Life - Chirag Patel Oct 09, 1998
What is life afterall? A little distance
Between two hospitals? Or somthing more?
Life begins with new hope. Life ends
With more hopes. Life is like marathon
Race. A run from little valley of womb
To little valley of mother earth! Truly,
Life is a chase. A chasae of unknown, a
Chase of known! Life is merely this? No.
Life is love. Life is joy. Life is happiness.
Life is relationship. Life is friendship.
Life is giving. Life is uphoria. Aboveall,
Life is a glimpse of God's activity!
Sunday, March 18, 2007
Tuesday, March 06, 2007
Swaranjali
સ્વરાંજલિ - ચિરાગ પટેલ Mar 06, 2007
ક્યાં છે તું ઓ સ્વરાંજલિ? આભાસી બની ગઇ કેમ તું?
થોડા સમયમાં નવી ખુશી આપી, રૂઠી ગઇ કેમ તું?
ઘણાં કષ્ટો વેઠી તને પામ્યાંનો હરખ માતો ન્હોતો 'ને,
ઝાકળવત સુવાસ પ્રગટાવી અનંતમાં સમાઇ ગઇ જોને.
ચિરાગે પ્રગટાવી પારૂલની પ્રતિકૃતિ સમ અંતરથી ખરી,
વૃન્દનાં સોનેરી સ્વપ્નોની મૂર્તિ, અલબેલી નાની-શી પરી.
માંગી હતી તને જગત્જનની પાસેથી કાલાંવાલાં કરી,
એનો જ અંશ સમ ભાસતી, સમાણી તું એમાં જ ફરી.
નાની હતી મારી અપેક્ષા એક, પામું કન્યાદાનનું પુણ્ય,
મારા અસ્તિત્વના અંશ દ્વારા, નહિ પામું કદીયે એ પુણ્ય.
જન્મ-મૃત્યુ, એ બે સનાતન સત્ય છે પૂરા આ જગમાં,
કેમ મને હરપળ એ સત્યની ઝાંખી કરાવી જીવનમાં.
દરેક આઘાત સહેવાની શક્તિ આપી, આંચકા શાને આપ્યા?
એણે ગણ્યું જે પ્યારું મેં માન્યું પ્યારું, મારી તને આ અંજલિ.
ક્યાં છે તું ઓ સ્વરાંજલિ? આભાસી બની ગઇ કેમ તું?
થોડા સમયમાં નવી ખુશી આપી, રૂઠી ગઇ કેમ તું?
ઘણાં કષ્ટો વેઠી તને પામ્યાંનો હરખ માતો ન્હોતો 'ને,
ઝાકળવત સુવાસ પ્રગટાવી અનંતમાં સમાઇ ગઇ જોને.
ચિરાગે પ્રગટાવી પારૂલની પ્રતિકૃતિ સમ અંતરથી ખરી,
વૃન્દનાં સોનેરી સ્વપ્નોની મૂર્તિ, અલબેલી નાની-શી પરી.
માંગી હતી તને જગત્જનની પાસેથી કાલાંવાલાં કરી,
એનો જ અંશ સમ ભાસતી, સમાણી તું એમાં જ ફરી.
નાની હતી મારી અપેક્ષા એક, પામું કન્યાદાનનું પુણ્ય,
મારા અસ્તિત્વના અંશ દ્વારા, નહિ પામું કદીયે એ પુણ્ય.
જન્મ-મૃત્યુ, એ બે સનાતન સત્ય છે પૂરા આ જગમાં,
કેમ મને હરપળ એ સત્યની ઝાંખી કરાવી જીવનમાં.
દરેક આઘાત સહેવાની શક્તિ આપી, આંચકા શાને આપ્યા?
એણે ગણ્યું જે પ્યારું મેં માન્યું પ્યારું, મારી તને આ અંજલિ.
Saturday, February 24, 2007
પંક્તિઓ - ચિરાગ પટેલ
પંક્તિઓ - ચિરાગ પટેલ Nov 19, 1998
1)
સુહાના મૌસમ, ઠંડી હવાએં, જાનમ સમઝા કરો;
યું ના તડપાયા કરો જાલિમ, પાસ આયા કરો.
2)
દાડમની કળી જેવી દંતાવલિ, ને ઓષ્ઠ ગુલાબની પાંખડી;
ક્યારેક તો પ્યાસ બુઝાવો, તરસે નાની મારી આંખલડી.
1)
સુહાના મૌસમ, ઠંડી હવાએં, જાનમ સમઝા કરો;
યું ના તડપાયા કરો જાલિમ, પાસ આયા કરો.
2)
દાડમની કળી જેવી દંતાવલિ, ને ઓષ્ઠ ગુલાબની પાંખડી;
ક્યારેક તો પ્યાસ બુઝાવો, તરસે નાની મારી આંખલડી.
Shower - Chirag Patel
Shower - Chirag Patel Nov 19, 1998
Live like shooting star while meteor shower;
Think like great flame while inferno in tover.
Star glows to give life eventhough dying;
Flame glows to take life eventhough living.
Think big and reach where you are destined to;
Look minute and learn what you are ignored to.
Love like algae and grow like fungii;
Never sneer at 'You' and never overwhelm 'I'.
Live like shooting star while meteor shower;
Think like great flame while inferno in tover.
Star glows to give life eventhough dying;
Flame glows to take life eventhough living.
Think big and reach where you are destined to;
Look minute and learn what you are ignored to.
Love like algae and grow like fungii;
Never sneer at 'You' and never overwhelm 'I'.
Remembrance - Chirag Patel
Remembrance - Chirag Patel Jan 10, 1999
The first night of life, God asked "Who do you like?",
Promptuous reply was mine, "Something you life".
Euphemism it was; which unimpressed creator,
Elaborating, I unfolded truly my needs to narrator.
You like me, you love me, the unforgettable;
Feeling you give us is always fully untouchable.
You like love and I like to be loved forever;
God then created you, not mundane, for ever.
Your touch, your love, your carress, your warmth,
Your care, all made me mad swinging back and forth.
Then went away God, leaving me like a novice;
You taught me to live, yes, you are my choice.
Thankful to God I am. I was rustic, uncultured;
Thankful to you my love, I got pearl from culture.
The first night of life, God asked "Who do you like?",
Promptuous reply was mine, "Something you life".
Euphemism it was; which unimpressed creator,
Elaborating, I unfolded truly my needs to narrator.
You like me, you love me, the unforgettable;
Feeling you give us is always fully untouchable.
You like love and I like to be loved forever;
God then created you, not mundane, for ever.
Your touch, your love, your carress, your warmth,
Your care, all made me mad swinging back and forth.
Then went away God, leaving me like a novice;
You taught me to live, yes, you are my choice.
Thankful to God I am. I was rustic, uncultured;
Thankful to you my love, I got pearl from culture.
Invitation - Chirag Patel
Invitation - Chirag Patel Aug 02, 1998
Harmonic sound that creates uphoria,
Dazzling me, stops my very verborrhea.
Everlasting intuition living in utopia,
Heart stops speaking - it's a phobia.
Hurting you my actions - that's a worry,
Inviting on a new eve of life, oh sorry.
Falling in love - really is a flow of water,
Through a road of rocks full of crater.
Harmonic sound that creates uphoria,
Dazzling me, stops my very verborrhea.
Everlasting intuition living in utopia,
Heart stops speaking - it's a phobia.
Hurting you my actions - that's a worry,
Inviting on a new eve of life, oh sorry.
Falling in love - really is a flow of water,
Through a road of rocks full of crater.
Invitation - Chirag Patel
Invitation - Chirag Patel Aug 02, 1998
Harmonic sound that creates uphoria,
Dazzling me, stops my very verborrhea.
Everlasting intuition living in utopia,
Heart stops speaking - it's a phobia.
Hurting you my actions - that's a worry,
Inviting on a new eve of life, oh sorry.
Falling in love - really is a flow of water,
Through a road of rocks full of crater.
Harmonic sound that creates uphoria,
Dazzling me, stops my very verborrhea.
Everlasting intuition living in utopia,
Heart stops speaking - it's a phobia.
Hurting you my actions - that's a worry,
Inviting on a new eve of life, oh sorry.
Falling in love - really is a flow of water,
Through a road of rocks full of crater.
Sunday, February 18, 2007
narabankaa - Bansidhar Patel
નરબંકા - બંસીધર પટેલ
નકલી દુનિયાના અસલી ધૂતારા,
ભેષ રંગ બદલી આવ્યા.
અંધશ્રધ્ધાના અંચળા તળે,
દબાયેલા મનુષ્યના બની ભેરૂ.
લૂંટાયા કઇ લાલચી જનો,
ભાગી-ભાગીને જાશો તમ કેટલે?
હવે લેશે ખબર શ્રધ્ધા સાચી,
એ જ પરમનો પોકાર પઢે છે નર સૂરા.
નકલી દુનિયાના અસલી ધૂતારા,
ભેષ રંગ બદલી આવ્યા.
અંધશ્રધ્ધાના અંચળા તળે,
દબાયેલા મનુષ્યના બની ભેરૂ.
લૂંટાયા કઇ લાલચી જનો,
ભાગી-ભાગીને જાશો તમ કેટલે?
હવે લેશે ખબર શ્રધ્ધા સાચી,
એ જ પરમનો પોકાર પઢે છે નર સૂરા.
laherakhee - Bansibhai Patel
લહેરખી - બંસીભાઇ પટેલ
શીતલ લહેરની આ લહેરખી લાવી સંદેશો એક,
પ્રભાતની પહેલી ઘડીએ ભીંજવ્યું દિલ સુમસામ હતું એક.
હ્રદયની વીણા ઝણઝણીને થયું અંતરદર્શન તત્કાળ,
વ્યાપેલ ગમગીની થઇ પરાવર્તિત, આનંદ મંગલ સત્કાર.
થઇ શરૂ ચહેલ-પહેલ પ્રભાતની, ઉડી ગઇ લહેર લણી લહેરખી ક્ષણમાંય,
સકળ સંસારી જીવસૃષ્ટિ મહી આવી પડ્યો પુનઃ માયાજાળ માંહ્ય.
શીતલ લહેરની આ લહેરખી લાવી સંદેશો એક,
પ્રભાતની પહેલી ઘડીએ ભીંજવ્યું દિલ સુમસામ હતું એક.
હ્રદયની વીણા ઝણઝણીને થયું અંતરદર્શન તત્કાળ,
વ્યાપેલ ગમગીની થઇ પરાવર્તિત, આનંદ મંગલ સત્કાર.
થઇ શરૂ ચહેલ-પહેલ પ્રભાતની, ઉડી ગઇ લહેર લણી લહેરખી ક્ષણમાંય,
સકળ સંસારી જીવસૃષ્ટિ મહી આવી પડ્યો પુનઃ માયાજાળ માંહ્ય.
Sunday, February 04, 2007
ઊર્મિ - ચિરાગ પટેલ
ઊર્મિ - ચિરાગ પટેલ Apr 11, 2004
ક્યાંય ખોવાઇ ગઇ જતનથી જાળવેલ ઉર્મિઓ,
આવા આ કાળમિંઢ જગમાં અફળાઇ ગઇ બધીઓ.
જ્યારે હતો બેખબર વિષમ વાસ્તવિકતાઓથી,
અરમાનોના મહેલ ચણ્યાં હતાં સ્વપ્નોની રેતથી.
હવાની અલ્લડ લહેરખીઓ જાણે રેતને સહેલાવતી,
રોજિંદી જીવન ઘટમાળો એમ જ ઉડાડતી સ્વપ્નોને.
ક્યાંક કોઇ કવિ હજીય કહે છે - વૈશાખનું જે રહેવું,
'ને બપોરે તારું શીતળ ચાંદની સમ ઝટ આવવું.
ફરીથી એ સ્પન્દન જગાવવા માટે આવવું જ રહ્યું,
સોનેરી સોણલાંને ફોરમનાં ચાંદલે વૃન્દવું જ રહ્યું.
નાની-શી ચિનગારી બની રહી છે પાવક જ્વાળા,
ઉર્મિની કૂંપળો વસંતમાં ફરી મ્હોરી છે જે હમણાં.
જીવવાનું બળ મળે, છો સ્વપ્નોના મહેલ ચણાય,
સાથે ઉડીશું ગગનમાં, નાનકડાં બાળ સાથે સદાય.
ભલેને ના દેખાય અનંત આકાશનો કિનારો તાણી,
સ્વૈરવિહારની મઝા તો ભરપૂર સંગાથે ફરી માણી.
ક્યાંય ખોવાઇ ગઇ જતનથી જાળવેલ ઉર્મિઓ,
આવા આ કાળમિંઢ જગમાં અફળાઇ ગઇ બધીઓ.
જ્યારે હતો બેખબર વિષમ વાસ્તવિકતાઓથી,
અરમાનોના મહેલ ચણ્યાં હતાં સ્વપ્નોની રેતથી.
હવાની અલ્લડ લહેરખીઓ જાણે રેતને સહેલાવતી,
રોજિંદી જીવન ઘટમાળો એમ જ ઉડાડતી સ્વપ્નોને.
ક્યાંક કોઇ કવિ હજીય કહે છે - વૈશાખનું જે રહેવું,
'ને બપોરે તારું શીતળ ચાંદની સમ ઝટ આવવું.
ફરીથી એ સ્પન્દન જગાવવા માટે આવવું જ રહ્યું,
સોનેરી સોણલાંને ફોરમનાં ચાંદલે વૃન્દવું જ રહ્યું.
નાની-શી ચિનગારી બની રહી છે પાવક જ્વાળા,
ઉર્મિની કૂંપળો વસંતમાં ફરી મ્હોરી છે જે હમણાં.
જીવવાનું બળ મળે, છો સ્વપ્નોના મહેલ ચણાય,
સાથે ઉડીશું ગગનમાં, નાનકડાં બાળ સાથે સદાય.
ભલેને ના દેખાય અનંત આકાશનો કિનારો તાણી,
સ્વૈરવિહારની મઝા તો ભરપૂર સંગાથે ફરી માણી.
અભિવ્યક્તિ - ચિરાગ પટેલ
અભિવ્યક્તિ - ચિરાગ પટેલ Feb 14, 2003
વાસંતી વાયરાં વાયાં છે અંતરમાં આજે,
પ્રેમની અભિવ્યક્તિ ઉઠી છે અંતરમાં આજે.
દિન છે વેલેંટાઇંસ ડે - પ્રેમીઓનો આજે,
મારા માટે તો છે એ વસંત પંચમી આજે.
વર્ષોનાં વ્હાણાં વીત્યાં છે ઘણાં અચૂક આજે,
પ્રેમની મીઠી અગન પ્રજ્વલિત છે આજે.
પ્યારું પુષ્પ ખીલી ઉઠ્યું છે જીવનમાં આજે,
સંબંધની ક્યારી વિકસાવી રહ્યું છે એ આજે.
પંખીની જેમ ગગનવિહારી બનવું છે આજે,
તલસું ચુંબનનાં અમીછાંટણાં માટે આજે.
જિંદગીની વાસ્તવિક્તા મેળવે છે જે આજે,
સથવારો તારો પ્રેરે છે નવું જોમ આજે.
અતિ સંતપ્ત મન શાતા પામે છે જે આજે,
મળે આ દિન વર્ષો-વર્ષ નિરંતર મને આજે.
પ્રેમની ભીનાશ લખાણમાં વહી છે આજે,
મૃત્યુપર્યંત એકરાર માંગે છે તે આજે.
વાસંતી વાયરાં વાયાં છે અંતરમાં આજે,
પ્રેમની અભિવ્યક્તિ ઉઠી છે અંતરમાં આજે.
દિન છે વેલેંટાઇંસ ડે - પ્રેમીઓનો આજે,
મારા માટે તો છે એ વસંત પંચમી આજે.
વર્ષોનાં વ્હાણાં વીત્યાં છે ઘણાં અચૂક આજે,
પ્રેમની મીઠી અગન પ્રજ્વલિત છે આજે.
પ્યારું પુષ્પ ખીલી ઉઠ્યું છે જીવનમાં આજે,
સંબંધની ક્યારી વિકસાવી રહ્યું છે એ આજે.
પંખીની જેમ ગગનવિહારી બનવું છે આજે,
તલસું ચુંબનનાં અમીછાંટણાં માટે આજે.
જિંદગીની વાસ્તવિક્તા મેળવે છે જે આજે,
સથવારો તારો પ્રેરે છે નવું જોમ આજે.
અતિ સંતપ્ત મન શાતા પામે છે જે આજે,
મળે આ દિન વર્ષો-વર્ષ નિરંતર મને આજે.
પ્રેમની ભીનાશ લખાણમાં વહી છે આજે,
મૃત્યુપર્યંત એકરાર માંગે છે તે આજે.
ઉર્જા - ચિરાગ પટેલ
ઉર્જા - ચિરાગ પટેલ Apr 12, 2005
પ્રેમની અખૂટ ઉર્જા પ્રિયે, યાદ આવી મુજને ફરી;
પ્રેમની લહેરખી એ જન્માવેલી આત્મિય ક્ષણો એ;
યાદ આવી મુજને ફરી.
વર્ષો વીત્યાં ક્ષણાર્ધમાં, અંગત ક્ષણો મળી મુજને ફરી;
લાગણીભીનાં પત્રોએ જગાડ્યાં બંધ દ્વાર આજે મારા;
અંગત ક્ષણો મળી મુજને ફરી.
સ્નેહથી ભરપૂર લથબથ, સુવાસ મળી મુજને ફરી;
પ્રેમના પરીપાક રૂપે ખીલેલું ગુલાબ પ્યારું આપણું;
સુવાસ મળી મુજને ફરી.
જીવતી ક્ષણોનું બળ સાંભર્યું, બળ મળ્યું મુજને ફરી;
વિશ્વને જીતવાનું સામર્થ્ય ઉત્મન્ન થયું એક પ્રયત્ને;
બળ મળ્યું મુજને ફરી.
પ્રભુને કરેલી અભ્યર્થના એવી, સાંભરી મુજને ફરી;
એકરાર વચનોનો, સંગાથ હરહંમેશ માટેની પ્રાર્થના;
સાંભરી મુજને ફરી.
હ્રદયાંકુર પ્રજ્વળી ઉઠ્યાં જાણે, પ્રેમ નીતર્યો ફરીથી;
નવચેતન પ્રગટ્યું જાણે, ધબકાર મળ્યો જાણે;
પ્રેમ નીતર્યો ફરીથી.
- ચિરાગના પ્રેમની અભિવ્યક્તિ ફરીથી.
પ્રેમની અખૂટ ઉર્જા પ્રિયે, યાદ આવી મુજને ફરી;
પ્રેમની લહેરખી એ જન્માવેલી આત્મિય ક્ષણો એ;
યાદ આવી મુજને ફરી.
વર્ષો વીત્યાં ક્ષણાર્ધમાં, અંગત ક્ષણો મળી મુજને ફરી;
લાગણીભીનાં પત્રોએ જગાડ્યાં બંધ દ્વાર આજે મારા;
અંગત ક્ષણો મળી મુજને ફરી.
સ્નેહથી ભરપૂર લથબથ, સુવાસ મળી મુજને ફરી;
પ્રેમના પરીપાક રૂપે ખીલેલું ગુલાબ પ્યારું આપણું;
સુવાસ મળી મુજને ફરી.
જીવતી ક્ષણોનું બળ સાંભર્યું, બળ મળ્યું મુજને ફરી;
વિશ્વને જીતવાનું સામર્થ્ય ઉત્મન્ન થયું એક પ્રયત્ને;
બળ મળ્યું મુજને ફરી.
પ્રભુને કરેલી અભ્યર્થના એવી, સાંભરી મુજને ફરી;
એકરાર વચનોનો, સંગાથ હરહંમેશ માટેની પ્રાર્થના;
સાંભરી મુજને ફરી.
હ્રદયાંકુર પ્રજ્વળી ઉઠ્યાં જાણે, પ્રેમ નીતર્યો ફરીથી;
નવચેતન પ્રગટ્યું જાણે, ધબકાર મળ્યો જાણે;
પ્રેમ નીતર્યો ફરીથી.
- ચિરાગના પ્રેમની અભિવ્યક્તિ ફરીથી.
Thursday, January 11, 2007
ઇલેક્ટ્રોન - ચિરાગ પટેલ
ઇલેક્ટ્રોન - ચિરાગ પટેલ Jan 11, 2007
સકળ સર્જનની શોધમાં, મથે છે આ કમજોર માનવી;
ઉપર-નીચે, નાને-મોટે ખોજતાં, જાણ્યો સૃષ્ટિ અવનવી.
પદાર્થ બધાં બન્યા છે જે પરમાણુ, એ પણ પાછો ભરેલો;
થોમસને શોધ્યો તને ઇલેક્ટ્રોન, ઉર્જાનો ફાટ-ફાટ ભારેલો.
દડાને જો કરૂં પૃથ્વી જેટલો, થાતો પરમાણુ દ્રાક્ષ જેટલો;
પરમાણુને ચૌદ માળનું મકાન કરૂં તો, તું રજકણ જેટલો.
બોહર સમજ્યો તારી કક્ષાઓને, આપી કોપનહેગન સમજૂતી;
આઇંસ્ટાઇન ના સમજ્યો, છતાં આપી ફોટો-ઇલેક્ટ્રિક સમજૂતી.
જ્યારે તું તારી કક્ષા છોડતો, જગતને પ્રકાશ આપતો;
બહાર ના ટકે તો કક્ષામાં ભળી, તું સ્પેક્ટ્રલ લાઇન જન્માવતો.
તારા તોફાનો બહુ વસમા, સૂરજદાદાને પણ કાળઝાળ કરતાં;
માણસને વિસ્મય પમાડતાં, જાણે નિત્ય નવા નખરાં કરતાં.
અદ્રશ્ય થવાનો કસબ તને હાથવગો, હોલોગ્રામ સમ ભાસતો;
ગતિ જાણીએ તો સ્થાન ના મળે, સ્થાન મળે તો ગતિ તરછોડતો.
અમને હવે તું બહુ મથાવતો ના, સર્જનકર્તાને વહેલો મળાવ તું.
સકળ સર્જનની શોધમાં, મથે છે આ કમજોર માનવી;
ઉપર-નીચે, નાને-મોટે ખોજતાં, જાણ્યો સૃષ્ટિ અવનવી.
પદાર્થ બધાં બન્યા છે જે પરમાણુ, એ પણ પાછો ભરેલો;
થોમસને શોધ્યો તને ઇલેક્ટ્રોન, ઉર્જાનો ફાટ-ફાટ ભારેલો.
દડાને જો કરૂં પૃથ્વી જેટલો, થાતો પરમાણુ દ્રાક્ષ જેટલો;
પરમાણુને ચૌદ માળનું મકાન કરૂં તો, તું રજકણ જેટલો.
બોહર સમજ્યો તારી કક્ષાઓને, આપી કોપનહેગન સમજૂતી;
આઇંસ્ટાઇન ના સમજ્યો, છતાં આપી ફોટો-ઇલેક્ટ્રિક સમજૂતી.
જ્યારે તું તારી કક્ષા છોડતો, જગતને પ્રકાશ આપતો;
બહાર ના ટકે તો કક્ષામાં ભળી, તું સ્પેક્ટ્રલ લાઇન જન્માવતો.
તારા તોફાનો બહુ વસમા, સૂરજદાદાને પણ કાળઝાળ કરતાં;
માણસને વિસ્મય પમાડતાં, જાણે નિત્ય નવા નખરાં કરતાં.
અદ્રશ્ય થવાનો કસબ તને હાથવગો, હોલોગ્રામ સમ ભાસતો;
ગતિ જાણીએ તો સ્થાન ના મળે, સ્થાન મળે તો ગતિ તરછોડતો.
અમને હવે તું બહુ મથાવતો ના, સર્જનકર્તાને વહેલો મળાવ તું.
Monday, December 25, 2006
પાયાનું ઘડતર - ચિરાગ પટેલ
પાયાનું ઘડતર - ચિરાગ પટેલ Dec 25, 2006
થોડા સમય પહેલા એક સરસ પુસ્તક વાંચવામાં આવ્યું - The Monk Who Sold His Ferrari by Robin Sharma. થોડું જુનું પુસ્તક છે, પરંતુ એમાં લખેલી બાબતો હંમેશા પ્રસ્તુત છે, તેથી એનો સારાંશ મેં અહીં મુકવાનો પ્રયત્ન કર્યો છે. સારાંશમાં મેં જો કે મારો પોતાનો અભિપ્રાય અને અર્થઘટન ઉમેર્યા છે.
મૂળ પુસ્તક ખૂબ જ રસપ્રદ શૈલીમાં એક વાર્તા સ્વરૂપે રજુ થયું છે. એમાં એક ખૂબ જ નામાંકિત વકીલ, સફળ વકીલ તેના જીવનમાં આવેલ રોચક વળાંક વિશે એક મિત્ર વકીલને સમજાવે છે. એ પોતાના અનુભાવો અને સમજણોને એક નવી દ્રષ્ટિએ મૂલવે છે અને નવા સિધ્ધાંતો જીવનમાં પ્રસ્થાપિત કેવી રીતે કરવા તેનું વિસ્તૃત વર્ણન કરે છે. લેખક શર્માએ ભારતીય સંસ્કાર અને જીવનમૂલ્યોને આ વાર્તા દ્વારા સમજાવવા કોશિશ કરી છે. મારી દ્રષ્ટિએ આ સિધ્ધાંતો આપણે દરેક જાણીએ છીએ. આપણી પાસે ઘણો મોટો આધ્યાત્મિક અને તત્વ/સત્વ ચિંતનનો ખજાનો છે. પરંતુ, ખેદની વાત એ છે કે આપણે એ બધું ભૂલી ગયા છે. ભારતની આર્થિક પ્રગતિમાં એ બધાં મૂલ્યોનું સતત ધોવાણ થતું ચાલ્યું છે. યુવાવર્ગ સવાયો અમેરિકન થઇ રહ્યો છે, અને એમાં ગૌરવ અનુભવે છે. આવું થવાના ઘણાં બધાં કારણો છે, પરંતુ એ બધી ચર્ચા ફરી ક્યારેક કોઇ લેખમાં કરીશું.
પુસ્તકમાં વર્ણવેલાં સાત પાયાનાં સિધ્ધાંતો:
1. મનને કેળવો
મનનો સ્વભાવ છે, એને મળતી માહિતીનું પૃથક્કરણ. અને મનને નિરંતર કોઇને કોઇ માહિતી મળ્યા જ કરતી હોય છે. આપણી બધી ઇંદ્રિયો, અવયવો હરહંમેશ એમનું કાર્ય બજાવતી હોય છે. હર એક પળ આપણે આપણી જાણ બહાર કે આપણી જાણમાં કોઇને કોઇ કાર્ય કરતાં જ હોઇએ છીએ. મન મર્કટ એમાં જ અટવાયા કરતું હોય છે. જો મન આ બધામાં અટવાયા કરવાને બદલે કોઇ નક્કર ધ્યેયમાં પરોવાયેલું રહે તો આપણે ઘણાં અણધાર્યાં પરિણામો ધારીને મેળવી શકીએ.
મનને યોગ્ય કુદરતી ખાતર/પાણી આપો. એનું બાળકોને ઉછેરતાં હો એવી રીતે લાલન-પાલન કરો. તમે મનને કાબુમાં રાખો, નહિ કે મન તમને કાબુમાં રાખે.
જ્યારે તમે કોઇ અયોગ્ય વિચાર કરો કે તરત જ એનાથી વિરુધ્ધ વિચાર કરો. જેમ કે, મન કોઇની નિંદા કરતું હોય તો તરત જ તમે મન પર કાબુ કરીને એ વ્યક્તિની સારી બાબતો વિચારવાનું શરૂં કરો.
સફળ અને સંતુલિત જીવન એ સફળ અને સંતુલિત વિચારોનું પરિણામ હોય છે.
નિષ્ફળતાઓને એક શિખામણ તરીકે જુઓ. એકની એક ભુલ ફરી ના થાય એનો પ્રયત્ન કરો. નિષ્ફળતાઓને વ્યક્તિગત અને આધ્યાત્મિક પ્રગતિના સોપાન ગણો.
2. ધ્યેયને અનુસરો
સમજો કે, ધ્યેય પ્રેરિત જીવન એ જ જીવનનો ધ્યેય છે. જીવનમાં કરવા લાયક કાર્યોને શોધવા, જાણવા અને માણવાં એ શાશ્વત સંતોષનાં સાધન છે. એટલે જ, એક કાગળ ઉપર તમારાં વ્યક્તિગત, સામાજીક, આર્થિક, વ્યાવસાયિક અને આધ્યાત્મિક ધ્યેય નક્કી કરીને લખો. આ ધ્યેયનું રોજ પઠન કરો અને તમારી જાતને એ ધ્યેય પામ્યા પછીની સ્થિતીમાં જુઓ. આ બધાં ધ્યેય મેળવવા કામ કરવાની હિમ્મત કેળવો.
તમારા ધ્યેયના પરિણામો વિશે સ્પષ્ટતા કેળવો. તમે ધ્યેયને જેટલો વધુ બારીકાઇથી વર્ણવી શકો એટલો એ વધુ નજીક. દા. ત., ગાડી ધરાવવી અને ડાર્ક બ્લ્યુ રંગની બી.એમ. ડબ્લ્યુ. 760 એલ આઇ લેવી એ બેમાં બહુ મોટો ફેર છે.
ધ્યેય પામવા પોતાના પર હકારાત્મક દબાણ ઉભું કરો.
દરેક ધ્યેયને પામવા માટે ચોક્કસ સમય મર્યાદા નક્કી કરો.
કોઇ પણ પ્રવૃત્તિ સતત 21 દિવસ સુધી કરો. આમ કરવાથી કોઇ પણ પ્રવૃત્તિ એક આદત બની જશે. અને આદત એ આપણી રોજિંદી ક્રિયાનો એક ભાગ બની જાય છે.
જીવનને માણો.
3. સતત અવિરત સુધારો કરો
રામકૃષ્ણ પરમહંસ કહેતાં કે મન તાંબાના લોટા જેવું છે. જો એને રોજ ઘસીને સાફ ના કરીએ તો એ કાળું પડી જાય. મનની વૃત્તિ જ હોય છે ખરાબ આદતોને જલ્દી અપનાવવાની. સારી આદતો એ જલ્દી ભુલી જાય છે. એટલે આપણે મનને સતત કાબુમાં રાખવું પડે છે.
જે કામ કરતાં મન પાછું પડે એ પહેલાં કરો. સહેલું કામ તો તમે ગમે ત્યારે કરી શકો એમ છો.
રોજ થોડો સમય એકાંતવાસ ગાળો. જાતને ઓળખવાનો, સમજવાનો પ્રયત્ન કરો.
નિયમિત યોગ/પ્રાણાયામ/કસરત કરો. એના માટે રોજ સ્નાન કરતાં પહેલા 15 મિનિટ ફાળવો. શરીરની શુધ્ધિ સાથે મનની શુધ્ધિ માટે પણ પ્રયત્નશીલ રહો.
શુધ્ધ સાત્વિક ખોરાક લો. ભગવાન ગીતામાં કહે છે કે તમે મને પત્ર, પુષ્પ, ફ્ળ અથવા પાણી પ્રસાદ તરીકે પ્રેમથી આપો. સાત્વિક ખોરાક પણ આ જ હોવો જોઇએ.
જે સારી બાબત શીખો એને અમલમાં મૂકો.
નિયમિત વાંચન કરો. હકારાત્મક અને સકારાત્મક વાંચન બહુ અગત્યનું છે.
રોજ રાત્રે ઉંઘતા પહેલાં દિવસમાં કરેલાં કામનું પૃથક્કરણ કરો અને શેમાં સુધારો થઇ શકતો હતો એ વિચારો.
રોજ 6 કલાકની ઉંઘ લો. સુર્ય ઉગે એ સાથે તમે જાગો. દરેકને સ્વસ્થ રહેવા માટે 6કલાકની ગાઢ ઉંઘ પૂરતી હોય છે.
હળવું સંગીત સાંભળો. હસો. નાનું બાળક રોજ 300 વખત હસતું હોય છે, જ્યારે વયસ્ક 15 વખત! આપણે હસવાનું જાણે ભૂલી જ જઇએ છીએ.
નિયમિત મંત્રજાપ કરો. મંત્ર એટલે મનને મુક્ત કરવું. નિયમિત જાપના સંસ્કાર બહુ ગાઢ હોય છે.
ચારિત્ર્યનું ઘડતર કરો. દરેક બાબત સંયમિત અને સંતુલિતપણે કરો. કાર્ય, વિચારની નીપજ છે. આદત, કાર્યની નીપજ છે. ચારિત્ર્ય, આદતનીનીપજ છે. ભવિષ્ય, ચારિત્ર્યની નીપજ છે. એટલે જ, સારા વિચાર કરો. જીવનમાં ઉદ્યમ, કરૂણા, દયા, ધીરજ, પ્રમાણિક્તા, હિંમત જેવાં સદગુણો વિકસાવો.
સરળ/સાદું જીવન જીવો.
4. શિસ્ત કેળવો
શિસ્ત એટલે જ યોગ્ય કેળવણીનું લક્ષણ. શિસ્ત સમયનો અયોગ્ય બગાડ પણ અટકાવશે.
મનોબળ કેળવો. શિસ્ત આપોઆપ આવશે.
મંત્રજાપ મનોબળ કેળવશે.
એકાંતને પિછાણો.
5. સમયને માન આપો
પળે પળે તમે એક બહુ અમૂલ્ય ભેંટ ગુમાવી રહ્યા છો એ જાણો. આપણને ગમતી પ્રવૃત્તિમાં તલ્લીન થતાં આપણે સમયને ભૂલી જઇએ છીએ. અણગમતી પ્રવૃત્તિ આપણને એક પળ કેટલી મોટી છે એ સમજાવે છે. કોઇ પણ પરિસ્થિતિ મનને વિચલિત ના કરે એનું ધ્યાન રાખો. સભાનપણે સમયને અનુસરવું બહુ જરૂરી છે.
જીવનમાં અગત્યની બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરો અને સંતુલન જાળવો. જીવનમા બનતી ઘટનાઓની પ્રતિક્રિયા આપતાં જીવવા કરતાં અગત્યની બાબતોને કેન્દ્રિત રાખી જીવન વ્યતિત કરો.
જીવનને સરળ બનાવો.
'ના' કહેતાં શીખો. જીવનમાં ઘણી અણગમતી પ્રવૃત્તિ અને સમયનો બગાડ અટકી જશે:)
મૃત્યુશૈયા પર છો એવી ભાવના કેળવો. જ્યારે માણસ અંતિમ ક્ષણોમાં હોય ત્યારે જે સહુથી અગત્યની બાબત છે એ કરશે. અને એ પણ સમયનો સહેજ પણ બિનજરૂરી બગાડ કર્યા સિવાય. આપણે જો આ ભાવના હંમેશ માટે રાખીએ તો સમયનો બગાડ અટકી જશે.
એક બહુ સામાન્ય હકીકત છે કે, જીવનના 80% પરિણામો 20% કાર્યોની નીપજ હોય છે. બાકીના 80% કાર્યોમા ઘણો વધારે સમય વ્યતિત થતો હોય છે.
સમયની ચોરી કરતાં શીખો. આજનાં ધમાલિયાં જીવન માટે આ બહુ અગત્યતા ધરાવે છે. જે લોકો સમય ન હોવાની ફરિયાદ કરતાં હોય છે એ જ સહુથી વધુ સમયનો બગાડ કરતાં હોય છે. જે લોકો વ્યસ્ત જીવન ગાળે છે,એ લોકો સમયની ચોરી કરીને પણ મહત્વનાં કાર્યોને અગત્યતા આપવાનું ભૂલતાં નથી.
6. નિઃસ્વાર્થ ભાવે સેવા કરો
જ્યારે માણસ સેવામાં નિઃસ્વાર્થ ભાવના કેળવે છે, ત્યારે એ આધ્યાત્મિક પંથ પર ઘણી મોટી પ્રગતિ સાધે છે. ગીતામાં ભગવાને ઠેર ઠેર આવી ભાવના કેળવવાની ભલામણ કરી છે. ભગવાન એવું પણ કહે છે કે દરેક કાર્ય મને અર્પણ કરીને કર, એનું ફળ પણ મને જ અર્પણ કરો. હું તને પાપમુક્ત કરવાનું વચન આપું છું. હું તને મુક્તિ આપી મારા સાન્નિધ્યમાં રાખવાનું વચન આપું છું.
સારું જીવન સારા યોગદાનથી મેળવાય છે.
જે મદદ માંગે છે એને અવશ્ય કરો.
બીજાને જીવનને ઉન્નત બનાવવાથી આપણે જીવનનાં એક સર્વોચ્ચ પરિમાણને પામી શકીએ છીએ.
7. વર્તમાનને અપનાવો
વ્યક્તિનો મોટા ભાગનો સમય ભવિષ્યના આયોજનમાં, એનાં સપનાં જોવામાં અને ભૂતકાળને વાગોળવામાં જ વ્યતિત થઇ જાય છે. માણસ વર્તમાનને માણવાનું તો જાણે ભૂલી જ જાય છે.
"આ પળ"માં જીવો.
તમારા બાળકનું બાળપણ જીવો. બાળકમાં જીવનને જોવાને આગવી, સરળ અને નિઃસ્વાર્થ દ્રષ્ટિ હોય છે. એને જે સીધું છે એ દેખાય છે. એ કોઇ બીજો દ્રષ્ટિકોણ નહિ કેળવે. એ કોઇ બીજો ખોટો વિચાર નહિ કરે.
દરેક દિવસ જીવનનો છેલ્લો દિવસ છે એવું ગણીને જીવો. જો આવું માનીને જીવી શકાય તો જીવનમાં બહુ મોટો પલટો આવી જાય.
ભવિષ્યનું ઘડતર કરો. આપણું ભવિષ્ય કોઇ બીજું ઘડતું નથી, ઘડી શકે નહિ.
આ સાત સુત્રો જીવન ઘડતરમાં બહુ મોટા સહાયક થઇ શકે એમ છે. આપણા આઇ.ક્યુ. કરતાં "હું કરી શકીશ" એવી ભાવના વધુ અગત્યની છે. આ ભાવના જીવન સાર્થક કરવા માટેનું મોટું પ્રેરણાસ્તોત્ર બની શકે એમ છે. શરીર, મન અને આત્માની શક્તિ/ક્ષમતામાં વધારો કરો. એને મુક્ત થવા દેવું જરૂરી છે. વિચારોને વિસ્તૃત કરો. બહુ વાસ્તવવાદી કે ગણતરીબાજ બનવા કરતાં જીવનમાં જે કરવું છે એ કરો. જ્ઞાન મેળવવા કરતાં વિચારશીલતાં કેળવવી વધુ અગત્યની છે.
આપના પ્રતિભાવ જણાવશો. આ સિધ્ધાંતો અમલમાં મુકવાની હિંમત કેળવીને એના પ્રયોગોનું પરિણામ શું આવે છે એ મને જરૂરથી જણાવશો. હું પણ આ અને આના જેવા બીજાં સારાં સિધ્ધાંતો પ્રમાણે જીવન જીવવાનો પ્રયત્ન કરી રહ્યો છું.
થોડા સમય પહેલા એક સરસ પુસ્તક વાંચવામાં આવ્યું - The Monk Who Sold His Ferrari by Robin Sharma. થોડું જુનું પુસ્તક છે, પરંતુ એમાં લખેલી બાબતો હંમેશા પ્રસ્તુત છે, તેથી એનો સારાંશ મેં અહીં મુકવાનો પ્રયત્ન કર્યો છે. સારાંશમાં મેં જો કે મારો પોતાનો અભિપ્રાય અને અર્થઘટન ઉમેર્યા છે.
મૂળ પુસ્તક ખૂબ જ રસપ્રદ શૈલીમાં એક વાર્તા સ્વરૂપે રજુ થયું છે. એમાં એક ખૂબ જ નામાંકિત વકીલ, સફળ વકીલ તેના જીવનમાં આવેલ રોચક વળાંક વિશે એક મિત્ર વકીલને સમજાવે છે. એ પોતાના અનુભાવો અને સમજણોને એક નવી દ્રષ્ટિએ મૂલવે છે અને નવા સિધ્ધાંતો જીવનમાં પ્રસ્થાપિત કેવી રીતે કરવા તેનું વિસ્તૃત વર્ણન કરે છે. લેખક શર્માએ ભારતીય સંસ્કાર અને જીવનમૂલ્યોને આ વાર્તા દ્વારા સમજાવવા કોશિશ કરી છે. મારી દ્રષ્ટિએ આ સિધ્ધાંતો આપણે દરેક જાણીએ છીએ. આપણી પાસે ઘણો મોટો આધ્યાત્મિક અને તત્વ/સત્વ ચિંતનનો ખજાનો છે. પરંતુ, ખેદની વાત એ છે કે આપણે એ બધું ભૂલી ગયા છે. ભારતની આર્થિક પ્રગતિમાં એ બધાં મૂલ્યોનું સતત ધોવાણ થતું ચાલ્યું છે. યુવાવર્ગ સવાયો અમેરિકન થઇ રહ્યો છે, અને એમાં ગૌરવ અનુભવે છે. આવું થવાના ઘણાં બધાં કારણો છે, પરંતુ એ બધી ચર્ચા ફરી ક્યારેક કોઇ લેખમાં કરીશું.
પુસ્તકમાં વર્ણવેલાં સાત પાયાનાં સિધ્ધાંતો:
1. મનને કેળવો
મનનો સ્વભાવ છે, એને મળતી માહિતીનું પૃથક્કરણ. અને મનને નિરંતર કોઇને કોઇ માહિતી મળ્યા જ કરતી હોય છે. આપણી બધી ઇંદ્રિયો, અવયવો હરહંમેશ એમનું કાર્ય બજાવતી હોય છે. હર એક પળ આપણે આપણી જાણ બહાર કે આપણી જાણમાં કોઇને કોઇ કાર્ય કરતાં જ હોઇએ છીએ. મન મર્કટ એમાં જ અટવાયા કરતું હોય છે. જો મન આ બધામાં અટવાયા કરવાને બદલે કોઇ નક્કર ધ્યેયમાં પરોવાયેલું રહે તો આપણે ઘણાં અણધાર્યાં પરિણામો ધારીને મેળવી શકીએ.
મનને યોગ્ય કુદરતી ખાતર/પાણી આપો. એનું બાળકોને ઉછેરતાં હો એવી રીતે લાલન-પાલન કરો. તમે મનને કાબુમાં રાખો, નહિ કે મન તમને કાબુમાં રાખે.
જ્યારે તમે કોઇ અયોગ્ય વિચાર કરો કે તરત જ એનાથી વિરુધ્ધ વિચાર કરો. જેમ કે, મન કોઇની નિંદા કરતું હોય તો તરત જ તમે મન પર કાબુ કરીને એ વ્યક્તિની સારી બાબતો વિચારવાનું શરૂં કરો.
સફળ અને સંતુલિત જીવન એ સફળ અને સંતુલિત વિચારોનું પરિણામ હોય છે.
નિષ્ફળતાઓને એક શિખામણ તરીકે જુઓ. એકની એક ભુલ ફરી ના થાય એનો પ્રયત્ન કરો. નિષ્ફળતાઓને વ્યક્તિગત અને આધ્યાત્મિક પ્રગતિના સોપાન ગણો.
2. ધ્યેયને અનુસરો
સમજો કે, ધ્યેય પ્રેરિત જીવન એ જ જીવનનો ધ્યેય છે. જીવનમાં કરવા લાયક કાર્યોને શોધવા, જાણવા અને માણવાં એ શાશ્વત સંતોષનાં સાધન છે. એટલે જ, એક કાગળ ઉપર તમારાં વ્યક્તિગત, સામાજીક, આર્થિક, વ્યાવસાયિક અને આધ્યાત્મિક ધ્યેય નક્કી કરીને લખો. આ ધ્યેયનું રોજ પઠન કરો અને તમારી જાતને એ ધ્યેય પામ્યા પછીની સ્થિતીમાં જુઓ. આ બધાં ધ્યેય મેળવવા કામ કરવાની હિમ્મત કેળવો.
તમારા ધ્યેયના પરિણામો વિશે સ્પષ્ટતા કેળવો. તમે ધ્યેયને જેટલો વધુ બારીકાઇથી વર્ણવી શકો એટલો એ વધુ નજીક. દા. ત., ગાડી ધરાવવી અને ડાર્ક બ્લ્યુ રંગની બી.એમ. ડબ્લ્યુ. 760 એલ આઇ લેવી એ બેમાં બહુ મોટો ફેર છે.
ધ્યેય પામવા પોતાના પર હકારાત્મક દબાણ ઉભું કરો.
દરેક ધ્યેયને પામવા માટે ચોક્કસ સમય મર્યાદા નક્કી કરો.
કોઇ પણ પ્રવૃત્તિ સતત 21 દિવસ સુધી કરો. આમ કરવાથી કોઇ પણ પ્રવૃત્તિ એક આદત બની જશે. અને આદત એ આપણી રોજિંદી ક્રિયાનો એક ભાગ બની જાય છે.
જીવનને માણો.
3. સતત અવિરત સુધારો કરો
રામકૃષ્ણ પરમહંસ કહેતાં કે મન તાંબાના લોટા જેવું છે. જો એને રોજ ઘસીને સાફ ના કરીએ તો એ કાળું પડી જાય. મનની વૃત્તિ જ હોય છે ખરાબ આદતોને જલ્દી અપનાવવાની. સારી આદતો એ જલ્દી ભુલી જાય છે. એટલે આપણે મનને સતત કાબુમાં રાખવું પડે છે.
જે કામ કરતાં મન પાછું પડે એ પહેલાં કરો. સહેલું કામ તો તમે ગમે ત્યારે કરી શકો એમ છો.
રોજ થોડો સમય એકાંતવાસ ગાળો. જાતને ઓળખવાનો, સમજવાનો પ્રયત્ન કરો.
નિયમિત યોગ/પ્રાણાયામ/કસરત કરો. એના માટે રોજ સ્નાન કરતાં પહેલા 15 મિનિટ ફાળવો. શરીરની શુધ્ધિ સાથે મનની શુધ્ધિ માટે પણ પ્રયત્નશીલ રહો.
શુધ્ધ સાત્વિક ખોરાક લો. ભગવાન ગીતામાં કહે છે કે તમે મને પત્ર, પુષ્પ, ફ્ળ અથવા પાણી પ્રસાદ તરીકે પ્રેમથી આપો. સાત્વિક ખોરાક પણ આ જ હોવો જોઇએ.
જે સારી બાબત શીખો એને અમલમાં મૂકો.
નિયમિત વાંચન કરો. હકારાત્મક અને સકારાત્મક વાંચન બહુ અગત્યનું છે.
રોજ રાત્રે ઉંઘતા પહેલાં દિવસમાં કરેલાં કામનું પૃથક્કરણ કરો અને શેમાં સુધારો થઇ શકતો હતો એ વિચારો.
રોજ 6 કલાકની ઉંઘ લો. સુર્ય ઉગે એ સાથે તમે જાગો. દરેકને સ્વસ્થ રહેવા માટે 6કલાકની ગાઢ ઉંઘ પૂરતી હોય છે.
હળવું સંગીત સાંભળો. હસો. નાનું બાળક રોજ 300 વખત હસતું હોય છે, જ્યારે વયસ્ક 15 વખત! આપણે હસવાનું જાણે ભૂલી જ જઇએ છીએ.
નિયમિત મંત્રજાપ કરો. મંત્ર એટલે મનને મુક્ત કરવું. નિયમિત જાપના સંસ્કાર બહુ ગાઢ હોય છે.
ચારિત્ર્યનું ઘડતર કરો. દરેક બાબત સંયમિત અને સંતુલિતપણે કરો. કાર્ય, વિચારની નીપજ છે. આદત, કાર્યની નીપજ છે. ચારિત્ર્ય, આદતનીનીપજ છે. ભવિષ્ય, ચારિત્ર્યની નીપજ છે. એટલે જ, સારા વિચાર કરો. જીવનમાં ઉદ્યમ, કરૂણા, દયા, ધીરજ, પ્રમાણિક્તા, હિંમત જેવાં સદગુણો વિકસાવો.
સરળ/સાદું જીવન જીવો.
4. શિસ્ત કેળવો
શિસ્ત એટલે જ યોગ્ય કેળવણીનું લક્ષણ. શિસ્ત સમયનો અયોગ્ય બગાડ પણ અટકાવશે.
મનોબળ કેળવો. શિસ્ત આપોઆપ આવશે.
મંત્રજાપ મનોબળ કેળવશે.
એકાંતને પિછાણો.
5. સમયને માન આપો
પળે પળે તમે એક બહુ અમૂલ્ય ભેંટ ગુમાવી રહ્યા છો એ જાણો. આપણને ગમતી પ્રવૃત્તિમાં તલ્લીન થતાં આપણે સમયને ભૂલી જઇએ છીએ. અણગમતી પ્રવૃત્તિ આપણને એક પળ કેટલી મોટી છે એ સમજાવે છે. કોઇ પણ પરિસ્થિતિ મનને વિચલિત ના કરે એનું ધ્યાન રાખો. સભાનપણે સમયને અનુસરવું બહુ જરૂરી છે.
જીવનમાં અગત્યની બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરો અને સંતુલન જાળવો. જીવનમા બનતી ઘટનાઓની પ્રતિક્રિયા આપતાં જીવવા કરતાં અગત્યની બાબતોને કેન્દ્રિત રાખી જીવન વ્યતિત કરો.
જીવનને સરળ બનાવો.
'ના' કહેતાં શીખો. જીવનમાં ઘણી અણગમતી પ્રવૃત્તિ અને સમયનો બગાડ અટકી જશે:)
મૃત્યુશૈયા પર છો એવી ભાવના કેળવો. જ્યારે માણસ અંતિમ ક્ષણોમાં હોય ત્યારે જે સહુથી અગત્યની બાબત છે એ કરશે. અને એ પણ સમયનો સહેજ પણ બિનજરૂરી બગાડ કર્યા સિવાય. આપણે જો આ ભાવના હંમેશ માટે રાખીએ તો સમયનો બગાડ અટકી જશે.
એક બહુ સામાન્ય હકીકત છે કે, જીવનના 80% પરિણામો 20% કાર્યોની નીપજ હોય છે. બાકીના 80% કાર્યોમા ઘણો વધારે સમય વ્યતિત થતો હોય છે.
સમયની ચોરી કરતાં શીખો. આજનાં ધમાલિયાં જીવન માટે આ બહુ અગત્યતા ધરાવે છે. જે લોકો સમય ન હોવાની ફરિયાદ કરતાં હોય છે એ જ સહુથી વધુ સમયનો બગાડ કરતાં હોય છે. જે લોકો વ્યસ્ત જીવન ગાળે છે,એ લોકો સમયની ચોરી કરીને પણ મહત્વનાં કાર્યોને અગત્યતા આપવાનું ભૂલતાં નથી.
6. નિઃસ્વાર્થ ભાવે સેવા કરો
જ્યારે માણસ સેવામાં નિઃસ્વાર્થ ભાવના કેળવે છે, ત્યારે એ આધ્યાત્મિક પંથ પર ઘણી મોટી પ્રગતિ સાધે છે. ગીતામાં ભગવાને ઠેર ઠેર આવી ભાવના કેળવવાની ભલામણ કરી છે. ભગવાન એવું પણ કહે છે કે દરેક કાર્ય મને અર્પણ કરીને કર, એનું ફળ પણ મને જ અર્પણ કરો. હું તને પાપમુક્ત કરવાનું વચન આપું છું. હું તને મુક્તિ આપી મારા સાન્નિધ્યમાં રાખવાનું વચન આપું છું.
સારું જીવન સારા યોગદાનથી મેળવાય છે.
જે મદદ માંગે છે એને અવશ્ય કરો.
બીજાને જીવનને ઉન્નત બનાવવાથી આપણે જીવનનાં એક સર્વોચ્ચ પરિમાણને પામી શકીએ છીએ.
7. વર્તમાનને અપનાવો
વ્યક્તિનો મોટા ભાગનો સમય ભવિષ્યના આયોજનમાં, એનાં સપનાં જોવામાં અને ભૂતકાળને વાગોળવામાં જ વ્યતિત થઇ જાય છે. માણસ વર્તમાનને માણવાનું તો જાણે ભૂલી જ જાય છે.
"આ પળ"માં જીવો.
તમારા બાળકનું બાળપણ જીવો. બાળકમાં જીવનને જોવાને આગવી, સરળ અને નિઃસ્વાર્થ દ્રષ્ટિ હોય છે. એને જે સીધું છે એ દેખાય છે. એ કોઇ બીજો દ્રષ્ટિકોણ નહિ કેળવે. એ કોઇ બીજો ખોટો વિચાર નહિ કરે.
દરેક દિવસ જીવનનો છેલ્લો દિવસ છે એવું ગણીને જીવો. જો આવું માનીને જીવી શકાય તો જીવનમાં બહુ મોટો પલટો આવી જાય.
ભવિષ્યનું ઘડતર કરો. આપણું ભવિષ્ય કોઇ બીજું ઘડતું નથી, ઘડી શકે નહિ.
આ સાત સુત્રો જીવન ઘડતરમાં બહુ મોટા સહાયક થઇ શકે એમ છે. આપણા આઇ.ક્યુ. કરતાં "હું કરી શકીશ" એવી ભાવના વધુ અગત્યની છે. આ ભાવના જીવન સાર્થક કરવા માટેનું મોટું પ્રેરણાસ્તોત્ર બની શકે એમ છે. શરીર, મન અને આત્માની શક્તિ/ક્ષમતામાં વધારો કરો. એને મુક્ત થવા દેવું જરૂરી છે. વિચારોને વિસ્તૃત કરો. બહુ વાસ્તવવાદી કે ગણતરીબાજ બનવા કરતાં જીવનમાં જે કરવું છે એ કરો. જ્ઞાન મેળવવા કરતાં વિચારશીલતાં કેળવવી વધુ અગત્યની છે.
આપના પ્રતિભાવ જણાવશો. આ સિધ્ધાંતો અમલમાં મુકવાની હિંમત કેળવીને એના પ્રયોગોનું પરિણામ શું આવે છે એ મને જરૂરથી જણાવશો. હું પણ આ અને આના જેવા બીજાં સારાં સિધ્ધાંતો પ્રમાણે જીવન જીવવાનો પ્રયત્ન કરી રહ્યો છું.
Sunday, December 17, 2006
કાલાંવાલાં - બંસીધર પટેલ
કાલાંવાલાં - બંસીધર પટેલ
(રાગ: મેરી પ્યારી બહનીયા ... સચ્ચાઝૂઠા)
આરાસુરી મૈયા કરૂં કાલાંવાલાં,
તમને કરૂં હું નિશદિન યાદ.
મૈયા આપોને દર્શન આજ.
આઠે અંગો જેનાં ખૂબ સોહાણાં,
પ્રેમે ભક્તોના મન હરી લેતાં.
દુનિયાના રંગો લાગે ખાટામીઠા,
તુજ ચરણોંમાં મુજ મમતાથી.
તમે કરશો ના વાર લગારે,
તમને કરૂં હું નિશદિન યાદ.
મૈયા આપોને દર્શન આજ.
રૂપે સોહાણી, રંગે રૂપાળી,
પ્યારથી દર્શન કરતાં ને માટે.
દિલથી હું કરતો વિનંતી તમોને,
બંસીના દિલની વાત ન અજાણી.
તમે થાઓને ઝટ તૈયાર,
મૈયા આપોને દર્શન આજ.
મૈયા આપોને દર્શન આજ.
(રાગ: મેરી પ્યારી બહનીયા ... સચ્ચાઝૂઠા)
આરાસુરી મૈયા કરૂં કાલાંવાલાં,
તમને કરૂં હું નિશદિન યાદ.
મૈયા આપોને દર્શન આજ.
આઠે અંગો જેનાં ખૂબ સોહાણાં,
પ્રેમે ભક્તોના મન હરી લેતાં.
દુનિયાના રંગો લાગે ખાટામીઠા,
તુજ ચરણોંમાં મુજ મમતાથી.
તમે કરશો ના વાર લગારે,
તમને કરૂં હું નિશદિન યાદ.
મૈયા આપોને દર્શન આજ.
રૂપે સોહાણી, રંગે રૂપાળી,
પ્યારથી દર્શન કરતાં ને માટે.
દિલથી હું કરતો વિનંતી તમોને,
બંસીના દિલની વાત ન અજાણી.
તમે થાઓને ઝટ તૈયાર,
મૈયા આપોને દર્શન આજ.
મૈયા આપોને દર્શન આજ.
પુકાર - બંસીધર પટેલ
પુકાર - બંસીધર પટેલ
(રાગ: આને સે ઉનકે ... જીને કી રાહ)
ભોલી અંબે સુન લે પુકાર, નૈયાકો મેરી કરદેજી પાસ.
ભક્તોંને પુકારા હૈ મૈયા સુન લે પુકાર. (2)
દિન દુઃખી અભાગત કરે અંતરકી આરાધન તુજ કો,
સુને નહિં તો કહદું મૈયા મોરી નહિં ઇસ ધરતીપે.
ભક્તોંકી તારણહાર ભોલી ભોલી મૈયા હૈ.
મૈયા સુનલે પુકાર...
ધૂપ દીપ ચૌખટિયા તુજ ચરનોંમેં કરદું નિછાવર,
ફિરભી માને નહિં તો મેં કરદું સારા જીવન નિછાવર.
ખડગનધાર, ખપ્પરફાડ, આરાસુરી અમ્બેમાં.
મૈયા સુનલે પુકાર...
દિન યું બીત જાતે હૈં સપનોંમેં કટ જાયે રાત,
આજ નહિંતો કલ મિલે ઐસા કરતી હું મનમેં પસ્તાવન,
ચરણોંકી ધૂલી હું ભટકાઉં કટકી હું.
મૈયા સુનલે પુકાર...
(રાગ: આને સે ઉનકે ... જીને કી રાહ)
ભોલી અંબે સુન લે પુકાર, નૈયાકો મેરી કરદેજી પાસ.
ભક્તોંને પુકારા હૈ મૈયા સુન લે પુકાર. (2)
દિન દુઃખી અભાગત કરે અંતરકી આરાધન તુજ કો,
સુને નહિં તો કહદું મૈયા મોરી નહિં ઇસ ધરતીપે.
ભક્તોંકી તારણહાર ભોલી ભોલી મૈયા હૈ.
મૈયા સુનલે પુકાર...
ધૂપ દીપ ચૌખટિયા તુજ ચરનોંમેં કરદું નિછાવર,
ફિરભી માને નહિં તો મેં કરદું સારા જીવન નિછાવર.
ખડગનધાર, ખપ્પરફાડ, આરાસુરી અમ્બેમાં.
મૈયા સુનલે પુકાર...
દિન યું બીત જાતે હૈં સપનોંમેં કટ જાયે રાત,
આજ નહિંતો કલ મિલે ઐસા કરતી હું મનમેં પસ્તાવન,
ચરણોંકી ધૂલી હું ભટકાઉં કટકી હું.
મૈયા સુનલે પુકાર...
ચીચવો - ચિરાગ પટેલ
ચીચવો - ચિરાગ પટેલ Feb 14, 2006
પ્રેમનો ચીચવો, રંગે રમાડતો, અંગે દઝાડતો;
તારા સાથમાં રસથી તરબોળતો, તરસ છીપાવતો.
પ્રેમનો ચીચવો...
કાજળઘેરી રાતમાં રૂદન છૂપાવતો, સ્નેહે સીંચતો;
ઉખડેલા ઘેઘૂર વડલાંનું થડ, વ્હાલથી એને વધાવતો;
પ્રેમનો ચીચવો ...
જીવનનો બોજ ઉપાડતો, ના કહ્યે પણ ઘણું બોલતો;
બધો ભાર ઝીલતો, સ્નેહના અમૃતથી એને વધાવતો.
પ્રેમનો ચીચવો ...
હિંમતના બોલ ગાતો, વિષાદથી ભર્યું દિલ ઠાલવતો;
નાનકડાં ફૂલને છાંય દેતો, વહાલપથી એને નવડાવતો.
પ્રેમનો ચીચવો ...
ભાન થયું કે, એ તો તારી ભાવનાનો ભર્યો નિતરતો;
અંતરને બોલકું કરી અમી ઝરતો, તારા પ્રેમનો ચીચવો.
પ્રેમનો ચીચવો, રંગે રમાડતો, અંગે દઝાડતો;
તારા સાથમાં રસથી તરબોળતો, તરસ છીપાવતો.
પ્રેમનો ચીચવો...
કાજળઘેરી રાતમાં રૂદન છૂપાવતો, સ્નેહે સીંચતો;
ઉખડેલા ઘેઘૂર વડલાંનું થડ, વ્હાલથી એને વધાવતો;
પ્રેમનો ચીચવો ...
જીવનનો બોજ ઉપાડતો, ના કહ્યે પણ ઘણું બોલતો;
બધો ભાર ઝીલતો, સ્નેહના અમૃતથી એને વધાવતો.
પ્રેમનો ચીચવો ...
હિંમતના બોલ ગાતો, વિષાદથી ભર્યું દિલ ઠાલવતો;
નાનકડાં ફૂલને છાંય દેતો, વહાલપથી એને નવડાવતો.
પ્રેમનો ચીચવો ...
ભાન થયું કે, એ તો તારી ભાવનાનો ભર્યો નિતરતો;
અંતરને બોલકું કરી અમી ઝરતો, તારા પ્રેમનો ચીચવો.
Sunday, December 10, 2006
પરમહંસ શ્રી રામ્કૃશ્ણ બાવની - પદ્મા ત્રિવેદી
પરમહંસ શ્રી રામ્કૃશ્ણ બાવની - પદ્મા ત્રિવેદી
જય ભારત ભૂમિનો ભાર, ઉતારવા પ્રગટ્યા ભગવાન!
રામકૃશ્ણ ગુરુ કૃપાનિધાન, તુ જ એક જગમાં પ્રતિપાળ,
રામચંદ્ર તુ જ તાત સ્વરૂપ, ચન્દ્રાદેવી મા બહુરૂપ.
કામારપુકુરમાં પ્રગટ થયા, ચમત્કાર તુ જ સાથ રહ્યા,
અવતરતાં ઘસી ભસ્મ તને, દર્શનથી ધની ધન્ય બને,
પાંચ વર્ષના બાળ ગોપાળ, ધ્યાનમાં દેવી દર્શન થાય.
અંતરમાં ગંગા પ્રગટી, જ્ઞાન ભક્તિ વૈરાગ્ય તણી,
પોથીને થોથાં માન્યાં, ગંગાજળમાં પધરાવ્યાં,
કલકત્તા રૂડું છે ગામ, દક્ષિણેશ્વર પુનિત ધામ.
દક્ષિણેશ્વર આવ્યા નાથ, કાલિને માન્યાં છે માત,
જગવી પંચવટીમાં અલખ, કણ કણ વ્યાપી રહ્યાં અપલક,
નિશદિન ગંગા-જમના ધાર, કાલિ વિરહે વહેતી આંખ.
કઠિન સાધના કરતાં રાજ, રાત દિવસ ના રહેતું ભાન,
માત શારદાનો સ્વીકાર, કાલિ સ્વરૂપે અંતર માંહ્ય,
સાથ શારદા માત રહ્યાં, ઠાકુર કેરાં સ્વપ્ન ફળ્યાં.
પ્રેમ ત્યાગના વારિ જેમ, મેંહકી જીવન ક્યારી તેમ,
અનેક સાધી સાધના ત્યાં, બ્રહ્માણી ગુરુ માન્યાં મા,
દ્વિરંગી ફૂલ એક જ ડાળ ઉગાડી, કીધો એ ચમત્કાર.
સંગ્રહણીનો રોગ અપાર, જગદંબાનો કીધો સાર,
આવ્યાં પોથી પંડિત સાથ, વાદવિવાદે કરવા વાત,
કેવળ લઇ કાલિ આધાર, જીત સદા ભક્તોની થાય.
રાધા ભાવે કૃષ્ણ ભજ્યા, ચમત્કાર કંઇ અનેક થયા,
વિશાળ સ્તને ખૂન વહ્યાં, વૈજ્ઞાનિક સહુ ચકિત થયા,
દ્રુમે દ્રુમે કૂદતાં જાય, રામ રામ કરી દર્શન થાય.
ઉગી પૂચ્છ બની હનુમાન, રામ સીતાને પ્રણામ વાર,
જઇ મસ્જિદે અલ્લા બાંગ, દિદાર કરતાં મહમદના જ,
ઇશુ ખ્રિસ્તનાં દર્શન થાય, ભક્ત ભાવના પૂર્ણ જ થાય.
કાલિ કાલિ રટતાં જાય, ભેદ ભરમનાં તૂટતાં જાય,
રામકૃષ્ણ રૂપે તે એમ, લીલાઓ કંઇ કીધી તેમ,
શ્રીરામકૃષ્ણ ગુરુ નામ જપાય, ત્રિતાપમાંથી ઊગરી જવાય.
આધિ વ્યાધિ ઉપાધિ સર્વ, ભગાડીને ઉજવી દે પર્વ,
ઋષિમુનિ ધરે તારું ધ્યાન, નાનાં મોટાં કરે પ્રણામ,
નિરાકાર દિક્ષા પામ્યા, તોતાપુરી આનંદ વાધ્યા.
ગુરુશિષ્યનો કેવો સાથ, ગુરુ કરતાં ચેલો હાથ,
અનુગ્રહે તવ શિષ્યો અનેક, વિવેકાનંદ નિરંજન એ જ,
દેશવિદેશે ધર્મ પ્રચાર, નામ ઉજાળ્યાં ગુરુનાં કાજ.
વિરાટ રૂપે પ્રગટ થયા, ચિન્મય રૂપે વ્યાપિ રહ્યા,
સંતોષ્યા નિજ ભક્ત સુજાત, આપી પરચાઓ સાક્ષાત,
બ્રહ્મા-વિષ્ણુ-શિવ અવતાર, શરણાગતનો તારણહાર.
એવી તારી કૃપા અગાધ, સુણી લે જે મારો સાદ,
કાલોઘેલો ભક્ત સુજાત, આવ્યો શરણે બાળ અજાણ,
કીધો આજે કેમ વિલંબ, તું જ વિણ મુજને ના આલંબ.
તું જ રામ ને કૃષ્ણ ગોપાળ, ગ્રંથ પંથના છોડ્યા સાથ,
દેહધરી દેહાતીત થઇ, જ્ઞાનની ગંગા વહેતી ગઇ,
તૃષાતુર સૌ તૃપ્ત થયાં, અંતરનાં સૌ ભાવ ખિલ્યા.
જાતભાતની તને ન ચીડ, ભાંગે સૌ ભક્તોની ભીડ,
રિધ્ધિસિધ્ધિ દાસી થઇ, વંદન કરતાં ઉભી રહી,
બાવન ગુરુવારે જીત નેમ, પાઠ કરે બાવન સપ્રેમ.
સુધરે તેનાં બંને લોક, મુક્તિ મળે ન રહેતો શોક,
શ્રીરામકૃષ્ણ ગુરુ મારા, સરસિજને કરજો ન્યારા,
સકળ જગતનાં સ્વામીનાથ, વંદન તમને વારંવાર.
------------------------------------------------------------
આ બાવની “ધર્મસંદેશ” સામયિકના તા. 15 સપ્ટેમ્બર 1986 નો રોજ પ્રગટ થયેલ અંકમાં પ્રસિધ્ધ થઇ હતી.
જય ભારત ભૂમિનો ભાર, ઉતારવા પ્રગટ્યા ભગવાન!
રામકૃશ્ણ ગુરુ કૃપાનિધાન, તુ જ એક જગમાં પ્રતિપાળ,
રામચંદ્ર તુ જ તાત સ્વરૂપ, ચન્દ્રાદેવી મા બહુરૂપ.
કામારપુકુરમાં પ્રગટ થયા, ચમત્કાર તુ જ સાથ રહ્યા,
અવતરતાં ઘસી ભસ્મ તને, દર્શનથી ધની ધન્ય બને,
પાંચ વર્ષના બાળ ગોપાળ, ધ્યાનમાં દેવી દર્શન થાય.
અંતરમાં ગંગા પ્રગટી, જ્ઞાન ભક્તિ વૈરાગ્ય તણી,
પોથીને થોથાં માન્યાં, ગંગાજળમાં પધરાવ્યાં,
કલકત્તા રૂડું છે ગામ, દક્ષિણેશ્વર પુનિત ધામ.
દક્ષિણેશ્વર આવ્યા નાથ, કાલિને માન્યાં છે માત,
જગવી પંચવટીમાં અલખ, કણ કણ વ્યાપી રહ્યાં અપલક,
નિશદિન ગંગા-જમના ધાર, કાલિ વિરહે વહેતી આંખ.
કઠિન સાધના કરતાં રાજ, રાત દિવસ ના રહેતું ભાન,
માત શારદાનો સ્વીકાર, કાલિ સ્વરૂપે અંતર માંહ્ય,
સાથ શારદા માત રહ્યાં, ઠાકુર કેરાં સ્વપ્ન ફળ્યાં.
પ્રેમ ત્યાગના વારિ જેમ, મેંહકી જીવન ક્યારી તેમ,
અનેક સાધી સાધના ત્યાં, બ્રહ્માણી ગુરુ માન્યાં મા,
દ્વિરંગી ફૂલ એક જ ડાળ ઉગાડી, કીધો એ ચમત્કાર.
સંગ્રહણીનો રોગ અપાર, જગદંબાનો કીધો સાર,
આવ્યાં પોથી પંડિત સાથ, વાદવિવાદે કરવા વાત,
કેવળ લઇ કાલિ આધાર, જીત સદા ભક્તોની થાય.
રાધા ભાવે કૃષ્ણ ભજ્યા, ચમત્કાર કંઇ અનેક થયા,
વિશાળ સ્તને ખૂન વહ્યાં, વૈજ્ઞાનિક સહુ ચકિત થયા,
દ્રુમે દ્રુમે કૂદતાં જાય, રામ રામ કરી દર્શન થાય.
ઉગી પૂચ્છ બની હનુમાન, રામ સીતાને પ્રણામ વાર,
જઇ મસ્જિદે અલ્લા બાંગ, દિદાર કરતાં મહમદના જ,
ઇશુ ખ્રિસ્તનાં દર્શન થાય, ભક્ત ભાવના પૂર્ણ જ થાય.
કાલિ કાલિ રટતાં જાય, ભેદ ભરમનાં તૂટતાં જાય,
રામકૃષ્ણ રૂપે તે એમ, લીલાઓ કંઇ કીધી તેમ,
શ્રીરામકૃષ્ણ ગુરુ નામ જપાય, ત્રિતાપમાંથી ઊગરી જવાય.
આધિ વ્યાધિ ઉપાધિ સર્વ, ભગાડીને ઉજવી દે પર્વ,
ઋષિમુનિ ધરે તારું ધ્યાન, નાનાં મોટાં કરે પ્રણામ,
નિરાકાર દિક્ષા પામ્યા, તોતાપુરી આનંદ વાધ્યા.
ગુરુશિષ્યનો કેવો સાથ, ગુરુ કરતાં ચેલો હાથ,
અનુગ્રહે તવ શિષ્યો અનેક, વિવેકાનંદ નિરંજન એ જ,
દેશવિદેશે ધર્મ પ્રચાર, નામ ઉજાળ્યાં ગુરુનાં કાજ.
વિરાટ રૂપે પ્રગટ થયા, ચિન્મય રૂપે વ્યાપિ રહ્યા,
સંતોષ્યા નિજ ભક્ત સુજાત, આપી પરચાઓ સાક્ષાત,
બ્રહ્મા-વિષ્ણુ-શિવ અવતાર, શરણાગતનો તારણહાર.
એવી તારી કૃપા અગાધ, સુણી લે જે મારો સાદ,
કાલોઘેલો ભક્ત સુજાત, આવ્યો શરણે બાળ અજાણ,
કીધો આજે કેમ વિલંબ, તું જ વિણ મુજને ના આલંબ.
તું જ રામ ને કૃષ્ણ ગોપાળ, ગ્રંથ પંથના છોડ્યા સાથ,
દેહધરી દેહાતીત થઇ, જ્ઞાનની ગંગા વહેતી ગઇ,
તૃષાતુર સૌ તૃપ્ત થયાં, અંતરનાં સૌ ભાવ ખિલ્યા.
જાતભાતની તને ન ચીડ, ભાંગે સૌ ભક્તોની ભીડ,
રિધ્ધિસિધ્ધિ દાસી થઇ, વંદન કરતાં ઉભી રહી,
બાવન ગુરુવારે જીત નેમ, પાઠ કરે બાવન સપ્રેમ.
સુધરે તેનાં બંને લોક, મુક્તિ મળે ન રહેતો શોક,
શ્રીરામકૃષ્ણ ગુરુ મારા, સરસિજને કરજો ન્યારા,
સકળ જગતનાં સ્વામીનાથ, વંદન તમને વારંવાર.
------------------------------------------------------------
આ બાવની “ધર્મસંદેશ” સામયિકના તા. 15 સપ્ટેમ્બર 1986 નો રોજ પ્રગટ થયેલ અંકમાં પ્રસિધ્ધ થઇ હતી.
Tuesday, November 07, 2006
સખી – ચિરાગ પટેલ
સખી – ચિરાગ પટેલ Nov 07, 2006
જીવનની તડકી-છાંયડી માણી છે એણે ભરપૂર;
ઉર્મિઓને અદીઠ દીશા આપી છે એણે અખૂટ.
ભવાબ્ધિઓની લાગણી સાચવી છે એણે હંમેશ;
સમયને વહાલી ઝંઝાળ આપી છે એણે અહર્નિશ.
માયાનાં હર આવરણ જાળવ્યાં છે એણે નરમીથી;
લડખડાતાં ડગલાંને સંભાળ્યાં છે એણે ગરમીથી.
રંગ ડોલરીયો આછેરો સાચવ્યો છે એણે દિલથી;
વાસંતી આગમનને વધાવ્યું છે એણે સ્મિતથી.
અદ્રશ્ય ઉર્જાને અજાણતાં ઝીલી છે એણે પારખી;
સમાવી અસ્તિત્વમાં વહાલપ છે એણે નિરખી.
નાના-શા જગમાં જાળવી અસ્મિતા છે એણે કળથી;
કેટલી જીંદગાની હલબલાવી દીધી છે એણે બળથી.
રે, સખી! નથી કોઇ ઉત્પાત, છે જે એ ઋણાનુબન્ધ;
ચાલ સાથે મ્હાલીએ મોજથી, નથી કોઇ પ્રેમાનુબન્ધ.
જીવનની તડકી-છાંયડી માણી છે એણે ભરપૂર;
ઉર્મિઓને અદીઠ દીશા આપી છે એણે અખૂટ.
ભવાબ્ધિઓની લાગણી સાચવી છે એણે હંમેશ;
સમયને વહાલી ઝંઝાળ આપી છે એણે અહર્નિશ.
માયાનાં હર આવરણ જાળવ્યાં છે એણે નરમીથી;
લડખડાતાં ડગલાંને સંભાળ્યાં છે એણે ગરમીથી.
રંગ ડોલરીયો આછેરો સાચવ્યો છે એણે દિલથી;
વાસંતી આગમનને વધાવ્યું છે એણે સ્મિતથી.
અદ્રશ્ય ઉર્જાને અજાણતાં ઝીલી છે એણે પારખી;
સમાવી અસ્તિત્વમાં વહાલપ છે એણે નિરખી.
નાના-શા જગમાં જાળવી અસ્મિતા છે એણે કળથી;
કેટલી જીંદગાની હલબલાવી દીધી છે એણે બળથી.
રે, સખી! નથી કોઇ ઉત્પાત, છે જે એ ઋણાનુબન્ધ;
ચાલ સાથે મ્હાલીએ મોજથી, નથી કોઇ પ્રેમાનુબન્ધ.
Saturday, October 14, 2006
રણછોડ - બંસીધર પટેલ
રણછોડ - બંસીધર પટેલ
લીધી વસમી વિદાય વિભુએ, છોડ્યું વ્રજધામ;
ગોપીજન સહુ વિખૂટા પડીયા, પ્રભુ સિધાવ્યા દ્વારિકાધામ.
રાધિકાના કંઠ સૂકાયા, કાના ન કરો સજા મમ પ્રાણ;
નંદ-યશોદા બન્યા નિરાધાર, વૃંદાવન બન્યું સૂમસામ.
પરમેશ્વરની લીલા સઘળી, પામર શું જાણે મનુજાત;
પ્રભુતો પ્યારો ચર-અચરનો, નાના મોટાનું નથી એને કામ.
સુવર્ણનગરી દ્વારિકા એની પષ્ચિમે ધૂઘવે મહાસાગર;
દેહ પ્રભુનો દ્વારિકામહીં, પણ આતમ ગોપ-ગોવાળની સાથ.
ઓધ્ધવ પણ હાર્યા-થાક્યા વિનવીપ્રભુને, ના થયા ટસ કે મસ;
ખાન-પાન ભુલી સહુ જોતા, વિભુ વળશે પાછો વ્રજધામ.
વિભુ તારી છે લીલા ન્યારી, અસમજ શું સમજે સહેજે;
નતમસ્તકે વિનવું તમને, રાખવો નિજ હ્રદય અમ જનને.
----------------------------------------------------------
સમુદ્રમંથન થકી મળ્યું વિષ અમૃત ભેગું;
લડવા માંડ્યા દેવાસુર માંહોમાંહે પીધું ઝેર શંકરે બની નિલકંઠ;
એટલે જ સ્તો કહેવાયા મહાદેવ, દેવોનાદેવ બમબમ સદાશિવ.
લીધી વસમી વિદાય વિભુએ, છોડ્યું વ્રજધામ;
ગોપીજન સહુ વિખૂટા પડીયા, પ્રભુ સિધાવ્યા દ્વારિકાધામ.
રાધિકાના કંઠ સૂકાયા, કાના ન કરો સજા મમ પ્રાણ;
નંદ-યશોદા બન્યા નિરાધાર, વૃંદાવન બન્યું સૂમસામ.
પરમેશ્વરની લીલા સઘળી, પામર શું જાણે મનુજાત;
પ્રભુતો પ્યારો ચર-અચરનો, નાના મોટાનું નથી એને કામ.
સુવર્ણનગરી દ્વારિકા એની પષ્ચિમે ધૂઘવે મહાસાગર;
દેહ પ્રભુનો દ્વારિકામહીં, પણ આતમ ગોપ-ગોવાળની સાથ.
ઓધ્ધવ પણ હાર્યા-થાક્યા વિનવીપ્રભુને, ના થયા ટસ કે મસ;
ખાન-પાન ભુલી સહુ જોતા, વિભુ વળશે પાછો વ્રજધામ.
વિભુ તારી છે લીલા ન્યારી, અસમજ શું સમજે સહેજે;
નતમસ્તકે વિનવું તમને, રાખવો નિજ હ્રદય અમ જનને.
----------------------------------------------------------
સમુદ્રમંથન થકી મળ્યું વિષ અમૃત ભેગું;
લડવા માંડ્યા દેવાસુર માંહોમાંહે પીધું ઝેર શંકરે બની નિલકંઠ;
એટલે જ સ્તો કહેવાયા મહાદેવ, દેવોનાદેવ બમબમ સદાશિવ.
કાન્હો - બંસીધર પટેલ
કાન્હો - બંસીધર પટેલ
મનભાવન બાજે વાંસલડી, કાના તવ અધરે;
મોર-પપીહા નાચે તાલે, યમુના તટ ઓવારે.
વૃક્ષ લતાઓ કરતી ગોષ્ઠી, વિભુ બન્યો શું મસ્ત આજે;
કાલીન્દીના નીર પણ થંભ્યા, મનમોહક નાદ-નિનાદે.
વનવાસી જીવ બન્યા ગુલતાન, દ્રશ્યશ્રાવ્ય શું લાગે આહ્લાદક;
કોયલડીનો મીઠો ટહુકો, પુરાવે સૂર નૂપુરના તાલે.
વ્રજરજ બનીને અધીર, મલય સમીર લહેરાતો;
ગોપીજન સહુ બન્યા અધીરા, કાનાની વેણુ નાદ પ્રસારે.
રાધિકા ગોપીકા સહુ છોડી કામ, જાય દોડી કાન્હાની વાટ;
ગાયોનું ધણ પણ ભૂલ્યું ભાન, કાનસંગ છે બંસીનું ઘેન.
બસ કરો કાના ન રહેવાય, હવે નાદભ્રમ શું લાગે તાલ;
ભક્ત-જનને કર્યું ઘેલું, ઓ મુરલીવાળા બંસીધર.
ભવના તૂટે બધાં બંધન આજ, ભક્તિ-મુક્તિ દાતા ધરણીધર;
હોય જો ત્રુટી અમ તણી કોઇ, કરજો માફ વિભુ વંદન વારંવાર.
મનભાવન બાજે વાંસલડી, કાના તવ અધરે;
મોર-પપીહા નાચે તાલે, યમુના તટ ઓવારે.
વૃક્ષ લતાઓ કરતી ગોષ્ઠી, વિભુ બન્યો શું મસ્ત આજે;
કાલીન્દીના નીર પણ થંભ્યા, મનમોહક નાદ-નિનાદે.
વનવાસી જીવ બન્યા ગુલતાન, દ્રશ્યશ્રાવ્ય શું લાગે આહ્લાદક;
કોયલડીનો મીઠો ટહુકો, પુરાવે સૂર નૂપુરના તાલે.
વ્રજરજ બનીને અધીર, મલય સમીર લહેરાતો;
ગોપીજન સહુ બન્યા અધીરા, કાનાની વેણુ નાદ પ્રસારે.
રાધિકા ગોપીકા સહુ છોડી કામ, જાય દોડી કાન્હાની વાટ;
ગાયોનું ધણ પણ ભૂલ્યું ભાન, કાનસંગ છે બંસીનું ઘેન.
બસ કરો કાના ન રહેવાય, હવે નાદભ્રમ શું લાગે તાલ;
ભક્ત-જનને કર્યું ઘેલું, ઓ મુરલીવાળા બંસીધર.
ભવના તૂટે બધાં બંધન આજ, ભક્તિ-મુક્તિ દાતા ધરણીધર;
હોય જો ત્રુટી અમ તણી કોઇ, કરજો માફ વિભુ વંદન વારંવાર.
Subscribe to:
Posts (Atom)
Labels
- કવિતા (83)
- Chirag (71)
- બંસીધર પટેલ (66)
- Swaranjali (45)
- લેખ (40)
- Parimiti (21)
- Devotional (18)
- પંક્તિ (13)
- Veejansh (10)
- વીજ્ઞાન (10)
- Poem (7)
- પ્રેરક પ્રસંગો (3)
- જીજ્ઞા પટેલ (2)
- Payal (1)
- વાર્તા (1)