Saturday, October 14, 2006

રણછોડ - બંસીધર પટેલ

રણછોડ - બંસીધર પટેલ

લીધી વસમી વિદાય વિભુએ, છોડ્યું વ્રજધામ;
ગોપીજન સહુ વિખૂટા પડીયા, પ્રભુ સિધાવ્યા દ્વારિકાધામ.

રાધિકાના કંઠ સૂકાયા, કાના ન કરો સજા મમ પ્રાણ;
નંદ-યશોદા બન્યા નિરાધાર, વૃંદાવન બન્યું સૂમસામ.

પરમેશ્વરની લીલા સઘળી, પામર શું જાણે મનુજાત;
પ્રભુતો પ્યારો ચર-અચરનો, નાના મોટાનું નથી એને કામ.

સુવર્ણનગરી દ્વારિકા એની પષ્ચિમે ધૂઘવે મહાસાગર;
દેહ પ્રભુનો દ્વારિકામહીં, પણ આતમ ગોપ-ગોવાળની સાથ.

ઓધ્ધવ પણ હાર્યા-થાક્યા વિનવીપ્રભુને, ના થયા ટસ કે મસ;
ખાન-પાન ભુલી સહુ જોતા, વિભુ વળશે પાછો વ્રજધામ.

વિભુ તારી છે લીલા ન્યારી, અસમજ શું સમજે સહેજે;
નતમસ્તકે વિનવું તમને, રાખવો નિજ હ્રદય અમ જનને.
----------------------------------------------------------
સમુદ્રમંથન થકી મળ્યું વિષ અમૃત ભેગું;
લડવા માંડ્યા દેવાસુર માંહોમાંહે પીધું ઝેર શંકરે બની નિલકંઠ;
એટલે જ સ્તો કહેવાયા મહાદેવ, દેવોનાદેવ બમબમ સદાશિવ.

કાન્હો - બંસીધર પટેલ

કાન્હો - બંસીધર પટેલ

મનભાવન બાજે વાંસલડી, કાના તવ અધરે;
મોર-પપીહા નાચે તાલે, યમુના તટ ઓવારે.

વૃક્ષ લતાઓ કરતી ગોષ્ઠી, વિભુ બન્યો શું મસ્ત આજે;
કાલીન્દીના નીર પણ થંભ્યા, મનમોહક નાદ-નિનાદે.

વનવાસી જીવ બન્યા ગુલતાન, દ્રશ્યશ્રાવ્ય શું લાગે આહ્લાદક;
કોયલડીનો મીઠો ટહુકો, પુરાવે સૂર નૂપુરના તાલે.

વ્રજરજ બનીને અધીર, મલય સમીર લહેરાતો;
ગોપીજન સહુ બન્યા અધીરા, કાનાની વેણુ નાદ પ્રસારે.

રાધિકા ગોપીકા સહુ છોડી કામ, જાય દોડી કાન્હાની વાટ;
ગાયોનું ધણ પણ ભૂલ્યું ભાન, કાનસંગ છે બંસીનું ઘેન.

બસ કરો કાના ન રહેવાય, હવે નાદભ્રમ શું લાગે તાલ;
ભક્ત-જનને કર્યું ઘેલું, ઓ મુરલીવાળા બંસીધર.

ભવના તૂટે બધાં બંધન આજ, ભક્તિ-મુક્તિ દાતા ધરણીધર;
હોય જો ત્રુટી અમ તણી કોઇ, કરજો માફ વિભુ વંદન વારંવાર.