Saturday, September 02, 2006

રાજરોગ - બંસીધર પટેલ

રાજરોગ - બંસીધર પટેલ

લાગ્યો છે કેવો આ રોગ કોમવાદનો;
જોયા અનેક રોગ, આ તે લાગ્યો કેવો ભવરોગ.

કાઢવો એને જરૂર, ચાહે હોય ભલે એ રાજરોગ;
પહેરીને અવનવા વાઘા, આવે એ આંતરે વરસે.

હવે ઓળખ્યો એને નખશીખ, ના છેતરાયે સર્વજન;
વેતર્યા કેટલાંય શરીર, બની ને વિતરાગી હરામખોર.

બુઝ્યાં સુહાગ, બન્યા અનાથ બાળ, નથી દયા ઉરમાં લગીરે;
દાનવ કળિયુગનો આદમખોર પેંધ્યો એ વારંવાર.

ચાખીને માણસનું રૂધિર બન્યો ખૂબ મદહોશ;
નાથો એને, ભાગી જાય ના, કરવો એનો સર્વનાશ.

દેશ જાગી જાય તો સારૂ, નહિતર વરતાવશે કાળો કેર;
કોમવાદ જો પલટાય અને બને ખરો રાષ્ટ્રવાદ,
ધર્મ, જાતિના ભેદભાવ ભુલી, ગાય સહુ વંદે માતરમ.
--------------------------------------------------------------------------
સબસે બડી હૈ ચૂપ મનવા, નવ બોલ્યામાં નવગુણ,
ના આવે આવાઝ ઉસકી લકડીકી, સાપ મરે લાકડી નવ ભાગે.
કરો ધરમ ઔર દાન મનવા, વીતી જાય એળે જીંદગાની.
--------------------------------------------------------------------------
મિત્રના મૃત્યુ કરતાં મૈત્રી મૃત્યુ વધારે દુઃખદ છે;
વિશ્વાસનો અભાવ અજ્ઞાન છે.
ધીરજ પ્રતિભાનું એક આવશ્યક અંગ છે,
દરેક પોતાના સ્થાને મહાન છે.
કર્મનો ધ્વનિ શબ્દથી ઉંચો છે.

No comments: