Saturday, October 20, 2007

સાચી શ્રધ્ધા - બંસીધર પટેલ

સાચી શ્રધ્ધા - બંસીધર પટેલ

હરીને ભજવા કરતાં મળે જો હરીનો લાલ, તો લેજે ખબર એની પ્રથમ;
કરેલું દાન સાચા હ્રદયનું કોઈને, નથી જતું એળે કદી, એ વાત વીસરીશ નહી.

નમન છે સાચું ઈશ્વરનું, ગમે છે એને પણ પ્યારું ઘણું એ વાત સમજી લેજે;
વીનય એ ભક્તી ખરી, વીવેક એ યોગ ઉત્તમ, કર્તવ્ય એ નવધા ભક્તી.

માળા ફેરવી કેટલાય માનવે, છતાં નથી મળ્યા ઈશ્વર એ વાત ભુલીશ નહી;
મન હોય તો જવાય માળવે, તાળવે હોય પ્રીતી ખરી એક ધ્યાનથી.

કહ્યું છે ઘણું અનુભવી રાહબરોએ, સાંભળી બન્યા હશે કર્ણ નીષ્ક્રીય;
બસ થયું હવે ઘણું, ના ભરમાઈશ, ના દોરવાઈશ અન્યથી કદી.

અવાજ ઓળખ આતમ તણો, એ જ ખરો ભગવાન બીરાજેલો મહીં;
ઓળખી એને ચાલીશ સદા, તો પામીશ અમુલખ પદારથ ખુબ જ.

બાંધીને ભાથું શ્રધ્ધા તણું, બની અર્જુન થાજે ઉભો ખરી હામથી;
કરી લે મન સાબુત ભલેરું, ગાંડીવની પણછ ખેંચી તૈયાર બની.

ઘુમાવીશ ના કાળ અધીક, થાશે ના થયો કોઈનો સગો કામ કદી;
બનીને ભડવીર ભુલોકનો, કાળમુખા કાળનો કરી જા કોળીયો.

અલપ ઝલપ મુકી માયા તણી, બની જા નીર્લેપ, નીષ્કામ, નીડર તું;
કર્યે જા કર્મ સોંપેલું ઈશ્વરનું નીર્માણ માની, કરીશ ના ઉચ્ચાટ કશો.
ભાંગશે ભ્રમ ભુતકાળનો, સુધારી વર્તમાન, ઉજ્જ્વળ ભાવી થાશે.

----------------------------------------------

ગમે છે સૃષ્ટી સીતારાની, આભલે ચીતરેલા ચમકતા તારલાની;
કેવો છે ઈજનેર એનો, મન મારું અહોભાવયુક્ત બને.

No comments: