Friday, August 31, 2007

સરદાર પટેલના પ્રેરક પ્રસંગો 1 - ચીરાગ પટેલ

સરદાર પટેલના પ્રેરક પ્રસંગો 1 - ચીરાગ પટેલ

======== * 1 * ========

જવાહરલાલ નેહરુ સરદાર વલ્લભભાઇ પટેલના ઘરે આવે છે. મણીબેન (સરદારના દીકરી) બે પ્યાલામાં ચા લાવે છે. સરદાર અને નેહરુ કોઈ ચર્ચામાં મગ્ન છે. નેહરુ ચાનો પ્યાલો લઈને વાતો કરતાં કરતાં ચાનો પ્યાલો પાછો મુકીને રજા લે છે, "સરદાર, હવે હું રજા લઉં. વીદેશી પત્રકારો સાથે મારે ફોટોસેશન છે." નેહરુ રજા લે છે. સરદાર અને મણીબેન એમને વળાવે છે.

નેહરુને વળાવ્યાં પછી, મણીબેન સરદારને કહે છે, "એમણે ચા પણ ના પીધી. બાપુ, તમે આવુ કરો?" સરદાર ઉવાચ, "અરે, મારે માટે વીદેશી પત્રકારો ક્યાં આવે છે?"


======== * 2 * ========

સરદાર પર ગૃહમંત્રાલયના કોઇ અફસરનો ફોન આવે છે, "સરદાર, મુંબઇમાં પરીસ્થીતી ખુબ જ વણસી રહી છે. પોલીસવડા ગોળીબારી કરવાનુ કહે છે જેથી લોકોનાં ટોળા પર કાબુ મેળવી શકાય." સરદાર કહે છે, "જે કરવું પડે એ કરો." અફસર પુછે છે, "પણ સરદાર, અહીંસાનું શું થશે?" સરદાર કોઇ જ જવાબ આપ્યા વગર ફોન મુકી દે છે.

======== * 3 * ========

મે 16 અને જુન 16 ના બે પ્રસ્તાવો લોર્ડ ક્રીસ્પ રજુ કરે છે અને કોંગ્રેસ, મુસ્લીમ લીગ વગેરે કયો પ્રસ્તાવ માન્ય રાખવો એનો નીર્ણય કરવાના હોય છે. સરદાર રાજપથ પરથી ગાડીમાં પસાર થતાં હોય છે, ત્યારે સામેની બાજુની ગાડીમાંથી એક વ્યક્તી (સુધીર ઘોષ) એમને થોભવા કહે છે. સરદાર એમની ગાડી રોકાવે છે. મણીબેન પુછે છે, "આ કોણ છે?" સરદાર કહે છે, "બાપુનો દુત અને વાઇસરોયનો મીત્ર, સુધીર ઘોષ." સુધીર ઘોષ નજીક આવી સરદારને કહે છે, "મારી ગાડીમાં લોર્ડ બેઠાં છે. ઝીણા મે 16 અને જુન 16 બન્નેનાં પ્રસ્તાવોને માન્યતા આપી ચુક્યાં છે. જો કોંગ્રેસ હવે કોઇ પણ પ્રસ્તાવ નહીં સ્વીકારે તો અંગ્રેજો લીગને સતા સોંપી ચાલ્યા જશે." સરદાર પુછે છે, "શું ખરેખર આવું થઇ શકે છે?" સુધીર ઘોષ હકાર ભણે છે. સરદાર પોતાની ગાડીમાંથી ઉતરી લોર્ડની ગાડી પાસે જાય છે. લોર્ડનું અભીવાદન કરે છે. લોર્ડ ચર્ચા કરવાની શરુ કરે છે. સરદાર એમને અટકાવીને કહે છે, "શું આપણે આમ રસ્તા વચ્ચે ભારતનું ભાવી નક્કી કરીશું?"

Thursday, August 30, 2007

સંન્યાસીનું ગીત - સ્વામી વિવેકાનંદ

સંન્યાસીનું ગીત - સ્વામી વિવેકાનંદ
(ન્યૂયોર્ક, થાઉઝંડ આયલેંડ પાર્કમાં જુલાઈ 1895માં રચેલું) (ગુજરાતી ભાવાનુવાદ)

જગાવો એ મંત્ર! પ્રકટિત થયો જે સ્વયમ,
યુગો પહેલાં ગાઢાં વનમહીં, ગિરિગહ્વર વિષે;
શકે ના જ્યાં પહોંચી જરી મલિનતા આ ધરતીની;
જહીં વ્હેતો જ્ઞાનપ્રવાહ; સત, આનંદ ભરતી;
અહો તું સંન્યાસી અભય, બસ એ ઉચ્ચરી રહે;
"ૐ તત સત ૐ" - 1

વછોડી દે બેડી સજડ જકડી જે રહી તને,
ભલે સોનાની, કે કથીર થકી એ નિર્મિત બની;
ઘડી રાગ-દ્વેષો, ભલું-બૂરું, બધાં દ્વંદ્વ થકી એ;
ગુલામી તો રહેતી અફર જ ગુલામી સહુ વિધે.
સોનાની બેડીનું શિથિલ જરી ના બંધન થતું.
તજી દે તો દ્વંદ્વો સહુય; બનીને મુક્ત રટજે;
"ૐ તત સત ૐ" - 2

તજી દે અંધારું સઘન અતિ અજ્ઞાનતણું જે,
તજી દે ખદ્યોતી ઝળક તિમિરો ઘટ્ટ કરતી.
તજી દે તૃષ્ણા જીવનતણી મહા ઘૂમવત જે
તને મૃત્યુને જીવનની ઘટમાળે નિરવધિ.
જગત જિતે છે તે, નિજ ઉપર જે જીત લભતા.
લહી આ, માથે ઉન્નત વિચર સંન્યાસી! ગજવી:
"ૐ તત સત ૐ" - 3

"લણે તે જે વાવે, અફર," જન કહે: "કારણ સદા
ફળે કાર્યે; ઊગે અશુભ અશુભે; ને, શુભ શુભે.
બધાં બંધાયાં આ સજડ નિયમે; બેડી જકડી
રહી, સૌને, જેણે જનમ જ ગ્રહ્યો નામ-રૂપમાં."
ખરું એ સૌ; કિંતુ સહુથી પર આત્મા વિલસતો,
વિમુક્તાત્મા નિત્યે રૂપ વગરનો, નામવિણ જે;
અને સંન્યાસી, તે તું જ પરમ, રહે ઘોષ ગજવી;
"ૐ તત સત ૐ" - 4

પિતા, માતા, પત્ની, સુહ્યદ, શિશુ, - એવાં સ્વપનમાં
ડૂબ્યાં જે, ના તેઓ કદીય પણ રે, સત્ય પરખે.
અલિંગી આત્મા તે, જનક કયમ? કોનો શિશુ વળી?
સખા-શત્રુ કોનો, જગ મહીં જહીં એ જ વિલસે?
અને તે તું પોતે વિભુસ્વરૂપ, હે ઉચ્ચરી રહે:
"ૐ તત સત ૐ" - 5

વિમુક્તાત્મા, જ્ઞાતા, અરૂપ બસ એ એક જગમાં,
અનામી જે, ને જે નિરમલ વિશુધ્દ્વ સ્વરૂપ જે;
વસે તેમાં માયા - જગત સહુ જેનું સ્વપન છે.
બને છે એ આત્મા પ્રકૃતિમય, સાક્ષીસ્વરૂપ જે:
તું જાણી લે તે છે તુજ સ્વરૂપ. સંન્યાસી વદ હે!
"ૐ તત સત ૐ" - 6

કહીં શોધે મુક્તિ, સુહ્યદ દઇ એ કોઇ ન શકે;
નકામું ઢૂંઢે મંદિર મહીં અને પોથી મહીંથી
તને ખૂંચે જે બંધન, સજડ એ તેં જ ગ્રહ્યું છે;
નકામાં છોડી દે વિલપન, તજંતાં જ કરથી
છુટી જાશે એ બંધન સજડ; રહે નાદ ગજવી:
"ૐ તત સત ૐ" - 7

કહે શાંતિ સૌને: અભય મુજથી હો સકલને:
વસે જે શૃંગોયે પર, જન તળેટી મહીં વળી,
વસે છે એ સૌની મહીં નહિ બીજો કોઇ, બસ હું!
તજું છું સૌ લોકો, તજું પૃથિવી ને સ્વર્ગ, નરકો,
નિરાશા ને આશા ઉભય તજું હું, દ્વંદ્વ સઘળાં.
બધાં કાપીને બંધન સુદ્દઢ સંન્યાસી, વદ હે!
"ૐ તત સત ૐ" - 8

ન હો પરવા કાંઇ પછી મરણ કે જીવનતણી.
કરી લીધું દેહે સકલ નિજ કર્તવ્ય જ પૂરું,-
ભલે સંસારાબ્ધિ જલ મહીં યથાકર્મ વહતો;
ધરાવે કો એને કુસુમ, અથવા તાડન કરે,
સમત્વે રહેલું તો, કશું સ્તવન, નિન્દા વળી કશી,
સ્તુતિ, સ્તોતા ને જ્યાં સ્તુતજન બધું એક જ તહીં,
જુદા નિન્દાખોરો નહિ લગીર જ્યાં નિન્દિત થકી!
પ્રશાંતાત્મા થા તું પરમ: રટ ખુલ્લા સ્વર થકી
"ૐ તત સત ૐ" - 9

વસે કામ-ક્રોધો જહીં, જહીં વસે લોભ જ વળી,
પ્રવેશે ત્યાં કો દિ, નહિ સત. વધુ ભાવથી જુએ,
સ્ત્રીને, પૂર્ણત્વે તે નહિ જ કદીયે પહોંચી શકતા.
ભરાતો ક્રોધે જે, લગીર પણ જેને પરિગ્રહ,
વળોટે માયાના નહિ જ દરવાજા કદીય તે:
તજી દે તેથી આ બસ બધુંય: રહે વીર! રટતો:
"ૐ તત સત ૐ" - 10

ન હો તારે કોઇ ઘર, ઘર સમાવી નવ શકે
તને; તારે ઊંચી નભ-છત, પથારી તૃણ તણી;
અને ભિક્ષામાં જે મળી જ ગયું તે ભોજન ભલું,
નહિ શુધ્દ્વાત્માને કલુષિત કદી તે કરી શકે.
વળી જા તું વ્હેતી સરિત સમ નિર્બંધ જગમાં;
અને સંન્યાસી! નિર્ભય, બસ રહે મંત્ર ગજવી:
"ૐ તત સત ૐ" - 11

ઘણાં થોડા કેરી ગતિ પરમ એ સત્યની મહીં.
બીજાના ધિક્કારો, ઉપહસનને ના ગણીશ તું.
વિમુક્તાત્મા, ઘૂમી સ્થળ સ્થળ મહીં રહે તું સઘળે.
છૂટી જાવા માયાપિંજરથી બધાંને મદદ દે.
સુખેચ્છાને ત્યાગી, ભય દુઃખતણો દૂર કરીને
બની જા બંનેથી પર તું: વદ ઉચ્ચ સ્વર થકી:
"ૐ તત સત ૐ" - 12

અને એવી રીતે દિન પછી દિન કર્મ ખૂટતાં
જશે છૂટી આત્મા, પુનરપિ નહિ જન્મ ધરશે.
નહિ હું-તું ભાવો પછીથી ટકતા, લીન બનતાં
બધામાં 'હું', 'હું' માં જગત સહુ: આનન્દઘનતા:
તું છે તત જાણી લે પરથી પર: પોકાર કર તું:
"ૐ તત સત ૐ" - 13

Saturday, August 18, 2007

Fasting in Hinduism

http://www.helium.com/tm/535826/hindus-divided-different-sects

Hindus are divided into many different sects. Some sects which are based on "Vaishnava Smpradaya", asks the followers to do fasting once every month. The Hindu calendar follows lunar phase. So, every month the 11th day of full moon phase, is considered the auspicious day to observe fasting.
The basics of Hinduism are found in great texts written around 6000 years ago. Bhagavad Gita is one of them which forms very integral terms of Hinduism. This text clearly states characteristics of being a Yogi, to lead spiritual path, and be enlightened. Gita is very much specific about choosing food and eating habits. According to this great book, offering any substance in pure form to God is the best food. It also cites some substances as Basil leaves, flowers, fruits, and water which are pure and to be offered to God. It states that a true Yogi does not eat more, and also he does not eat less.
Later part of development in vedic texts which were written 3000 years ago, from them, Patanjali who established a system of "RajaYoga", declared 8 steps to become a "RajaYogi". Second step in this system is "Niyama". This step includes a sub-system called "Tapa". "Tapa" means habituate mind and body to suffer hardship. According to this system, "Tapa" purifies mind and body and makes one ready for advancement in spiritual path.
We can identify two different systems suggested for us to follow - one which favors suffering habit, the other denies it.
Now, let us add a different perspective to this topic. Physiologically, our body requires energy to digest food we take in. So, if we can fast for half day or full day, that energy can be utilized for other purposes. People in old time chose some period of time especially during monsoon which lasts for almost 4 months in India, to do fasting. During this period of year, people feel loss of appetite, and water and/or food contamination. So, doing frequent fasting allows one to tackle these issues.
In modern era fasting, people use food cooked with rock salt on the day of fasting. But, this is not a correct way. The whole purpose of fasting is not realized in this case. The best way to fast is to use water only during the day. Some people even prefer not to take water. They do "Nirjala" (literally meaning without water and any food) fasting.
Fasting is considered allowing one to divert attention from food to soul. That allows one to seek path to the truth.

vepaari - Bansidhar Patel

વેપારી - બંસીધર પટેલ

બન્યો છે વેપારી માનવી, તોલે હરેક વસ્તુને બાટથી;
મોલ કરતાં શીખી ગયો, ભલા બુરાનો ભેદ પણ ભુલ્યો.
તોલ્યાં એણે મા-બાપને, ભાઈ-ભાંડું અને સગાંઓને;
પત્ની અને બાળકોની તો વીશાત શી, ગણતરીમાં કાચો નથી.

આંક્યું મુલ્ય જીવન તણું, સમય પારખતાં શીખી ગયો;
મંદીર, મસ્જીદમાં તોલ્યા એણે, ઈશ્વરને પણ પ્યારથી.
ખોલી ધરમશાળા, સેવાશ્રમો, ભભકો ઘણો બેહદ;
પુજારીને પણ ખરીદ્યાં એણે, ઘરેણાંની તો વાત જ શી.

હજી બાકી હતું કે વળી, લીધો ભેખ સેવકનો;
લુંટી ભોળી જનતાને, સફેદ લીબાશમાં સજ્જ બની.
રાજકારણ પણ એવું ખેલ્યો, પાકો વાણીયો બની બેઠો;
પરદેશમાં પણ તોલ્યો દેશને, નથી લાજ કશી સંસ્કારની.

હદ તો તેણે ભારે વટાવી, વેચ્યાં ઈશ્વરને વજનકાંટેથી;
લડાવ્યાં કંઈ લાડ પ્રભુને, સજાવ્યાં શણગાર ભભકાથી.
પ્રભુને ખબર હોત જો આવી, ના રહેત મંદીર ગુરુદ્વારામાં;
હવે બાકી નથી કશું દેવાનું, આત્મા પણ વેચી પરવાર્યો.

puNya salil - Bansidhar Patel

પુણ્ય સલીલ - બંસીધર પટેલ

અહીં એક વનમાં સરીતા હતી, ખરે જ એ પુણ્ય સલીલા હતી;
ખડખડ કરતો નીનાદ એનો, ભ્રમર ગુંજન કરતું વહેણ એનું.
નવોઢા નારની જેમ ઘુંઘટ ઘેઘુર વડલા તણાં કીનારે બન્ને;
શી શોભા હતી એની, વર્ણન કરતાં અહોભાવ જાગે.

ચારેતરફ ઘેઘુર વનરાજી, અને વસતાં પ્રાણી અહીં;
પોષતી સર્વે જીવોને, સાચો તારણહાર બની.
શ્વાન અને વાનર સાથે મળી, પીતાં જળ અહીં;
ભુંસી ભેદ ભવભવના, સમ્પર્ક બની રહેતાં સહુ.

દુરસુદુર વસેલું એક ગામડું, સમૃધ્ધી બેસુમાર ઘણી;
એ પણ ઋણી એટલું, જેટલાં સકળ જીવ ઉપકારી એના.
ગામની પનીહારીઓની પાયલ, માથે ઓઢેલાં ઘુંઘટ ખેંચી;
ભાવસભર નયનોએ નીરખે, શું સરીતા શોભતી અહીં.

ગયું વીલાઈ ઝરણું ફરી, વનરાજી વેરાન ઉજ્જડ બની;
મરુભુમીમાં ગઈ ફેરવાઈ ધરણી, છાંયડો ગયો રીસાઈ.
સમૃધ્ધીનું સાચું નીશાન, સરીતાએ કોઈને ખરું કહ્યું;
દેજે પ્રભુ સરીતા સમું, જીવન અમને ઉજાળતું.

Thursday, August 16, 2007

Krushna Ane Itihas

કૃષ્ણ અને ઈતીહાસ - ચીરાગ પટેલ Aug 16, 2007

આજે શ્રીરામકૃષ્ણ પરમહંસના મૃત્યુને 121 વર્ષ થયાં (Feb 18, 1836 - Aug 16, 1886). અનાયાસે જ આજે કૃષ્ણની ઐતીહાસીક્તા વીશે લખવાનું મને મન થયું. કૃષ્ણને કોણ નથી ઓળખતું. પુરાણપુરુષ, પુરુષોત્તમ, ભગવાન, વીચક્ષણ રાજપુરુષ, ગીતાનાં ઉદ્બોધક, સખા, મીત્ર, ગોપાળ, અને કાંઈ કેટલાંયવીશેષણો આપણે એ વ્યક્તીવીશેષને આપ્યાં છે અને આપતાં રહીશું. એમનાં પર ઘણાં બધાં પ્રખર વ્યક્તીઓએ લખ્યું છે, ગાયું છે, અને એમનાંઉપદેશોનું પાલન કર્યું છે. ઘણાં લોકોએ એમને સમજ્યા વગર એમની અમુક બાબતોનું ખોટી રીતે અર્થઘટન કરી અમલમાં મુકી છે.ભારતીય-બીન ભારતીય વીદ્વાનોએ ઉત્તમ કક્ષાનું વીવેચન આપ્યું છે. ઘણાં એવાં વીદ્વાનો પણ છે, જેમણે કૃષ્ણની ઐતીહાસીક્તા ચકાસવાનો પણપ્રયત્ન કર્યો છે.

આપણામાંના ઘણાં જાણતાં જ હશે કે પ્રોફેસર રાવ દ્વારકાનાં દરીયામાં કૃષ્ણની સોનાની દ્વારકા શોધવાની કોશીશ કરે છે, અનેએમને પુરાતન નગરીનાં અવશેષો પણ હાથ લાગ્યાં છે. જો કે, વૈજ્ઞાનીક પધ્ધતી પ્રમાણે એ અવશેષો 3000-4000 વર્ષ જુનાં જણાયાં છે. ઘણાંપાશ્ચાત્ય ઈતીહાસવીદો આર્યોનાં ભારતમાં આગમનનો સમય 3500-4000 વર્ષ જણાવે છે. અને આપણે પણ એવું જ ભણીએ કે ભણાવીએ છીએ!તો શું કૃષ્ણ 3000 વર્ષ પહેલાં થઈ ગયાં અને એમનાં પછીના 700 વર્ષમાં જ બુધ્ધનો જન્મ થયો? અમુક સંશોધકોએ આ પ્રશ્નનો જવાબ શોધવા જુદાં સંદર્ભોનો ઉપયોગ કર્યો છે, જે હું અહીં સરળ શબ્દોમાં સમજાવવા પ્રયત્ન કરીશ.

આજથી 200 વર્ષ પહેલાં જ્હોન પ્લેફેર નામના એક ગણીતવીદ થઈ ગયાં. એમણે સાબીત કર્યું છે કે ભારતમાં ખગોળીય ઘટનાઓ નોંધવાનીશરુઆત 4300BCE એટલે કે આજથી 6300 વર્ષ પહેલાં થઈ હતી. આપણાં ઘણાં બધાં ગ્રંથોમાં ખગોળીય ઘટનાઓના ઉલ્લેખ હોય છે. ભલેઆપણે આજની જેમ નવ ગ્રહોને જાણતાં નહોતાં, પરંતુ આપણાં ઋષીઓ સુર્ય, ચંદ્ર, બુધ, શુક્ર, શની, ગુરુ, મંગળ, રાહુ, અને કેતુના સચોટસ્થાનને દર્શાવી શકતાં હતાં. અને એ પણ 1 ડીગ્રીના 60મા ભાગ સુધી! રાહુ અને કેતુ અનુક્રમે ચંદ્રના ભ્રમણકક્ષનાં દક્ષીણ અને ઉત્તર બીંદુઓ છેજે કાલ્પનીક છે. જો આપણે માનીએ કે ખગોળીય શાસ્ત્રનો વીકાશ યુરોપમાં 14મી સદીમાં થયો અને આપણાં જ્યોતીશીઓએ આપણાં પુરાણોમાંફેરફાર કરીને 14મી સદીથી 4500 વર્ષ જુની ખગોળીય ઘટનાઓ મુકી દીધી, તો શું એ હાસ્યાસ્પદ નથી લાગતું? આજનો કયો જ્યોતીષભુતકાળની ખગોળીય ઘટનાનો ચોક્કસ સમય શોધી આપી શકે છે? (અને તે પણ 1 ડીગ્રીના 60મા ભાગ સુધીની ચોકસાઈ સાથે) એટલે માનવુંજ રહ્યું કે પ્રાચીન ઋષીઓને ખગોળ, ગણીત અને સમયનું ઉંડું જ્ઞાન હતું.

આજના સમય પરથી ભુતકાળની ચોક્કસ ખગોળીય ઘટનાને શોધવામાં ભૌતીક વીજ્ઞાનનો ઉંડો અભ્યાસ હોવો જરુરી છે, અને ઘણાં બધાંસમીકરણો ઉકેલવાની જરુર રહે છે.

આપણે સહુ કૃષ્ણનાં મૃત્યુની ઘટના જાણીએ છીએ. એ મુજબ ભાલકા તીર્થ નજીકનાં સ્થળે કૃષ્ણ યાદવાસ્થળી પછીના સમયે ઉંડા મનનમાં બેઠાંહતાં. ત્યારે, એક પારધીએ એમનાં પગની પાનીને હરણ સમજી તીર માર્યું, અને કૃષ્ણે દેહ છોડ્યો. ઘણાં લોકો કળીયુગની શરુઆત આ સમયથીથઈ હોવાનું જણાવે છે. મહાભારત અને ત્યાર પછીનાં ગ્રંથોમાં કૃષ્ણના મૃત્યુસમયની એક ખગોળીય ઘટના નોંધાઈ છે! કૃષ્ણે જ્યારે સાત ગ્રહો(રાહુ અને કેતુ સીવાયનાં) રેવતી નક્ષત્રમાં હતાં ત્યારે દેહત્યાગ કર્યો હતો! કેટલું સચોટ અવલોકન! રેવતી નક્ષત્રને પાશ્ચાત્યવીજ્ઞાનમાં ZetaPiscium કહે છે. હવે જો આજનાં ખગોળીય જ્ઞાન અને ગણીતનો સમંવય કરીને ગણતરી માંડીએ તો તારીખ આવે છે: February 18,3102BCE. ઠીક આજથી 5109 વર્ષ પહેલાં!!! અને એ જ રીતે એમનો જન્મ 19 કે 21 July 3228BCE થયો હોવો જોઈએ!

રામનો જન્મ કૃષ્ણનાં લગભગ 1000 વર્ષ પહેલાં થયો હતો, એટલે કે 6000 વર્ષ પહેલાં. અને હજુ આગળ વધીએ તો મનુ કે જેમણે પૃથ્વીનાઘણાં જીવોને વીશ્વવ્યાપી પુરમાંથી બચાવ્યાં હતાં એ ક્યારે થયાં હોઈ શકે? છેલ્લો હીમયુગ પુરો થયાં પછી. કારણકે, હીમયુગ પછી વીશ્વવ્યાપીપુરનો ઉલ્લેખ દાખલાંઓ સાથે મળી આવે છે, તેનાં ભૌગોલીક પુરાવાં પણ મળ્યાં છે. આ હીમયુગ આજથી લગભગ 10,000 વર્ષ પહેલાં પુરોથયો હતો! આ જ તર્ક પર આગળ વધીએ તો લાગે છે કે આર્યો ભારતમાં જ વસતાં હતાં. આર્ય-દ્રવીડોની લડાઈ જેવું કાંઇ થયું હોઈ ના શકે,છેવટે 3500 વર્ષ પહેલાં તો નહીં જ. આ બાબતની ચર્ચા ફરી ક્યારેક...

ૐ તત સત!

Saturday, August 11, 2007

sardar2 - Bansidhar Patel

સરદાર - બંસીધર પટેલ

ચરોતરની પાવન ભુમીમાં, પ્રગટ્યું એક તેજ કીરણ;
કરમસદની વીરાભુમીમાં, જન્મ્યો વલ્લભ કીસાન કુટુમ્બમાં.
ભણ્યો, ગણ્યો ખુબ, બન્યો વકીલ, કર્મભુમી ગોધરા ગામ;
ગાંધીજીએ નાંખી ટહેલ, આઝાદીના સપુતની દાદ સાટે.
આતમ વીરનો જાગી ઉઠ્યો, આઝાદીના પુરમાં ખેંચાયો;
સત્યાગ્રહની આવી વાત, સુકાન સંભાળી લીધું તુરત.
બન્યા 'સરદાર' કીસાનોના, કીધું નેતૃત્વ અડીખમ બની;
અંગ્રેજો પણ ગયા ગભરાઈ, કેવી અદ્ભુત શક્તી અપાર.
લોખંડી વીર છે પુરુષ, ખરો બાહોશ અને કર્મવીર;
તન-મન-ધન સર્વ સમર્પણ દેશને, નથી સવારથ કોઈનો.
હીન્દ છોડો ચળવળમાં પણ, થંભાવી દીધાં શ્વાસ બ્રીટીશનાં;
મળી આઝાદી ભારતમાતને, પડ્યાં ભાગલાં એક દેશને.
ભારત માથે મોટી ખોડ, દેશ બધો વહેંચાયેલો અસ્તવ્યસ્ત;
નાનાં-મોટાં રજવાડાંને કર્યાં એક, ખુબ બુધ્ધી ચતુરાઇથી.
ખરા અર્થમાં ચાણક્ય દેશનાં, બન્યા સપુત તમે ભારતમાનાં;
અખંડ ભારતનાં ઓરતાં કીધા પુરા, અનેકતામાં એક બતાવી.
રહેશે ઋણી સદાય તમારી, ભારતની આ ભોળી જનતા;
કરશે યાદ સદાય તમોને, ભારતના ઓ સાચા ભડવીર.
ઈશ્વરને અમે કરીયે ફરીયાદ, ફરીથી દેજે એક સરદાર.

sardar1 - Bansidhar Patel

સરદાર - બંસીધર પટેલ

મરશે નામ સદાય તમારું, પ્રેમથી ભારતની જનતા.
હેશે યાદ હંમેશ તમારું નામ, ગાંધીજીના સાથી સદાયના.
દાન કીધું તન-મન-ધનનું, ન્યોચ્છાવર જીવન સકળનું.
ખોપાં દીધાં દેશ પુરાને, વીસરશે એ કદીના જનતા.

રસોની તન્મયતા કીધી, આઝાદહીંદનાં શમણાં કાજે.
ખેલ લેખ હશે વીધીના, મળ્યા સપુત તમ જેવા ભારતને.
લે જાય રસાતળ ધરાનું, અમર રહે નામ સદાય તમારું.
ભારત વર્ષને કીધાં એક, અનેકતામાં એકતાનો સંદેશ.
શ્વર મળે જો મને કદીક, તો માંગીશ વર જનમવા ફેર.

શ્ચીમના દેશો સહુ કરે, દીગ્મુઢ બની વીચાર ખુબ કરે.
ટે'લ નાંખી કીસાનો પાસે, બન્યા સરદાર લોખંડી પુરુષ.
ળી લળી લાગું હું પાય, સરદાર તમોને કોટીકોટી વંદન.

Saturday, August 04, 2007

kalajug - Bansidhar Patel

કળજુગ - બંસીધર પટેલ

કળજુગનાં કાળાં વાદળ ઘેરાયાં ચહુદીશ, દૈત્ય બની માનવ ઘુમે સંસાર;
કરવા આરાધના શક્તી દુર્ગા કાળીની, કરે હડાહ્ડ અપમાન નારી જાતી તણું.

પુજવા જાય મંદીરમાં દેવ દર્શન કરવા, ઘરનાં દેવ સમાં મા-બાપ ભુખે ટળવળે;
રચી માયા સંસારની કરોળીયાની જેમ, ભુલો પડી ભવરણે ભટકે ભોમકામાં.

હતો જ્યારે બાળક, અરે માના ગર્ભ મહીં સંતાયેલો, દીધેલા કોલ સહુ વીસરી ગયો;
માન્યુ જેને સુખ તે તો ખાણ દુઃખથી ભરી, ચુંથ્યા ચર્મદેહ ન મળ્યો હાશકારો.

ભાઈ-બહેન, પત્ની, બાળકો, સમાજ અને સંસાર, નથી સાચા સાથી જગતનાં;
ભુલ્યો કેમ, ભરથારને, કાળી ડાળી વૃક્ષતણી, જ્યાં હતો બેઠેલો વીશ્રામમાં.

મદ્રાંચલ ચળી જશે, વા વંટોળ થકી થશે વીનાશ, સાગર મુકી માઝા જગતની;
ફરી વળશે આરો સર્વત્ર વીનાશનો પંજો, નથી રોકાવાનું જે થવાનું હશે નક્કી.

વળી જા, માની જા, ઓ માનવી કાળા માથાના, પાછો જે દીશાએ તું જઈ રહ્યો;
પસ્તાઈશ તું ભર પેટ, જ્યારે સમય ગયો હશે હાથમાંથી સરી.

પશ્ચાતાપ થાશે ઘણો, નથી સુણવાનું કોઈ તારું, ઘડાઈ જશે ઘાટ તારો પછી;
શું કરીશ તું? થાય છે મને ચીંતા ઘણી, હું પણ છું તારા જેવો માનવી.

શરણ સ્વીકારી ઈશ્વરનું, કર સમર્પણ સ્વજાતનું, કર્મ, અકર્મ, સકળનું;
થાશે બેડો પાર જ તારો, થવાનું હતું તે થયું, ઉગી નવી સવાર આજથી.

પંક્તી:--------------------------------
ફુલો ઉપર બેઠેલાં પતંગીયાં, કરે છે પમરાટ અસામંજશ;
ભાષા એમની કોણ સમજે? છે એ પ્રેમનાં સમર્પીત પુષ્પો બધાં.

karo haasya - Bansidhar Patel

કરો હાસ્ય - બંસીધર પટેલ

રોઈ રહ્યો છે માનવી, ચોધાર આંસુએ આજ;
વાવીને બબુલ કેરાં વૃક્ષ, લણી રહ્યો છે કંટકો આજ.
નહોતી લગીરે ખબર કે, આવશે ભેંકાર નઠારી આજ;
કરીને નાશ પર્યાવરણનો, બનાવ્યાં જળ, વાયુ ઝેરી આજ.

ભુગર્ભ, ધરા કે અંબર, નથી છોડ્યું કશુંય બેખબર;
ફીણી ફીણીને ભુ-ધરા, રહ્યું છે હાડપીંજર બેહાલ.
પાડી કાણાં આભ મોજાર, ભળ્યો છે વાયુ ઝેરી બેસુમાર;
હવે તો પહોંચી ગયો ગ્રહો ભીતર, નથી છોડવું કશુંય.

કાલ વીતાવી હોત જો સારી, ઉગ્યું હોત ઉજળું પ્રભાત આજ;
નજીવા સ્વાર્થની ખાતર, કર્યું નુકશાન પારાવાર બેહદ.
ન કરશે લગીરે માફ, ભાવી પેઢી થાશે જ્યારે બેહાલ;
હજી પણ થોભી વીચારે સહુ, સોના જેવી સાંભળવાની વાત.

બંધ કરો અટકચાળા, અટકાવો પ્રકોપ કુદરતનો તત્કાળ;
વધારીને વૃક્ષો વનો, કરો આબાદ ધરતીને સહુ સાથ.
પર્યાવરણ હશે જો શુધ્ધ, થાશે સુખ, સમૃધ્ધી જગમાં બેસુમાર;
આવરણ સાચું જગ તણું, પર્યાવરણ વીંટળાયેલું અનહદ.

તહેવાર ઉજવાશે અસ્તીત્વનો, મનુષ્ય, ધરતી આકાશનો;
બચવું હોય જો મનુષ્યને, તો સાચવવું પર્યાવરણ નીઃશંક.
ખુશહાલ નર-નાર-સહુ, જીવ-જગત-જંતુ દેતાં સહુ આશીષ;
ઘર-બહાર, ઉપર-નીચે, ચારેકોર, કરો જયકાર, વનસંપદા તણો.