Saturday, October 13, 2007

ઉત્સવ - બંસીધર પટેલ

ઉત્સવ - બંસીધર પટેલ

અસ્તીત્વનો ઉત્સવ ઉજવો શું, લજ્જા નથી આવતી;
માનવ રહ્યો છે શું માનવ કે આટલું ગર્વ એ લઈ શકે?

આપ્યું હતું નીર્મળ જીવન પ્રભુએ, ઘણાં પ્યાર અને આશીષથી;
વેડફી દીધું સર્વસ્વ, કામ, ક્રોધ, મદ, મોહ, લોભના સમાગમથી.

પારેવાની જેમ ફફડી રહ્યો આત્મા, ચેન-શાંતીનું નામ નથી;
ઉચાટનાં અફાટ સમંદરમાં, અશાંત બની વીચરતો તું.

નથી રાખી કશી કમી, કરવા ન કરવાનું કર્યું જ બધું;
સાત જનમનાં પસ્તાવાથી પણ નથી ઉધ્ધાર થવાનો કદી.

હજી પણ નથી ગયો વીતી કાળ, નથી પડ્યો માંડો માનવ;
સુધરી જા નહીંતર પડશે કોરડા, વીંઝાશે ઉપરવાળાતણાં.

ઓઢી લે પ્રેમની કંથા, ભુલી ભેદભરમ વેરઝેરનાં;
થશે માફ પાપ કર્યા જાણ-અજાણથી, આ પુરા જીવન મહીં.

ઉઠી'તી આંધી એક સમીરની, થાશે શાંત ઈશના આશીષથી;
ભાંડું મારો માનવ બધો, ચાહતની ચરમસીમા થકી.

મળશે શાશ્વત સુખ જ એમાં, થાશે ઉજવળ જીવન તારું;
તે દી' પાછો આવજે, ઉજવવા ઉત્સવ અસ્તીત્વનો;
ઉજવીશું રંગેચંગે ભેગાં મળી, ગર્વ લેવાની વાતો ઘણી.

No comments: