પુણ્ય સલીલ - બંસીધર પટેલ
અહીં એક વનમાં સરીતા હતી, ખરે જ એ પુણ્ય સલીલા હતી;
ખડખડ કરતો નીનાદ એનો, ભ્રમર ગુંજન કરતું વહેણ એનું.
નવોઢા નારની જેમ ઘુંઘટ ઘેઘુર વડલા તણાં કીનારે બન્ને;
શી શોભા હતી એની, વર્ણન કરતાં અહોભાવ જાગે.
ચારેતરફ ઘેઘુર વનરાજી, અને વસતાં પ્રાણી અહીં;
પોષતી સર્વે જીવોને, સાચો તારણહાર બની.
શ્વાન અને વાનર સાથે મળી, પીતાં જળ અહીં;
ભુંસી ભેદ ભવભવના, સમ્પર્ક બની રહેતાં સહુ.
દુરસુદુર વસેલું એક ગામડું, સમૃધ્ધી બેસુમાર ઘણી;
એ પણ ઋણી એટલું, જેટલાં સકળ જીવ ઉપકારી એના.
ગામની પનીહારીઓની પાયલ, માથે ઓઢેલાં ઘુંઘટ ખેંચી;
ભાવસભર નયનોએ નીરખે, શું સરીતા શોભતી અહીં.
ગયું વીલાઈ ઝરણું ફરી, વનરાજી વેરાન ઉજ્જડ બની;
મરુભુમીમાં ગઈ ફેરવાઈ ધરણી, છાંયડો ગયો રીસાઈ.
સમૃધ્ધીનું સાચું નીશાન, સરીતાએ કોઈને ખરું કહ્યું;
દેજે પ્રભુ સરીતા સમું, જીવન અમને ઉજાળતું.
Labels
- કવિતા (83)
- Chirag (71)
- બંસીધર પટેલ (66)
- Swaranjali (45)
- લેખ (40)
- Parimiti (21)
- Devotional (18)
- પંક્તિ (13)
- Veejansh (10)
- વીજ્ઞાન (10)
- Poem (7)
- પ્રેરક પ્રસંગો (3)
- જીજ્ઞા પટેલ (2)
- Payal (1)
- વાર્તા (1)

Saturday, August 18, 2007
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment