Saturday, September 15, 2007

gopal - Bansidhar Patel

ગોપાલ - બંસીધર પટેલ

વૈષ્ણવને મન સાચું સોનું, ગિરધર ગોપાલ શ્રીનાથજીબાવા.
બાળ ગિરધર ન આપે કાંઈ, માંગે તે સાચો સમર્પણ ભાવ.
રાજભોગ, છપ્પનભોગ ધરાવ્યા સહું, ભાવના ભૂખ્યા બાંકેલાલ.
સાચો મારગ અનાસક્તનો, ગીતા ઉપદેશનો અર્થ એ સાચો.
ગુરુ શિષ્યની પરંપરા પણ, શીખવે અર્પણ મનના ભાવ.
રાધા સંગ નટવર સોહાય, પ્રેમયુગ્મ સાચા હ્રદયના પાસ.
ના માગે કાંઇ પ્રભુ ભક્તની પાસ, માગે તમારા મનનો ઉજાસ.
ઝુઝવા રૂપ અવતારનાં, ધરે ધનુષબાણ કે ઓષ્ઠ મુરલી.
એક ભાસે અનંતમાં, વિભુની વિભુતિઓ વ્યાપેલી સર્વત્ર.
ઈશ તત્વ એ પરમાત્મનું, વિવિધતામાં એકનો દેતું સંદેશ.
ભારતનો ઉધ્ધારક સાચો, ઈષ્ટ પ્રભુ, ગોવર્ધનધારી.

1 comment:

...* Chetu *... said...

વૈષ્ણવને મન સાચું સોનું, ગિરધર ગોપાલ શ્રીનાથજીબાવા.
..પરમ સત્ય...!