Sunday, March 18, 2007

maayaajaaLa - Bansidhar Patel

માયાજાળ - બંસીધર પટેલ

શીતલ લહેરની આ લહેરખી લાવી સંદેશો એક,
પ્રભાતની પહેલી ઘડીએ ભીંજવ્યું દિલ સુમસામ એક.
હ્રદયની વીણા ઝણઝણી 'ને થયું અંતરદર્શન તત્કાળ,
વ્યાપેલ ગમગીની થઇ પરાવર્તિત આનંદમંગલ સત્કાર.
થઇ શરૂ ચહેલ-પહેલ પ્રભાતની, ઉડી ગઇ લહેર તણી લહેરખી ક્ષણમાંધ,
સકળ સંસારી જીવસૃષ્ટિ મહી આવી પડ્યો પુનઃ માયાજાળ માંહ્ય.

1 comment:

Anonymous said...

ૐ નમઃ શિવાય