Sunday, June 24, 2007

ગાંધીજી - બંસીધર પટેલ

મળે જો ગાંધીબાપા, દીસશે નયન અશ્રુભરેલાં.
થાશે ખુબ પસ્તાવો તેમને, ક્યાં અપાવી મેં આઝાદી તમને.

ભારતનાં જોશે ભાંગેલાં હાલ, ચીંથરે વીંટેલી મુર્દા લાશ;
ગઇ ફોગટ મારી બધી તપસ્યા, પુરા આઠ દશકની.

જે દીશામાં જયાં જુઓ ત્યાં, મારામારી કાપાકાપીનાં દ્રશ્ય.
કપાયા હશે કંઇ કેટલાંય ગાંધી, પડી છે કોને કોની દેશમાં?

હરણ થયાં હશે વસ્ત્રોનાં કંઇ કેટલીય દ્રૌપદીનારનાં.
ખેંચાયાં હશે કંઇ કેટલાંય કેશ અરમાનભરી વધુઓનાં.

વધી છે કેટલી બધી મોંઘવારી, હવે નથી થતી સહન આ કાળમાં.
બન્યો છે વેરી માણસ માણસનો, નથી માનવતાનું કોઇ નીશાન.

મરે છે કંઇ કેટલાંય ભુલકાંઓ, પુરતા પોષણની ખામીઓથી.
મોત પણ ગયું છે કંટાળી, આ દેશનાં નીચ નરાધમોથી.

હોત જો ગાંધીજી હયાત આ કાળમાં, શું રહેત એ જીવતાં કદી?
લાખો નીરાશામાં છુપાયું છે એક કીરણ અમર આશા તણું.

વીસર્જન પછી નવસર્જનનું, અવતરશે સાચો માનવ.
ઇશ્વર નથી થયો નીરાશ માનવજાતથી, જન્મે છે શીશુ અહીં.

કહેજો 'રામ રામ' ગાંધીબાપાને, ભુલે ચુકે ના ભટકે આ દેશમાં ફરી.

No comments: