાકી નથી કશું દેવાનું, આત્મા પણ વેચી પરવાર્યો.

puNya salil - Bansidhar Patel

પુણ્ય સલીલ - બંસીધર પટેલ

અહીં એક વનમાં સરીતા હતી, ખરે જ એ પુણ્ય સલીલા હતી;
ખડખડ કરતો નીનાદ એનો, ભ્રમર ગુંજન કરતું વહેણ એનું.
નવોઢા નારની જેમ ઘુંઘટ ઘેઘુર વડલા તણાં કીનારે બન્ને;
શી શોભા હતી એની, વર્ણન કરતાં અહોભાવ જાગે.

ચારેતરફ ઘેઘુર વનરાજી, અને વસતાં પ્રાણી અહીં;
પોષતી સર્વે જીવોને, સાચો તારણહાર બની.
શ્વાન અને વાનર સાથે મળી, પીતાં જળ અહીં;
ભુંસી ભેદ ભવભવના, સમ્પર્ક બની રહેતાં સહુ.

દુરસુદુર વસેલું એક ગામડું, સમૃધ્ધી બેસુમાર ઘણી;
એ પણ ઋણી એટલું, જેટલાં સકળ જીવ ઉપકારી એના.
ગામની પનીહારીઓની પાયલ, માથે ઓઢેલાં ઘુંઘટ ખેંચી;
ભાવસભર નયનોએ નીરખે, શું સરીતા શોભતી અહીં.

ગયું વીલાઈ ઝરણું ફરી, વનરાજી વેરાન ઉજ્જડ બની;
મરુભુમીમાં ગઈ ફેરવાઈ ધરણી, છાંયડો ગયો રીસાઈ.
સમૃધ્ધીનું સાચું નીશાન, સરીતાએ કોઈને ખરું કહ્યું;
દેજે પ્રભુ સરીતા સમું, જીવન અમને ઉજાળતું.

Thursday, August 16, 2007

Krushna Ane Itihas

કૃષ્ણ અને ઈતીહાસ - ચીરાગ પટેલ Aug 16, 2007

આજે શ્રીરામકૃષ્ણ પરમહંસના મૃત્યુને 121 વર્ષ થયાં (Feb 18, 1836 - Aug 16, 1886). અનાયાસે જ આજે કૃષ્ણની ઐતીહાસીક્તા વીશે લખવાનું મને મન થયું. કૃષ્ણને કોણ નથી ઓળખતું. પુરાણપુરુષ, પુરુષોત્તમ, ભગવાન, વીચક્ષણ રાજપુરુષ, ગીતાનાં ઉદ્બોધક, સખા, મીત્ર, ગોપાળ, અને કાંઈ કેટલાંયવીશેષણો આપણે એ વ્યક્તીવીશેષને આપ્યાં છે અને આપતાં રહીશું. એમનાં પર ઘણાં બધાં પ્રખર વ્યક્તીઓએ લખ્યું છે, ગાયું છે, અને એમનાંઉપદેશોનું પાલન કર્યું છે. ઘણાં લોકોએ એમને સમજ્યા વગર એમની અમુક બાબતોનું ખોટી રીતે અર્થઘટન કરી અમલમાં મુકી છે.ભારતીય-બીન ભારતીય વીદ્વાનોએ ઉત્તમ કક્ષાનું વીવેચન આપ્યું છે. ઘણાં એવાં વીદ્વાનો પણ છે, જેમણે કૃષ્ણની ઐતીહાસીક્તા ચકાસવાનો પણપ્રયત્ન કર્યો છે.

આપણામાંના ઘણાં જાણતાં જ હશે કે પ્રોફેસર રાવ દ્વારકાનાં દરીયામાં કૃષ્ણની સોનાની દ્વારકા શોધવાની કોશીશ કરે છે, અનેએમને પુરાતન નગરીનાં અવશેષો પણ હાથ લાગ્યાં છે. જો કે, વૈજ્ઞાનીક પધ્ધતી પ્રમાણે એ અવશેષો 3000-4000 વર્ષ જુનાં જણાયાં છે. ઘણાંપાશ્ચાત્ય ઈતીહાસવીદો આર્યોનાં ભારતમાં આગમનનો સમય 3500-4000 વર્ષ જણાવે છે. અને આપણે પણ એવું જ ભણીએ કે ભણાવીએ છીએ!તો શું કૃષ્ણ 3000 વર્ષ પહેલાં થઈ ગયાં અને એમનાં પછીના 700 વર્ષમાં જ બુધ્ધનો જન્મ થયો? અમુક સંશોધકોએ આ પ્રશ્નનો જવાબ શોધવા જુદાં સંદર્ભોનો ઉપયોગ કર્યો છે, જે હું અહીં સરળ શબ્દોમાં સમજાવવા પ્રયત્ન કરીશ.

આજથી 200 વર્ષ પહેલાં જ્હોન પ્લેફેર નામના એક ગણીતવીદ થઈ ગયાં. એમણે સાબીત કર્યું છે કે ભારતમાં ખગોળીય ઘટનાઓ નોંધવાનીશરુઆત 4300BCE એટલે કે આજથી 6300 વર્ષ પહેલાં થઈ હતી. આપણાં ઘણાં બધાં ગ્રંથોમાં ખગોળીય ઘટનાઓના ઉલ્લેખ હોય છે. ભલેઆપણે આજની જેમ નવ ગ્રહોને જાણતાં નહોતાં, પરંતુ આપણાં ઋષીઓ સુર્ય, ચંદ્ર, બુધ, શુક્ર, શની, ગુરુ, મંગળ, રાહુ, અને કેતુના સચોટસ્થાનને દર્શાવી શકતાં હતાં. અને એ પણ 1 ડીગ્રીના 60મા ભાગ સુધી! રાહુ અને કેતુ અનુક્રમે ચંદ્રના ભ્રમણકક્ષનાં દક્ષીણ અને ઉત્તર બીંદુઓ છેજે કાલ્પનીક છે. જો આપણે માનીએ કે ખગોળીય શાસ્ત્રનો વીકાશ યુરોપમાં 14મી સદીમાં થયો અને આપણાં જ્યોતીશીઓએ આપણાં પુરાણોમાંફેરફાર કરીને 14મી સદીથી 4500 વર્ષ જુની ખગોળીય ઘટનાઓ મુકી દીધી, તો શું એ હાસ્યાસ્પદ નથી લાગતું? આજનો કયો જ્યોતીષભુતકાળની ખગોળીય ઘટનાનો ચોક્કસ સમય શોધી આપી શકે છે? (અને તે પણ 1 ડીગ્રીના 60મા ભાગ સુધીની ચોકસાઈ સાથે) એટલે માનવુંજ રહ્યું કે પ્રાચીન ઋષીઓને ખગોળ, ગણીત અને સમયનું ઉંડું જ્ઞાન હતું.

આજના સમય પરથી ભુતકાળની ચોક્કસ ખગોળીય ઘટનાને શોધવામાં ભૌતીક વીજ્ઞાનનો ઉંડો અભ્યાસ હોવો જરુરી છે, અને ઘણાં બધાંસમીકરણો ઉકેલવાની જરુર રહે છે.

આપણે સહુ કૃષ્ણનાં મૃત્યુની ઘટના જાણીએ છીએ. એ મુજબ ભાલકા તીર્થ નજીકનાં સ્થળે કૃષ્ણ યાદવાસ્થળી પછીના સમયે ઉંડા મનનમાં બેઠાંહતાં. ત્યારે, એક પારધીએ એમનાં પગની પાનીને હરણ સમજી તીર માર્યું, અને કૃષ્ણે દેહ છોડ્યો. ઘણાં લોકો કળીયુગની શરુઆત આ સમયથીથઈ હોવાનું જણાવે છે. મહાભારત અને ત્યાર પછીનાં ગ્રંથોમાં કૃષ્ણના મૃત્યુસમયની એક ખગોળીય ઘટના નોંધાઈ છે! કૃષ્ણે જ્યારે સાત ગ્રહો(રાહુ અને કેતુ સીવાયનાં) રેવતી નક્ષત્રમાં હતાં ત્યારે દેહત્યાગ કર્યો હતો! કેટલું સચોટ અવલોકન! રેવતી નક્ષત્રને પાશ્ચાત્યવીજ્ઞાનમાં ZetaPiscium કહે છે. હવે જો આજનાં ખગોળીય જ્ઞાન અને ગણીતનો સમંવય કરીને ગણતરી માંડીએ તો તારીખ આવે છે: February 18,3102BCE. ઠીક આજથી 5109 વર્ષ પહેલાં!!! અને એ જ રીતે એમનો જન્મ 19 કે 21 July 3228BCE થયો હોવો જોઈએ!

રામનો જન્મ કૃષ્ણનાં લગભગ 1000 વર્ષ પહેલાં થયો હતો, એટલે કે 6000 વર્ષ પહેલાં. અને હજુ આગળ વધીએ તો મનુ કે જેમણે પૃથ્વીનાઘણાં જીવોને વીશ્વવ્યાપી પુરમાંથી બચાવ્યાં હતાં એ ક્યારે થયાં હોઈ શકે? છેલ્લો હીમયુગ પુરો થયાં પછી. કારણકે, હીમયુગ પછી વીશ્વવ્યાપીપુરનો ઉલ્લેખ દાખલાંઓ સાથે મળી આવે છે, તેનાં ભૌગોલીક પુરાવાં પણ મળ્યાં છે. આ હીમયુગ આજથી લગભગ 10,000 વર્ષ પહેલાં પુરોથયો હતો! આ જ તર્ક પર આગળ વધીએ તો લાગે છે કે આર્યો ભારતમાં જ વસતાં હતાં. આર્ય-દ્રવીડોની લડાઈ જેવું કાંઇ થયું હોઈ ના શકે,છેવટે 3500 વર્ષ પહેલાં તો નહીં જ. આ બાબતની ચર્ચા ફરી ક્યારેક...

ૐ તત સત!

Saturday, August 11, 2007

sardar2 - Bansidhar Patel

સરદાર - બંસીધર પટેલ

ચરોતરની પાવન ભુમીમાં, પ્રગટ્યું એક તેજ કીરણ;
કરમસદની વીરાભુમીમાં, જન્મ્યો વલ્લભ કીસાન કુટુમ્બમાં.
ભણ્યો, ગણ્યો ખુબ, બન્યો વકીલ, કર્મભુમી ગોધરા ગામ;
ગાંધીજીએ નાંખી ટહેલ, આઝાદીના સપુતની દાદ સાટે.
આતમ વીરનો જાગી ઉઠ્યો, આઝાદીના પુરમાં ખેંચાયો;
સત્યાગ્રહની આવી વાત, સુકાન સંભાળી લીધું તુરત.
બન્યા 'સરદાર' કીસાનોના, કીધું નેતૃત્વ અડીખમ બની;
અંગ્રેજો પણ ગયા ગભરાઈ, કેવી અદ્ભુત શક્તી અપાર.
લોખંડી વીર છે પુરુષ, ખરો બાહોશ અને કર્મવીર;
તન-મન-ધન સર્વ સમર્પણ દેશને, નથી સવારથ કોઈનો.
હીન્દ છોડો ચળવળમાં પણ, થંભાવી દીધાં શ્વાસ બ્રીટીશનાં;
મળી આઝાદી ભારતમાતને, પડ્યાં ભાગલાં એક દેશને.
ભારત માથે મોટી ખોડ, દેશ બધો વહેંચાયેલો અસ્તવ્યસ્ત;
નાનાં-મોટાં રજવાડાંને કર્યાં એક, ખુબ બુધ્ધી ચતુરાઇથી.
ખરા અર્થમાં ચાણક્ય દેશનાં, બન્યા સપુત તમે ભારતમાનાં;
અખંડ ભારતનાં ઓરતાં કીધા પુરા, અનેકતામાં એક બતાવી.
રહેશે ઋણી સદાય તમારી, ભારતની આ ભોળી જનતા;
કરશે યાદ સદાય તમોને, ભારતના ઓ સાચા ભડવીર.
ઈશ્વરને અમે કરીયે ફરીયાદ, ફરીથી દેજે એક સરદાર.

sardar1 - Bansidhar Patel

સરદાર - બંસીધર પટેલ

મરશે નામ સદાય તમારું, પ્રેમથી ભારતની જનતા.
હેશે યાદ હંમેશ તમારું નામ, ગાંધીજીના સાથી સદાયના.
દાન કીધું તન-મન-ધનનું, ન્યોચ્છાવર જીવન સકળનું.
ખોપાં દીધાં દેશ પુરાને, વીસરશે એ કદીના જનતા.

રસોની તન્મયતા કીધી, આઝાદહીંદનાં શમણાં કાજે.
ખેલ લેખ હશે વીધીના, મળ્યા સપુત તમ જેવા ભારતને.
લે જાય રસાતળ ધરાનું, અમર રહે નામ સદાય તમારું.
ભારત વર્ષને કીધાં એક, અનેકતામાં એકતાનો સંદેશ.
શ્વર મળે જો મને કદીક, તો માંગીશ વર જનમવા ફેર.

શ્ચીમના દેશો સહુ કરે, દીગ્મુઢ બની વીચાર ખુબ કરે.
ટે'લ નાંખી કીસાનો પાસે, બન્યા સરદાર લોખંડી પુરુષ.
ળી લળી લાગું હું પાય, સરદાર તમોને કોટીકોટી વંદન.

Saturday, August 04, 2007

kalajug - Bansidhar Patel

કળજુગ - બંસીધર પટેલ

કળજુગનાં કાળાં વાદળ ઘેરાયાં ચહુદીશ, દૈત્ય બની માનવ ઘુમે સંસાર;
કરવા આરાધના શક્તી દુર્ગા કાળીની, કરે હડાહ્ડ અપમાન નારી જાતી તણું.

પુજવા જાય મંદીરમાં દેવ દર્શન કરવા, ઘરનાં દેવ સમાં મા-બાપ ભુખે ટળવળે;
રચી માયા સંસારની કરોળીયાની જેમ, ભુલો પડી ભવરણે ભટકે ભોમકામાં.

હતો જ્યારે બાળક, અરે માના ગર્ભ મહીં સંતાયેલો, દીધેલા કોલ સહુ વીસરી ગયો;
માન્યુ જેને સુખ તે તો ખાણ દુઃખથી ભરી, ચુંથ્યા ચર્મદેહ ન મળ્યો હાશકારો.

ભાઈ-બહેન, પત્ની, બાળકો, સમાજ અને સંસાર, નથી સાચા સાથી જગતનાં;
ભુલ્યો કેમ, ભરથારને, કાળી ડાળી વૃક્ષતણી, જ્યાં હતો બેઠેલો વીશ્રામમાં.

મદ્રાંચલ ચળી જશે, વા વંટોળ થકી થશે વીનાશ, સાગર મુકી માઝા જગતની;
ફરી વળશે આરો સર્વત્ર વીનાશનો પંજો, નથી રોકાવાનું જે થવાનું હશે નક્કી.

વળી જા, માની જા, ઓ માનવી કાળા માથાના, પાછો જે દીશાએ તું જઈ રહ્યો;
પસ્તાઈશ તું ભર પેટ, જ્યારે સમય ગયો હશે હાથમાંથી સરી.

પશ્ચાતાપ થાશે ઘણો, નથી સુણવાનું કોઈ તારું, ઘડાઈ જશે ઘાટ તારો પછી;
શું કરીશ તું? થાય છે મને ચીંતા ઘણી, હું પણ છું તારા જેવો માનવી.

શરણ સ્વીકારી ઈશ્વરનું, કર સમર્પણ સ્વજાતનું, કર્મ, અકર્મ, સકળનું;
થાશે બેડો પાર જ તારો, થવાનું હતું તે થયું, ઉગી નવી સવાર આજથી.

પંક્તી:--------------------------------
ફુલો ઉપર બેઠેલાં પતંગીયાં, કરે છે પમરાટ અસામંજશ;
ભાષા એમની કોણ સમજે? છે એ પ્રેમનાં સમર્પીત પુષ્પો બધાં.

karo haasya - Bansidhar Patel

કરો હાસ્ય - બંસીધર પટેલ

રોઈ રહ્યો છે માનવી, ચોધાર આંસુએ આજ;
વાવીને બબુલ કેરાં વૃક્ષ, લણી રહ્યો છે કંટકો આજ.
નહોતી લગીરે ખબર કે, આવશે ભેંકાર નઠારી આજ;
કરીને નાશ પર્યાવરણનો, બનાવ્યાં જળ, વાયુ ઝેરી આજ.

ભુગર્ભ, ધરા કે અંબર, નથી છોડ્યું કશુંય બેખબર;
ફીણી ફીણીને ભુ-ધરા, રહ્યું છે હાડપીંજર બેહાલ.
પાડી કાણાં આભ મોજાર, ભળ્યો છે વાયુ ઝેરી બેસુમાર;
હવે તો પહોંચી ગયો ગ્રહો ભીતર, નથી છોડવું કશુંય.

કાલ વીતાવી હોત જો સારી, ઉગ્યું હોત ઉજળું પ્રભાત આજ;
નજીવા સ્વાર્થની ખાતર, કર્યું નુકશાન પારાવાર બેહદ.
ન કરશે લગીરે માફ, ભાવી પેઢી થાશે જ્યારે બેહાલ;
હજી પણ થોભી વીચારે સહુ, સોના જેવી સાંભળવાની વાત.

બંધ કરો અટકચાળા, અટકાવો પ્રકોપ કુદરતનો તત્કાળ;
વધારીને વૃક્ષો વનો, કરો આબાદ ધરતીને સહુ સાથ.
પર્યાવરણ હશે જો શુધ્ધ, થાશે સુખ, સમૃધ્ધી જગમાં બેસુમાર;
આવરણ સાચું જગ તણું, પર્યાવરણ વીંટળાયેલું અનહદ.

તહેવાર ઉજવાશે અસ્તીત્વનો, મનુષ્ય, ધરતી આકાશનો;
બચવું હોય જો મનુષ્યને, તો સાચવવું પર્યાવરણ નીઃશંક.
ખુશહાલ નર-નાર-સહુ, જીવ-જગત-જંતુ દેતાં સહુ આશીષ;
ઘર-બહાર, ઉપર-નીચે, ચારેકોર, કરો જયકાર, વનસંપદા તણો.

Monday, July 30, 2007

guru purnima - Chirag Patel

ગુરુ પુર્ણીમા - ચીરાગ પટેલ Jul 30, 2007

વીવેકાનંદ સ્વામી હે, છે રામકૃષ્ણ પામતાં |
આકાશે તમ સપ્તર્ષી, અવતરણ પામતાં ॥

ભારતનાં સપુતોમાં, ક્રાંતીકારી તમે જ છો |
ભવ્યતમ જતીઓમાં, ગુણનીધી તમે જ છો ॥

સભાઓ ગજવી જ્યારે, બધાંને ભાવ થાય છે |
ઉપનીષદ અમૃતે, નીચોવી આપ પાવ છો ॥

પીરસ્યું રાજયોગે જે, નીખાર્યું પ્રેમયોગમાં |
નીરખ્યું કર્મયોગે જે, નીતાર્યું ભક્તીયોગમાં ॥

શુભ નીષ્ઠા વીચારોમાં, કાર્યોમાં પણ પ્રગટે |
ચીનગારી જગાવ્યામાં, સાચી ફોરમ પ્રગટે ॥

વીરમું તમને આજે, ગુરુ તમે અમાપ છો |
અંબા શરણ રાખો હે, વંદન વારંવાર હો ॥

---------------------------------------------------------
આજે ગુરુ પુર્ણીમા નીમીત્તે અનુષ્ટુપ છંદમાં સ્વામી વીવેકાનંદને અર્પણ.

બંધારણ:
8 અક્ષરના એવા ચાર ચરણ
દરેક ચરણમાં 5મો 'લ', 6ઠ્ઠો 'ગા'
પહેલા/ત્રીજા ચરણમાં 7મો 'ગા'
બીજા/ચોથા ચરણમાં 7મો 'લ'

Sunday, July 29, 2007

ghantnaad - Bansidhar Patel

ઘંટનાદ - બંસીધર પટેલ

મંદીરની ઘસી પગથારો, તોય હરી નવ મળ્યો;
ઘસ્યા મંજીરા, સાજ બેહદ, તોય વ્હાલો નવ રીઝ્યો.
કર્યું શાસ્ત્ર અધ્યયન અતી, તોય પ્રભુ નવ પીગળ્યો;
ધોઈ મુર્તીઓ સવાર સાંજ, તોય વાલમ નવ ઝુક્યો.

હવે છોડો એ જીદ, ઘંટના સુર થયા બેસુર;
લળી લળી લાગો છો પાય, એ વીસરેના કસુર.
રાત દીન કર્યા બહુ ઉજાગરા, પથ્થર કેમે રીઝે;
ભજન-કીર્તન કેરા નાદ, પહોંચ્યા સહેજે ના ઈશ્વર.

કર્યું તપ-મંત્ર-જાપ વારંવાર, તોય પાણીમાં પુરુ થાય;
બહારી દુનીયામાં ભટક્યો, અહી તહી તોય સર્વ વીફળ.
કીધું નવ અંતર દર્શન, કાઢ્યો ના મનનો મેલ;
સાચી પુજા-ભક્તી એક જ, મન ચંગા તો કથરોટમાં ગંગા.

ઈશ્વર એ તો વરેલો ઈશને, સર્વ મર્મજ્ઞ સચરાચર;
ભુલો કદી નવ પડે, નીરખે જગતનું અંતરમન.
હ્રદય જો હોય નીર્મળ, વ્હાલો દોડે ખુલ્લ પાદ;
પામવો જો હોય ઈશને, તો નીર્મળ મનવચન કરો.

aachaar sanhitaa - Bansidhar Patel

આચાર સંહીતા - બંસીધર પટેલ

આજ સુધી દુનીયાના જેટલા સંત, મહાત્મા, પયગંબર, ઓલીયા, ફીલસુફ થઈ ગયા તે તમામ; અરે ભગવાન શ્રીકૃષ્ણે પણ વીશ્વના મહાન ગ્રંથ 'ભગવદ ગીતા' દ્વારા કર્મના સીધ્ધાંતો દુનીયા સમક્ષ મુક્યા. ખરેખર આચાર સંહીતા એ સાપેક્ષ બાબત છે. તમામ ધર્મોનાં મુળમાં સ્વીકૃત આધાર સ્થંભ સમાન છે. સૃષ્ટીની ઉત્પત્તીથી આધુનીક દુનીયાની વાસ્તવીક પ્રગતીમાં પણ આચાર સંહીતા પાયાનો સીધ્ધાંત રહેલો છે. ભગવાન શ્રીમહાવીરે આચાર પ્રથમો ધર્મ ગણી જૈન વીચારધારામાં આચાર સંહીતાને પ્રમુખ સ્થાન આપેલું છે. ભગવાન બુધ્ધે પણ આચાર અથવા કર્મયોગના સીધ્ધાંતને મુખ્ય ગણ્યો છે.

ધર્મ હોય કે રાજકારણ આચાર સંહીતા એ મુખ્ય અને મુળભુત સર્વસ્વીકૃત સીધ્ધાંત છે. આપણા પ્રશનન શાસ્ત્રોમાં પણ એવા કેટલાય અગણીત દાખલાઓ મોજુદ છે, કે જેમણે આચાર-વીચાર ખાતર પોતાના પ્રાણનું પણ બલીદાન આપેલ છે. જેમકે રાજા હરીશ્ચન્દ્ર સત્યની ખાતર પોતાનું સર્વસ્વ અર્પણ કરી દીધું. આધુનીક સમયમાં મહાત્મા ગાંધીજી, લાલ બહાદુર શાસ્ત્રી, ડૉ. રાધાકૃષ્ણન કે શ્રીમદ રાજચન્દ્ર જેવા ભારતના મહાન સપુતોએ અણીશુધ્ધ આચાર સંહીતાનું પાલન કરી બતાવ્યું છે. અરે ભારતના રાજ્ય બંધારણમાં પણ આચાર સંહીતાને પ્રાધાન્ય આપવામાં આવેલ છે. રાજકારણી નેતા હોય કે કર્મચારી અધીકારી હોય, સામાન્ય નાગરીક હોય કે કોઈ સામાજીક કાર્યકર હોય, સર્વેના આચાર સંહીતાના પાયાની બાબત છે. એટલું જ નહી આચરણ વગર મનુષ્ય અસામાજીક બની જાય છે. એવું અત્યારના દુષીત વાતાવરણ ઉપરથી સ્પષ્ટ જણાય છે. કોમી હુલ્લડો, સાંપ્રદાયીક અસામાંજસ્ય, વેરભાવ, દુષીત રાજકારણ, બેકારી, મોંઘવારી, ભ્રષ્ટાચાર વગેરે અનીષ્ટ માટે શું આચાર સંહીતા જવાબદાર નથી? મારી દ્રષ્ટીએ સદ્આચરણ કે અનુશાશન રાષ્ટ્રના ઘડતરમાં અમુલ્ય ફાળો આપી શકે તેમ છે. પરંતુ પાટલે મોટી ખોડ છે. આપણા સંસ્કાર અને આચાર સંહીતા રુપી અમૃતનું પાન કરાવવામાં નહી આવે તો ભવીષ્યમાં એ નવી દાનવસૃષ્ટીનું સર્જન કરી તાંડવલીલા આચરશે એ નીઃશંક હકીકત છે.

દેશ આખામાં સદીઓથી મહાનપુરુષો, કથા, વાર્તા, સત્સંગ દ્વારા મનુષ્યનું આચરણ સુધારણા બાબત પર ભાર મુક્તા આવ્યા છે. સાહીત્યના વીદ્વાનોએ પણ તેમની મૌલીક રચનાઓ દ્વારા લોકશીક્ષણમાં આચાર સંહીતા ઉપર સેંકડો પુસ્તક પ્રજા સમક્ષ મુક્યા છે. છતાં કળીયુગ તેનો પ્રભાવ વધારતો જ જાય છે. આવું કેમ? એ સૌના મનનો વીકટ સવાલ છે. તો આના માટે પાયાની વાત આપણે વીચારીએ.

આપણામાં કહેવત છે કે અન્ન તેવું મન અને જળ એટલા પ્રમાણમાં પ્રદુષીત છે કે ખાતર અને રસાયણના ઝેરથી અન્ન જળ સાત્વીક મટીને તામસી બની ગયાં છે. બીજું પૈસા પાછળની આંધળી દોટ, સ્વાર્થવૃત્તી પણ આચાર સંહીતાના સીધ્ધાંત પર કુઠારાઘાત સમાન છે. ત્રીજું ધર્મથી વીમુખ થવું , દુર જવું અથવા કોઈ પણ ધર્મ કે મઝહબના પાયાના સીધ્ધાંતોને તોડી મરોડી સગવડભર્યા આધુનીક ધર્મમાં પરાવર્તન કરવું.

આચાર સંહીતા એ વ્યક્તીગત બાબત છે. છતાં પણ તેમાં ઉપરોક્ત પરીબળો ભાગ ભજવી શકે છે. અને મનુષ્ય સારા આચાર-વીચારો દ્વારા સમાજ તથા દેશને એક સારા નાગરીક તરીકે પોતાનું યોગદાન આપી શકે છે. વ્યક્તી, સમાજ અને રાષ્ટ્ર એક સુત્રમાં બંધાઈને ધરતી પરનું સ્વર્ગ બની શકે.

Thursday, July 19, 2007

pankti 07 - Chirag Patel

મરજીવા વિજ્ઞાનીકો, શતશત અંજલિ આ;
જોયું જીવન કષ્ટ છો, વિશાળ દ્રષ્ટિ તવ છે.
—————————–
થોડી છુટ-છટ સાથે અનુષ્ટુપ છંદમાં રચવા પ્રયત્ન કર્યો છે.
8 અક્ષરનાં ચાર ચરણ.
દરેક ચરણમાં 5મો ‘લ’, 6ઠ્ઠો ‘ગા’.
પ્રથમ/ત્રુતિય ચરણમાં 7મો ‘ગા’.
દ્વિતિય/ચતુર્થ ચરણમાં 7મો ‘લ’

Jul 19, 2007

saapex - Chirag Patel

સાપેક્ષ - ચીરાગ પટેલ Jul 19, 2007

આઈંસ્ટાઈન જેવો, અનુભવ નવલો, તાલ જામ્યો હવે આ;
સાપેક્ષવાદ લાધ્યો, ખળભળ જ મચ્યો, જ્ઞાનનાં સમુદ્રમાં.

મારી સામે જ જોયો, સમય મલપતો, જોડતો માપ મોટાં;
ઈલેક્ટ્રોને જણાવ્યો, સમય પળ મહીં, જોજનો લાખ લાંધ્યા.

મહીના થાય નાના, હર પળ છ ગણી, થાય મારી કસોટી;
સાપેક્ષવાદ ભાળ્યો, જળમય નયને, છેતરું પાળ બાંધી.

તારાઓનો નઝારો, ચમક ચમકતો, આંખને ઠારતો આ;
જ્યારે જોઉં સદેહે, અલક મલકનાં, ખેલ એવાં નઠારાં.

ધોળાં કાળાં ગર્તમાં, વમળ ઉમડતાં, થાય સ્ફોટો ઉર્જાનાં;
રાતાં પીળાં ચક્કરો, અણુ ભરમ થતાં, જોડતાં જાળ મોટાં.

વારી જાઉં છટાને, હર મહત તત્વ, ઝાકળે આભ સ્ફુરે;
સાપેક્ષે આમ શોધ્યો, જળ થળ નભમાં, આતમે તું જ સ્મરે!

--------------------------------------------------------------------------

છંદમાં કવીતા લખવાનો આ મારો પહેલો પ્રયાસ છે. આખી કવીતા 'સ્ત્રગ્ધરા' છંદમાં રચવા પ્રયત્ન કર્યો છે.

કુલ અક્ષરો: 21
યતી: 7, 14
બંધારણ: ગાગાગા ગાલગાગા, લલલલલલગા, ગાલગા ગાલગાગા

ભુલચુક સુધારશો.

Saturday, July 14, 2007

થયું કુદરતને કે... - બંસીધર પટેલ

થયું સુરજને કે ઘડી હું આરામ લઉં,
પણ થાશે શું જગતનું વીચારી રહ્યો.

થયું પવનને કે ઘડી લહેર બંધ કરું,
પણ જીવશે કે કોઇ વીચારી રહ્યો.

થયું જળને કે હું ધરાથી વીલાઇ જઉં,
પણ તરસે મરશે જગત વીચારી રહ્યું.

થયું આતમરામને કે ઘડીક બહાર જઉં,
પણ ખોળીયાની કીંમત શું વીચારી રહ્યો.

થયું કુદરતને કે ઘડીક આરામ લઉં,
પણ ક્રમ સૃષ્ટીનો નહી ચાલે વીચારી રહી.

થયું કવીને કે કલમ હેઠી મુકી દઉં,
પણ કવીતા વીના જગત શુન્ય વીચારી રહ્યો.

થયું કોકીલાને કે મીઠો સ્વર બંધ કરું,
પણ ગરીમા કુદરતની કોણ ગાશે વીચારી રહી.

થયું મનુષ્યને કે હું માણસ મટી જાઉં,
પણ જગત થાશે મરુસ્થલ વીચારી રહ્યો.

panktio

પંક્તીઓ - બંસીધર પટેલ

1--->
ઉતારવા થાક પુરા દીનનો, આવી સંધ્યા, મીલનની હોંશથી;
નીશાના ઓછાયા ઉતરશે કાળા ડીબાંગ, ડરી જશે બીચારી સંધ્યા.
2--->
નમસ્તે સદા વત્સલે માતૃભુમે
ત્વયા હીંદુભુમે સુખમ વસ્ધીતોડહમ ॥
મહામંગલે પુણ્યભુમે ત્વદર્થે
પતત્વેષ કાર્યો નમસ્તે નમસ્તે ॥
અર્થ: હે વત્સલ માતૃભુમી, હું તને સદાય પ્રણામ કરું છું. હે હીંદભુમી, તેં જ મને સુખમાં ઉછેર્યો છે. હે મહામંગલમય પુણ્યભુમી, તારા માટે મારું આ શરીર અર્પીત છે. તને હું અનેકવાર પ્રણામ કરું છું.
3--->
જામી છે રમત અવકાશે, નક્ષત્રો, તારા, સુરજ, ગ્રહો મહીં;
પકડદાવની શરુઆત થતાં જ, મચી છે બ્રહ્માંદમાં હવે ભાગંભાગી.
નથી આવતું હાથે, કોઇ કોઇની પકડમાં, અઠંગ ખેલાડી બળીયા સહુ;
આ રહ્યો, પેલો ગયોની મચી છે બુમરાણ;
નીહાળે છે તારકસહુ પ્રેક્ષક બની, હારજીતનો નથી પ્રશ્ન.

shaayaree 2 - Jigna Patel

જીજ્ઞા પટેલ - Jul 02, 2007

આજ મારી આંખમાં વેરાન આખો બાગ છે,
શું કહું હૈયા મહીં શેની આ આગ છે;
જોઇ કાળો તલ ગુલાબી ગાલ પર હરખાઓ ના,
દીલ બળી તણખો ઉડ્યો છે તેનો આ દાગ છે...