Sunday, July 29, 2007

ghantnaad - Bansidhar Patel

ઘંટનાદ - બંસીધર પટેલ

મંદીરની ઘસી પગથારો, તોય હરી નવ મળ્યો;
ઘસ્યા મંજીરા, સાજ બેહદ, તોય વ્હાલો નવ રીઝ્યો.
કર્યું શાસ્ત્ર અધ્યયન અતી, તોય પ્રભુ નવ પીગળ્યો;
ધોઈ મુર્તીઓ સવાર સાંજ, તોય વાલમ નવ ઝુક્યો.

હવે છોડો એ જીદ, ઘંટના સુર થયા બેસુર;
લળી લળી લાગો છો પાય, એ વીસરેના કસુર.
રાત દીન કર્યા બહુ ઉજાગરા, પથ્થર કેમે રીઝે;
ભજન-કીર્તન કેરા નાદ, પહોંચ્યા સહેજે ના ઈશ્વર.

કર્યું તપ-મંત્ર-જાપ વારંવાર, તોય પાણીમાં પુરુ થાય;
બહારી દુનીયામાં ભટક્યો, અહી તહી તોય સર્વ વીફળ.
કીધું નવ અંતર દર્શન, કાઢ્યો ના મનનો મેલ;
સાચી પુજા-ભક્તી એક જ, મન ચંગા તો કથરોટમાં ગંગા.

ઈશ્વર એ તો વરેલો ઈશને, સર્વ મર્મજ્ઞ સચરાચર;
ભુલો કદી નવ પડે, નીરખે જગતનું અંતરમન.
હ્રદય જો હોય નીર્મળ, વ્હાલો દોડે ખુલ્લ પાદ;
પામવો જો હોય ઈશને, તો નીર્મળ મનવચન કરો.

No comments: