Wednesday, May 16, 2007

andhaaraa - Bansidhar Patel

અંધારા - બંસીધર પટેલ

દ્રષ્ટિહીન સમાજને જોઉં છું જ્યારે,
યાદ તમ તણી આવી જાય છે.
ભવરો ઉચી નીચી થાય જ્યારે,
અણસાર તમ તણો આવી જાય છે.
સૌંદર્યથી ઉભરાતી મારકણી આંખો જોઉં છું જ્યારે,
હ્રદય કમળ પુલકિત થઇ જાય છે.
અંધારા ઉલેચીને મેળવેલી દ્રષ્ટિથી નયનો ભીંજાય છે જ્યારે,
શોકમગ્ન બનેલ મન આંસું ખૂબ પ્રસારે છે.
સૂર્યચન્દ્ર સમા નયનો થકી આભલાંને નિરખવા જાય છે જ્યારે,
શૂન્ય બને છે દ્રષ્ટિ, સૃષ્ટિના સૌંદર્યને પામવાની.
અહોભાગ્ય અમારા કે બંધ પલકોમાં મૂર્તિરૂપીણી દેખાય છે જ્યારે,
બસ કરો પ્રભુ, હવે નથી ખોલવાં નયન બિડાયેલ ભલે રહે.

No comments: