Saturday, October 20, 2007

નયનની પલકોમાંથી - બંસીધર પટેલ

નયનની પલકોમાંથી - બંસીધર પટેલ

દ્રષ્ટીહીન સમાજને જોઉં છું જ્યારે,
યાદ તમ તણી આવી જાય છે.

ભંવરો ઉંચી નીચી થાય છે જ્યારે,
અણસાર તમારો આવી જાય છે.

સૌંદર્યથી ઉભરાતી મારકણી આંખો જોઉં છું જ્યારે,
હ્રદયકમળ અતી પુલકીત થઈ જાય છે.

અંધારાં ઉલેચીને મેળવેલી દ્રષ્ટીથી નયનો ભીંજાય છે જ્યારે,
મન શોકમાં વ્યગ્ર બની આંસું ખુબ પ્રસારે છે.

સુર્ય ચંદ્ર સમા નયન આભલાને નીરખવા જાય છે જ્યારે,
સૃષ્ટીના સૌંદર્યને પામવાની દ્રષ્ટી શુન્ય બની જાય છે.

અહોભાગ્ય અમારા કે બંધ પલકોમાં મુર્તી દેખાય છે જ્યારે,
બસ કરો હવે નથી ખોલવા નયન બીડાઈ જાય છે.

No comments: